March 24, 2026
ગુજરાત

અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલી 400 વર્ષ જૂની મંસા મસ્જિદનો એક ભાગ રોડ પહોળો કરવા માટે તોડી પાડવામાં આવશે

અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલી 400 વર્ષ જૂની મંસા મસ્જિદનો એક ભાગ રોડ પહોળો કરવાના પ્રોજેક્ટ માટે તોડી પાડવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટે મસ્જિદ ટ્રસ્ટ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે,

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની નોટિસ પર સ્ટે મુકવાનો ઇનકાર કર્યો છે. ગુજરાત હાઈકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું કે “જાહેર હિત”ના પ્રોજેક્ટમાં કોઈને વાંધો ન હોવો જોઈએ. કોર્ટે એમ પણ સ્પષ્ટ કર્યું કે આ કિસ્સામાં વકફ કાયદાની જોગવાઈઓ લાગુ પડતી નથી.

વધુમાં, કોર્ટે જણાવ્યું કે AMC કમિશનરે ગુજરાત પ્રાથમિક મ્યુનિસિપલ કોર્પોરેશન (GPMC) કાયદા હેઠળ વિશેષ સત્તાનો ઉપયોગ કરીને આ નિર્ણય લીધો છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ ટ્રાફિકની સમસ્યા હળવી કરવાનો અને જાહેર સુવિધા વધારવાનો છે. આ ચુકાદાને પગલે હવે મસ્જિદનો આ ભાગ તોડી પાડવાનો માર્ગ મોકળો થયો છે.

Related posts

અમદાવાદ – યુએન મહેતામાં 16.37 કરોડના MRI મશીન અને 3.70 કરોડના બ્લડ સેન્ટરનું આરોગ્ય મંત્રીએ કર્યું ઉદઘાટન

Ahmedabad Samay

ટ્રાફિક પોલીસ દ્વારા BRTS કોરિડોરમાં વાહનચલાવતા વાહનચાલકો પાસેથી અંદાજીત રૂ.85,000નો દંડ વસૂલયો, જનતાન મત પ્રમાણે જો જાહેર માર્ગ પર ટ્રાફિક સમસ્યા દૂર કરે તો BRTS કોરિડોર કોઈ જાય જ નહીં

Ahmedabad Samay

હનીટ્રેપમાં ધરપકડ કરાયેલા મહિલા પીઆઇએ ગત મોડી રાત્રે સેનિટાઈઝર પીધુ

Ahmedabad Samay

ગુજરાતમાં નવા મંત્રીમંડળ બાદ હવે જુના અને દિગગજ નેતાઓનું શુ ?

Ahmedabad Samay

પઢેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા, પણ ખાયેગા ઇન્ડિયા તો પઢેગા ઇન્ડિયા ઓર બઢેગા ઇન્ડિયા

Ahmedabad Samay

ધૂળેટીની ઉજવણી વિશે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો