August 10, 2026
ગુજરાત

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદી શુક્રવાર સવારે ૧૧ વાગ્‍યે અમદાવાદ એરપોર્ટ આવશે

સરકારના પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ વડાપ્રધાનશ્રી મોદીનો ગુજરાતનો પ્રવાસ કાર્યક્રમ જાહેર કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદી સવારે ૧૧ વાગ્‍યે અમદાવાદ એરપોર્ટ આવશે તે જ દિવસે તા. ૧૧ મીએ એરપોર્ટથી કમલમ સુધીનો ભવ્‍ય રોડ શોનું આયોજન કરવામાં આવશે. પ્રદેશ ભાજપની ટીમ તેમજ ધારાસભ્ય, સાંસદ સભ્‍ય અને અપેક્ષીત હોદેદારો હાજર રહેશે.

પ્રદેશ કાર્યાલય ખાતે બેઠક પણ કરશે. ત્‍યારબાદ કમલમ ખાતે ભોજન લેશે. ત્‍યારબાદ શ્રી મોદી રાજ ભવન જશે. ત્‍યાંથી જીએમડીસી ખાતે સ્‍થાનીક સ્‍વરાજ સંસ્‍થાના ગુજરાત પંચાયત મહાસંમેલનમાં હાજરી આપશે. રાજયનું વહીવટી તંત્ર સમગ્ર વ્‍યવસ્‍થા ગોઠવે છે.

૧ર તારીખે રક્ષા શકિત યુનિવર્સિટી ખાતે તે સમગ્ર સંકુલનું લોકાર્પણ અને કોન્‍વકેશનાં હાજરી આપશે. સાંજે ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવશે. સાંજે ૬ વાગ્‍યે સરદાર પટેલ સ્‍ટેડિય ખાતે મહાકુંભ ઉદ્દઘાટન કરવામાં આવશે. તે દરમ્‍યાન સ્‍પોર્ટસ પોલીસીની પણ જાહેરાત કરવામાં આવશે.

Related posts

કાલથી મોટા ભાગના ધાર્મિક સ્થળો ભાવિ ભક્તો માટે ખુલ્લા મુકાશે

Ahmedabad Samay

જયપુરના ફુલેરામાં આવેલા ગુરુદ્વારમાં આવેલ દુકાનદારોને વણઝારા સમાજની ચીમકી

Ahmedabad Samay

24/07/2026 શુક્રવારના રોજ જિલ્લાની તમામ શાળાઓ બંધ રહેશે

Ahmedabad Samay

અમદાવાદના વિવિધ પેટ્રોલપંપ પર વાહન ચાલકોએ લાંબી લાઇનો લગાવી

Ahmedabad Samay

કેન્‍દ્રીય ગૃહમંત્રી  શાહના નજીકના સાથી જગદીશ વિશ્વકર્મા ગુજરાતમાં પાર્ટીના નવા અધ્‍યક્ષ

Ahmedabad Samay

સતત વધતા કેસની વચ્ચે આજથી લગ્નની સિઝન શરૂ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો