June 24, 2026
ગુજરાત

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદી શુક્રવાર સવારે ૧૧ વાગ્‍યે અમદાવાદ એરપોર્ટ આવશે

સરકારના પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ વડાપ્રધાનશ્રી મોદીનો ગુજરાતનો પ્રવાસ કાર્યક્રમ જાહેર કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદી સવારે ૧૧ વાગ્‍યે અમદાવાદ એરપોર્ટ આવશે તે જ દિવસે તા. ૧૧ મીએ એરપોર્ટથી કમલમ સુધીનો ભવ્‍ય રોડ શોનું આયોજન કરવામાં આવશે. પ્રદેશ ભાજપની ટીમ તેમજ ધારાસભ્ય, સાંસદ સભ્‍ય અને અપેક્ષીત હોદેદારો હાજર રહેશે.

પ્રદેશ કાર્યાલય ખાતે બેઠક પણ કરશે. ત્‍યારબાદ કમલમ ખાતે ભોજન લેશે. ત્‍યારબાદ શ્રી મોદી રાજ ભવન જશે. ત્‍યાંથી જીએમડીસી ખાતે સ્‍થાનીક સ્‍વરાજ સંસ્‍થાના ગુજરાત પંચાયત મહાસંમેલનમાં હાજરી આપશે. રાજયનું વહીવટી તંત્ર સમગ્ર વ્‍યવસ્‍થા ગોઠવે છે.

૧ર તારીખે રક્ષા શકિત યુનિવર્સિટી ખાતે તે સમગ્ર સંકુલનું લોકાર્પણ અને કોન્‍વકેશનાં હાજરી આપશે. સાંજે ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવશે. સાંજે ૬ વાગ્‍યે સરદાર પટેલ સ્‍ટેડિય ખાતે મહાકુંભ ઉદ્દઘાટન કરવામાં આવશે. તે દરમ્‍યાન સ્‍પોર્ટસ પોલીસીની પણ જાહેરાત કરવામાં આવશે.

Related posts

અમદાવાદ: તથ્યકાંડ બાદ ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં, મહિના સુધી સ્પેશિયલ ડ્રાઇવ, સ્ટંટબાજોના માતા-પિતા સામે પણ થશે કાર્યવાહી

Ahmedabad Samay

ઝાયડસ કેડિલા ઇન્સ્ટિટ્યૂટમાં વડાપ્રધાન મોદી વેક્સિનની ટ્રાયલ અંગે જાહેરાત કરે તેવી શક્યતા

Ahmedabad Samay

નિકોલના હોન્ડા શોરૂમના 3 કર્મચારીઓ એ જ ગોડાઉનમાંથી 29 એક્ટિવા અને 2 બાઈક ચોરી કરી

Ahmedabad Samay

ગુડી પડવાનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે, જાણો વાર્તા અને કેવી રીતે તૈયાર કરવી ગુડી

Ahmedabad Samay

અમદાવાદ સિવિલ ૧૨૦૦ બેડને કોવીડ હોસ્પિટલમાં તબદીલ કરવા માટે પ્રશાસન તરફથી તૈયારીઓ શરૂ, અન્ય રાજ્યોમાં પણ તૈયારીઓ શરૂ કરાઇ

Ahmedabad Samay

વિદ્યાર્થીની હત્યા બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ સેવન્થ ડે સ્કૂલના આચાર્યને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો