May 13, 2026
ગુજરાત

સતત વધતા કેસની વચ્ચે આજથી લગ્નની સિઝન શરૂ

રાજયમાં કોરોના વાયરસના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આવામાં ગુજરાતમાં પાછલા ૬ મહિનાના પછી ૧૨,૦૦૦ કરતા વધારે કેસ નોંધાયા છે. આવામાં સતત વધતા કેસની વચ્ચે લગ્નની સિઝન શરૂ થઈ છે જેના કારણે કોરોના વકરવાની ચિંતામાં વધારો થયો છે. આ બધાની વચ્ચે આજે મોટા પ્રમાણમાં લગ્ન યોજાઈ રહ્યા છે ત્યારે લોકોને તકેદારી રાખવા માટે અપીલ કરવામાં આવી છે. લગ્નમાં બેન્ડબાજા, ડીજે, વરઘોડો માટેની તૈયારીઓ થઈ ગઈ છે પરંતુ તેની સાથે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પણ અનિવાર્ય રહેશે.

ચાલુ વર્ષમાં લગ્નના વધુ મુહૂર્ત હોવાથી ગુજરાતમાં લાખોની સંખ્યામાં લગ્નના આયોજનો થયા છે. આવામાં મંગળવારે એટલે કે આજે અને આગામી ત્રણ દિવસ મોટા પ્રમાણમાં લગ્નના આયોજન હોવાથી તંત્ર દ્વારા લોકોની કાળજી રાખવા માટે અને કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે.

લગ્નના પ્રસંગમાં લોકો સંગીતના તાલ પર ગરબે ઘૂમે કે પછી ડાન્સ કરે આવામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું મુશ્કેલ બની શકે છે જેના કારણે કોરોના વકરવાની ચિંતા રહેલી છે. જો ડાન્સ કરતી વ્યકિતમાંથી કોઈ એક વ્યકિત સંક્રમિત હોય અને તેઓનું એકબીજા વચ્ચેનું અંતર ઘટવાથી તેમની સાથે ટોળામાં રહેલા અન્ય લોકો પણ સંક્રમિત થઈ શકે છે અને તે પછી સમારંભમાં લોકો સાથે મુલાકાત દરમિયાન વાયરસ વધારે લોકોને સંક્રમિત કરી શકે છે.

કોરોનાના કેસમાં વધારો થતા લગ્ન જેવા પ્રસંગોમાં આવતા મહેમાનોની સંખ્યામાં ઘટાડો થયો છે, જેમાં બંધ હોલમાં કે ખુલ્લામાં કઈ રીતે આયોજન કરવામાં આવ્યું છે તે પ્રમાણે ગાઈડલાઈન્સમાં મહેમાનોની સંખ્યા નક્કી કરવામાં આવી છે. આવામાં કેટલાક જાગૃત નાગરિકો જરુર ના હોય તો લગ્ન પ્રસંગમાં જવાનું ટાળી રહ્યા છે આમ છતાં મહેમાનોની ભીડ રહી તો તેનાથી કોરોનાના કેસ ઝડપથી વધવાનું જોખમ રહેલું છે.

ઉત્તરાયણ બાદ કમૂરતા પૂર્ણ થતા શુભ મુહૂર્તની શરુઆત થઈ છે. આવામાં મોટા પ્રમાણમાં લગ્ન પ્રસંગોના આયોજન હોવાથી કોરોનાના સંક્રમણમાં વધારો થવાનો ભય રહેલો છે. વહીવટી તંત્ર દ્વારા લગ્નમાં વધારે ભીડ ના થાય અને ગાઈડલાઈન્સનું પાલન થાય તે અંગે પણ સૂચનો કરવામાં આવ્યા છે. આ સાથે પસંગો દરમિયાન પણ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી શકે છે. આ દરમિયાન ગાઈડલાઈન્સનો ભંગ થતો જણાશે તો જરુરી પગલા ભરવામાં આવી શકે છે.

New up 01

Related posts

સૈજપુર ખાતે આવેલ કુબેરેશ્વ મહાદેવ મંદિરે લોકોનું ધ્યાન કેન્દ્રિત કરતી થીમ પર ડેકોરેશન કરાયું

Ahmedabad Samay

અમદાવાદ સમય તરફથી અહેમદ પટેલને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા હલદી કુંકુ કાર્યક્રમ ઉજવાયો

Ahmedabad Samay

દાદાની સરકારમાં ભૂકંપ,મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળના તમામ ૧૬ મંત્રીઓના રાજીનામાં લેવાયા, આજે નવા મંત્રીઓ લેશે શપથ

Ahmedabad Samay

અમદાવાદ – યુએન મહેતામાં 16.37 કરોડના MRI મશીન અને 3.70 કરોડના બ્લડ સેન્ટરનું આરોગ્ય મંત્રીએ કર્યું ઉદઘાટન

Ahmedabad Samay

સરદારનગર વોર્ડના પૂર્વ વોર્ડ પ્રમુખ ચંદુ ભકતાણી દ્વારા વાયરલ કરવામાં આવેલ વિડીયોના શખ્સ પર જીવલેણ હુમલો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો