February 5, 2026
ગુજરાત

દેશમાં મોંઘવારીએ જબરો વિકાસ કર્યો, મધ્‍યમ વર્ગ ઉપર રૂા. ૧૦,૫૦૦નું ભારણ વધી ગયું

વર્ષના પ્રારંભથી જ મોંઘવારીએ ફુંફાડા મારવાના શરૂ કરતાં અનાજ, કઠોળ, ખાદ્યતેલ, પેટ્રોલ, ડિઝલ, શાકભાજી, પરિવહન, દૂધ સહિતની ચીજવસ્‍તુઓ મોંઘી થઇ છે.

દરેક ચીજવસ્‍તુઓના ભાવ ભડકે બળવા લાગતા સામાન્‍યજનની હાલત કફોડી બની ગઇ છે. કારમી મોંઘવારીમાં પુરૂં કેમ કરવું એ પ્રશ્ન સૌને સતાવી રહ્યો છે. એક અંદાજ મુજબ વધતી મોંઘવારીને કારણે મધ્‍યમ વર્ગ ઉપર રૂા. ૧૦,૫૦૦નું ભારણ વધી ગયું છે. પહેલા જેમનો ઘરખર્ચ રૂા. ૨૦,૦૦૦ હતો તે હવે વધીને રૂા. ૩૨૦૦૦ થી ૩૩૦૦૦ માસિક થઇ ગયો છે.

છેલ્લા થોડા સમયથી મોંઘવારીએ માઝા મુકી છે. તમામ ચીજવસ્‍તુઓમાં સરેરાશ ૪૦ ટકા જેટલા ભાવ વધી ગયા છે. ૬૦૦ રૂપિયાનો ઘરેલું વપરાશનો રાંધણગેસનો બાટલો હવે ૯૫૦માં મળે છે. ૭૦ રૂપિયાનું પેટ્રોલ ૧૦૫ સુધી પહોંચી ગયું છે. ૧૪૦૦ રૂપિયાના તેલના ૧૫ લીટરના ડબાના હવે ૨૯૦૦ રૂપિયા ચૂકવવા પડે છે. દૂધની અડધો લીટરની ૨૪ રૂપિયાની થેલીના ૩૦ અને ૧૦૦ રૂપિયા પ્રતિ કિલોથી નીચેના ભાવે લગભગ કોઇ લીલા શાકભાજી મળી રહ્યા નથી. ઘઉં, મસાલા વગેરેના ભાવ પણ વધ્‍યા છે. કોરોના મહામારીના બે વરસના લોકડાઉનના કારણે ધંધા-રોજગારને માઠી અસર પડી હોય લોકોની આવકમાં કોઇ વધારો થયો નથી. લોકોના ખિસ્‍સા ખાલી થઇ ગયા છે. બીજી તરફ વધતી મોંઘવારીના કારણે મધ્‍યમ વર્ગીય સામાન્‍ય પરિવાર પર મહિને રૂા. ૧૦,૫૦૦નું ભારણ વધી ગયું છે.

શાકભાજીના ભાવ વધે ત્‍યારે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, તેવા સમાચારો જોવા મળતા હતા. પરંતુ હવે તો આખા પરિવારના બજેટ ખોરવાઇ ગયા છે. રોજેરોજનું કમાઇને ખાતા નાના વર્ગના પરિવારો જ નહીં બાંધી આવક મેળવતા ખાનગી કંપનીના કર્મચારીઓ તથા તગડો પગાર મેળવતા હોવાની છાપ ધરાવતા સરકારી કર્મચારીઓ પણ બાબત રહ્યા નથી. શહેરોમાં રહેતા એક સામાન્‍ય વર્ગના પરિવારનો ૧ વર્ષ પૂર્વેનો અને હવેનો ઘરખર્ચ કેટલો તેનો એક અભ્‍યાસ રજુ થયો છે.

Related posts

મેમકો વિસ્તારમાં પોલીસના હપ્તા ખોરીના કારણે સુરત વાડી ઘટના બનતી રહી ગઇ,મેમકો વિસ્તારમાં બન્યો છેડતીનો બનાવ

Ahmedabad Samay

અરવિંદ કેજરીવાલ પરના માનહાની કેસ મામલે જાણો અમદાવાદ કોર્ટમાં શુ થઈ હતી રજૂઆત

Ahmedabad Samay

પાલીતાણા, સાળંગપુર  સોમનાથ, સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી, વડનગર, નડાબેટ અને નાથદ્વારા જેવા ધાર્મિક સ્થળ માટે ચાર્ટડ ફ્લાઇટ શરૂ કરાઇ

Ahmedabad Samay

TRP ગેમ ઝોનમાં અનેક પરિવારના માસુમ ભૂલકાંઓ દુર્ઘટનાનો ભોગ બન્યા છે, અત્યાર સુધીમાં ૨૬ જેટલા મૃતદેહ મળ્યા

Ahmedabad Samay

BJP અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબે કર્ણાવતી મહાનગર એરપોર્ટ સર્કલ ખાતે ભીત સૂત્રો લખવાના કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો

Ahmedabad Samay

સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો