March 23, 2026
ગુજરાત

ગાંધીનગર- પીએસઆઈ ભરતી કૌભાંડનો આરોપી મયુર તડવી રીમાન્ડ પર, તપાસમાં થશે વધુ ખુલાસા

ગાંધીનગર કોર્ટ દ્વારા 10 માર્ચ સુધીના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. બંને બાજુની બેદરકારી હોવીની ગાંધીનગર કોર્ટ દ્વારા રજૂઆત કરવામાં આવી. આ મામલે પોલીસે પણ રીમાન્ડ માંગતા રજૂઆત કરી હતી કે, આરોપી મયુર તડવીના  રાજકીય પીઠ બળની પણ તપાસ કરવી જરુરી છે.

PSI ભરતી કૌભાંડને લઈને ઘેરા પ્રત્યાઘાતો ગુજરાતમાં પડ્યા છે ત્યારે સરકારને પરીક્ષા મામલે ઘણું સાંભળવું પડી રહ્યું છે. ત્યારે ગૃહવિભાગ સામે પણ કોંગ્રેસ દ્વારા વિરોધ આ પ્રકારે ભરતી કૌભાંડ બંધ કરવાને લઈને કરવામાં આવી રહ્યો છે. પીએસઆઈ ભરતી કૌભાંડમાં મયુર તડવીએ ગેરરિતી દાખવી હોવાનો આક્ષેપો થતા આ મામલે તેની સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ પોલીસ દ્વારા તેજ કરવામાં આવી છે ત્યારે ગાંધીનગર કોર્ટમાં રીમાન્ડ પણ મયુર તડવી મામલે આજે મંજૂર કરી દેવામાં આવ્યા છે. જેથી પોલીસ તપાસમાં વધુ વિગતો બહાર આવી  શકે છે.

10 માર્ચ સુધીના રીમાન્ડ મંજૂર
પોલીસ દ્વારા આરોપીને રજૂ કરીને 14 દિવસના રીમાન્ડ માંગ્યા હતા. ત્યારે કોર્ટ તરફથી  મયુર તડવીના રીમાન્ડ મળતા આ દિશામાં તપાસ હાથ ધરવામાં આવશે. ગાંધીનગર એલસીબીએ પણ સમગ્ર મામલે કૌભાંડની તપાસ તેજ કરી છે.

મયુર તડવી મામલે ડાભોડા પોલીસ મથકમાં ફરીયાદ નોંધવામાં આવી હતી. કરાઈ તેની ટ્રેનિંગ પણ ચાલતી હતી. ખોટા ડોક્યુમેન્ટ બનાવીને કરાઈ એકેડમીમાં ટ્રેનિંગ લીધી હતી. ત્યારે હવે આરોપી મયુર તડવીના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ મામલે રીમાન્ડ માંગવામાં આવતા 10 માર્ચ સુધીના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. મયુર તડવી મામલે ખાસ કરીને ગુજરાતભરમાં યુવાનોમાં નારાજગી પણ જોવા મળી રહી છે કેમ કે, એક તરફ મહેનત કરીને જે યુવાનો એક બે માર્ક્સ માટે રહી જાય છે તેમને આજીવન અફશોસ પણ કરવો પડતો હોય છે ત્યારે આ પ્રકારની ભરતી કૌભાંડમાં અન્ય નામો પણ બની શકે છે સામે આવી શકે.

Related posts

ચાની લારી પર પેપર અને પ્લાસ્ટિકના કપ પર પ્રતિબંધ લાદવાનો મનપાના નિર્ણયનો વેપારીઓ વિરોધ વ્યક્ત કર્યો

Ahmedabad Samay

SOG દ્વારા દુબઈથી ભારતમાં આવેલા અને નાસતા ફરતા આરોપી દિલીપ ઉર્ફે મોનું સંગતાણીની ઇન્ટરનેશનલ સાયબર ક્રાઇમમાં ધરપકડ કરી

Ahmedabad Samay

જુનાગઢ થી પશ્ચિમ બંગાળ વિક્ટોરિયા હાઉસ સુધી ગયેલા પ્રવાસીઓ એ ગરબા રમ્યા મહેલમાં

admin

હોમગાર્ડ જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં ત્રણ વર્ષનો વધારો કરવા અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય

Ahmedabad Samay

ગુજરાતમાં આગામી છ દિવસ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી

Ahmedabad Samay

લાયન હાર્ટ ગ્રુપના અધ્યક્ષ રાજુ જાદવ અને તેઓની ટીમ દ્વારા ૪૦૦ થી વધુ બોટલોનું રક્તદાન કરી સી.આર.પાટીલની ૯૫ લિટર રક્ત સાથે રક્તતુલા કરવામાં આવી હતી.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો