March 23, 2026
ગુજરાતદેશરાજકારણ

કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપના આઇ.કે.જાડેજા, નિકુલ મારુ સહિતના અન્ય કાર્યકરોએ રાહુલ ગાંધી વિરુદ્ધ પ્રદર્શન કર્યો

રાહુલ ગાંધીએ આસામમાં એક રેલી દરમિયાન ગુજરાતીઓ અંગે કરેલા નિવેદનનો કોંગ્રેસ કાર્યાલય બહાર મોટી સંખ્યામાં ભાજપે વિરોધ પ્રદર્શન કર્યો હતો. અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય બહાર રાહુલ ગાંધીના નિવેદનનો ભાજપના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો અને  સુત્રોચ્ચાર કર્યા હતા.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અસમમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે પહોચ્યા હતા. રાહુલ ગાંધીએ ચાના મજૂરોને લોભાવવાનો પ્રયાસ કર્યો હતો અને કહ્યુ કે, “આસામમાં ચાના બગીચામાં મજૂરોને રોજના ૧૬૭ રૂપિયા મળે છે જ્યારે મોદી સરકારમાં ગુજરાતના વેપારીઓને ચાના બગીચા જ મળી જાય છે”

રાહુલ ગાંધીના આ નિવેદન પર સી.એમ.વિજય રૂપાણીએ  પલટવાર કરતા જણાવ્યું હતું કે “રાહુલ ગાંધીના શબ્દો અને તેમની કોંગ્રેસ પાર્ટીની ગુજરાતીઓ પ્રત્યેની નફરતને બતાવે છે. ગુજરાત આવી ધૃણિત નફરતને સ્વીકાર નહી કરે.

જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે પણ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા અને કહ્યુ કે “રાહુલ ગાંધીના ગુજરાતીઓ માટે શરમજનક શબ્દ તેમની બીમાર માનસિકતા અને ગુજરાત માટે નફરતને દર્શાવે છે.

કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપના આઇકે જાડેજા, નિકુલ મારુ  સહિતના અન્ય કાર્યકરો પહોચ્યા હતા અને રાહુલ ગાંધીના નિવેદનને લઇને વિરોધ નોંધાવ્યો હતો. મોટી સંખ્યામાં કાર્યકરોએ ભેગા થઇને રાહુલ ગાંધી માફી માંગે કોંગ્રેસ મુર્દાબાદના નારા લગાવ્યા હતા

આ દરમિયાન ભાજપ-કોંગ્રેસના કાર્યકર આમને-સામને આવી ગયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોચીને મામલાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.

Related posts

અખબારનગર અંડર પાસમાં પુરઝડપે જતી બીઆરટીએસ બસ અંડર પાસની દિવાલ સાથે ધડાકાભેર ટકરાઈ

Ahmedabad Samay

૩૩૧ જગ્યા પર આવી આંગણવાડીમાં ભરતી.

Ahmedabad Samay

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

અમદાવાદમા કાલે રાત્રે ૦૯ વાગ્યા થી સોમવાર સવારે ૦૬ વાગ્યા સુધી સંપૂર્ણ કર્ફ્યુ

Ahmedabad Samay

TMC એ પશ્ચિમ બંગાળતો તો જીતિલીઘું પણ, દીદી પોતે હારી ગયા

Ahmedabad Samay

જાણો વંદે ભારત ટ્રેન, મેટ્રો અને સ્લીપરના ભાડામાં કેટલો તફાવત છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો