May 12, 2026
ગુજરાત

ઔડાના મકાનનો દસ્તાવેજ પોતાના નામે કરાવી શકશે અને સરળતાથી મકાન વેચી પણ શકશે

અમદાવાદમાં ઔડાના મકાનમાં રહેનારા મકાન ધારકો હવે ઔડાના મકાનનો દસ્તાવેજ પોતાના નામે કરાવી શકશે. હવે ઔડાના મકાનધારકો સરળતાથી મકાન વેચી પણ શકશે. એટલું જ નહીં ઔડાના મકાન પર સરળતાથી લોન પણ મળી રહેશે. આ અંગે ઔડા દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. નામ તબદીલ કરી દસ્તાવેજ પ્રક્રિયા સરળ કરવામાં આવી છે. જે મુજબ હવે સામાન્ય ફી ભરીને મકાનમાં રહેનાર પોતાના નામે દસ્તાવેજ કરાવી શકાશે.

અત્યાર સુધી ઔડાના મકાન લોકિંગ પિરિયડ બાદ પણ મકાન માલિકો પોતાનુ મકાન વેચી શકતા ન હતા. એટલુ જ નહી ઔડાનુ મકાન ખરીદનારે દસ્તાવેજ કર્યા વિના જ મકાન ખરીદવુ પડતુ હતુ. આ તમામ મુસિબતમાંથી હવે ઔડા દ્વારા માર્ગ મોકળો કરાયો છે.

EWS, LIG 7 વર્ષ પછી અને MIG, HIG 5 વર્ષ પછી મકાન વેચી શકાશે. આ નિર્ણયથી ઔડાની 43 યોજનાઓના 23 હજાર 838 મકાનોને લાભ મળશે. 5.5 લાખ કિંમતના આવાસની સ્ટેમ્પ ડ્યુટી પુરુષ માટે 39,045 અને સ્ત્રી માટે 28,045 સ્ટેમ્પ ડ્યુટી ભરવાની આવતી હતી. પરંતુ હવે પુરૂષ તેમજ સ્ત્રી માટે માત્ર 100 રૂપિયા જ સ્ટેમ્પ ડ્યૂટીના ભરવાના રહેશે.જેનો લાભ ઔડા નિર્મિત મકાનોમાં રહેતા 4,751 આવાસના માલિકોને મળશે.

ઔડાના મકાન માટેની તમામ માહિતી માટે ઔડાનો જ સંપર્ક કરવાનો રહેશે. મકાન ધારકોએ બીજે ક્યાંય જવાની કે ધક્કા ખાવાની જરૂર નથી. માટે ઔડાનો સંપર્ક કરી કોઈ પણ મૂંઝવણ હોય તો એ દૂર કરી શકાશે.

Related posts

અમદાવાદમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર ટ્રાફિક જામ જોવા મળ્યું

Ahmedabad Samay

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 126મું અંગદાન, કિડનીના દાનથી બે લોકોને નવજીવન

Ahmedabad Samay

સૌરાષ્ટ્રમાંથી ૪૦૦થી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે.

Ahmedabad Samay

અમદાવાદ: રાજ્યમાં ગરમીનો પ્રકોપ શરૂ, જાણો કયા શહેરમાં કેટલી ડિગ્રી પહોંચ્યો પારો?

admin

અમદાવાદ જિલ્લામાં સ્વચ્છતા સર્વેક્ષણનો પ્રારંભ, 25 ઓગષ્ટ સુધી ચાલશે સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરી

Ahmedabad Samay

અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં તાજા અને વ્યાજબી ભાવે મહાલક્ષ્મી શાકભાજી અને ફ્રુટ માર્કેટ શરૂ કરાયુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો