June 24, 2026
જીવનશૈલીતાજા સમાચાર

ઓહ ટામેટા ખાવાથી આવું થાય? ટામેટાની અસર વિશે જાણી ઉડી જશે ઊંઘ

બધા લોકો ટામેટાનો ઉપયોગ ભોજનમાં જુદી જુદી વાનગીઓમાં સ્‍વાદ વધારવા કરે છે. ખાસ કરીને શાક, દાળ અને સલાડ માં તેનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ટામેટાનો ઉપયોગ વધુમાં વધુ ફાયદો મેળવવા કેવી રીતે કરી શકીએ તે વિષે મોટાભાગના બધા લોકો અજાણ હોય છે.

ટામેટાથી શરીરમાં થતા હોય છે અદ્યતન ફાયદા અને ફાયદા સાથે થોડું નુકશાન, જાણો શુ છે નુકશાન.

* ટામેટામાં ભરપૂર માત્રામાં શરીરને જરૂરી પોષકતત્‍વો સાથે  વિટામિન એ, વિટામિન બી અને વિટામિન સી ખૂબ જ સારી માત્રામાં મળી રહે છે.

* ટામેટાનો રસ હરસ, મસા અને કબજીયાતને મટાડનાર છે. આ સાથે તે લોહીમાં વધારો અને પિત્તની વળદ્ધિ કરનાર છે. ટામેટા અરૂચિ માટે ફાયદાકારક છે. ટામેટાનું કચુમ્‍બર કરીને તેમાં સુંઠ અને સિંધા નમક નાખીને ખાવાથી અરૂચિ મટે છે.

* જે લોકોના શરીરમાં લોહીની ઉણપ હોય અને શરીર પીળું રહેતું હોય તેવા લોકોએ ટામેટાના સૂપની અંદર એક થી બે ચમચી જેટલો ચ્‍યવનપ્રાશ નાખી સવાર-સાંજ લેવાથી શરીર એકદમ ટામેટા જેવું લાલ બની જાય છે. એટલે કે શરીરમાં લોહી વધારવા માટે અને લોહીની ઉણપ દૂર કરવા ટામેટા ખૂબ જ મદદરૂપ થાય છે.

* જે લોકોને આખો દિવસ પસાર કરવા છતાં પણ ભૂલ લાગતી ન હોય તેવા લોકોએ ટામેટાના ટુકડા કરી તેના ઉપર સિંધવ મોઠું, ધાણાજીરૂ અને કાળા મરીનો પાવડર મિશ્ર કરી ખાવાથી ભૂખ ઉગડે છે અને પાચનશક્‍તિ તીવ્ર બને છે.

* જે લોકો વારંવાર કબજીયાતની સમસ્‍યાથી પીડાઈ રહ્યા છે તેના માટે ટામેટા રામબાણ સાબિત થાય છે. આ માટે સવાર-સાંજ દરરોજ તાજા ટામેટાનો સુપ પીવાથી કબજિયાતમાં રાહત મળે છે. આ સાથે જે લોકોને અનિદ્રાની સમસ્‍યા હોય તે લોકો માટે પણ  ટામેટાનો સુપ ફાયદાકારક છે.

* જે લોકોના મોઢામાં અવારનવાર ચાંદાં પડે છે તે લોકો માટે  ટામેટા ફાયદારૂપ સાબિત થાય છે. આ માટે પાણીમાં ટામેટાના રસને મિક્‍સ કરી એના કોગળા કરવાથી ચાંદા ઠીક થઈ જાય છે. કળમિ રોગ માં ટામેટાના રસમાં હિંગનો વઘાર કરીને પીવાથી ફાયદો થાય છે.

* હાડકાને મજબૂત કરવા ટામેટા ફાયદાકારક છે. ટામેટા માં કેલ્‍શિયમ રહેલું હોવાથી તે હાડકાને મજબૂત કરે છે. આ સાથે સાંધાની તકલીફમાં પણ ટામેટા ખાવાથી રાહત મળે શકે છે. તમને જણાવીએ કે કાચા ટામેટા ખાવાથી લોહીમાં બ્‍લડ શુગરનું લેવલ જળવાઈ રહે છે અને આથી ડાયાબિટીસની બીમારી સામે ટામેટા ખાવાથી રક્ષણ મળે છે.

કોને ટમેટા ખાવાથી દૂર રહેવું જ્જ

જે લોકોને પથરી, સોજા, સંધિવા અને અમ્‍લપિત્તના રોગની તકલીફ હોય તેવા લોકોએ ટમેટાનું સેવન કરવું જોઈએ નહિ. આ સાથે જે લોકોને ટામેટા ખાવાથી એલર્જીની સમસ્‍યા રહેતી હોય તે લોકોએ પણ ટામેટા ખાવાથી દૂર રહેવું જોઈએ.

Related posts

માત્ર 24 કલાકમાં મટાડી શકાય છે આઈ ફ્લૂ! આ 2 રીતથી દૂર થશે આંખનું ઈન્ફેક્શન

Ahmedabad Samay

Youthful Skin: લાંબા સમય સુધી સુંદર અને યુવાન દેખાવા માંગો છો? ત્વચાની સંભાળમાં આ રીતે બનાના ટ્રાય કરો

Ahmedabad Samay

દહીંમાં પણ હોઈ શકે છે ભેળસેળ, ખરીદીને ખાતા હોવ તો જાણી લો આ FSSAI ગાઈડલાઈન્સ વિશે

Ahmedabad Samay

વૈજ્ઞાનિકોને ડર છે કે  6ઠ્ઠા મહાવિનાશનો સમય પણ આવી પહોચ્ચો

Ahmedabad Samay

વરસાદમાં આ ઇન્ફેક્શનને કારણે જાંઘ અને પગમાં થાય છે ફોલ્લીઓ, જાણો આનાથી બચવા શું કરવું

Ahmedabad Samay

હાર્ટ એટેકનું નામ સાંભળતા જ ડરી જાવ છો? તો આ 5 વસ્તુઓથી અંતર રાખો….

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો