May 7, 2026
જીવનશૈલીતાજા સમાચાર

ઓહ ટામેટા ખાવાથી આવું થાય? ટામેટાની અસર વિશે જાણી ઉડી જશે ઊંઘ

બધા લોકો ટામેટાનો ઉપયોગ ભોજનમાં જુદી જુદી વાનગીઓમાં સ્‍વાદ વધારવા કરે છે. ખાસ કરીને શાક, દાળ અને સલાડ માં તેનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ટામેટાનો ઉપયોગ વધુમાં વધુ ફાયદો મેળવવા કેવી રીતે કરી શકીએ તે વિષે મોટાભાગના બધા લોકો અજાણ હોય છે.

ટામેટાથી શરીરમાં થતા હોય છે અદ્યતન ફાયદા અને ફાયદા સાથે થોડું નુકશાન, જાણો શુ છે નુકશાન.

* ટામેટામાં ભરપૂર માત્રામાં શરીરને જરૂરી પોષકતત્‍વો સાથે  વિટામિન એ, વિટામિન બી અને વિટામિન સી ખૂબ જ સારી માત્રામાં મળી રહે છે.

* ટામેટાનો રસ હરસ, મસા અને કબજીયાતને મટાડનાર છે. આ સાથે તે લોહીમાં વધારો અને પિત્તની વળદ્ધિ કરનાર છે. ટામેટા અરૂચિ માટે ફાયદાકારક છે. ટામેટાનું કચુમ્‍બર કરીને તેમાં સુંઠ અને સિંધા નમક નાખીને ખાવાથી અરૂચિ મટે છે.

* જે લોકોના શરીરમાં લોહીની ઉણપ હોય અને શરીર પીળું રહેતું હોય તેવા લોકોએ ટામેટાના સૂપની અંદર એક થી બે ચમચી જેટલો ચ્‍યવનપ્રાશ નાખી સવાર-સાંજ લેવાથી શરીર એકદમ ટામેટા જેવું લાલ બની જાય છે. એટલે કે શરીરમાં લોહી વધારવા માટે અને લોહીની ઉણપ દૂર કરવા ટામેટા ખૂબ જ મદદરૂપ થાય છે.

* જે લોકોને આખો દિવસ પસાર કરવા છતાં પણ ભૂલ લાગતી ન હોય તેવા લોકોએ ટામેટાના ટુકડા કરી તેના ઉપર સિંધવ મોઠું, ધાણાજીરૂ અને કાળા મરીનો પાવડર મિશ્ર કરી ખાવાથી ભૂખ ઉગડે છે અને પાચનશક્‍તિ તીવ્ર બને છે.

* જે લોકો વારંવાર કબજીયાતની સમસ્‍યાથી પીડાઈ રહ્યા છે તેના માટે ટામેટા રામબાણ સાબિત થાય છે. આ માટે સવાર-સાંજ દરરોજ તાજા ટામેટાનો સુપ પીવાથી કબજિયાતમાં રાહત મળે છે. આ સાથે જે લોકોને અનિદ્રાની સમસ્‍યા હોય તે લોકો માટે પણ  ટામેટાનો સુપ ફાયદાકારક છે.

* જે લોકોના મોઢામાં અવારનવાર ચાંદાં પડે છે તે લોકો માટે  ટામેટા ફાયદારૂપ સાબિત થાય છે. આ માટે પાણીમાં ટામેટાના રસને મિક્‍સ કરી એના કોગળા કરવાથી ચાંદા ઠીક થઈ જાય છે. કળમિ રોગ માં ટામેટાના રસમાં હિંગનો વઘાર કરીને પીવાથી ફાયદો થાય છે.

* હાડકાને મજબૂત કરવા ટામેટા ફાયદાકારક છે. ટામેટા માં કેલ્‍શિયમ રહેલું હોવાથી તે હાડકાને મજબૂત કરે છે. આ સાથે સાંધાની તકલીફમાં પણ ટામેટા ખાવાથી રાહત મળે શકે છે. તમને જણાવીએ કે કાચા ટામેટા ખાવાથી લોહીમાં બ્‍લડ શુગરનું લેવલ જળવાઈ રહે છે અને આથી ડાયાબિટીસની બીમારી સામે ટામેટા ખાવાથી રક્ષણ મળે છે.

કોને ટમેટા ખાવાથી દૂર રહેવું જ્જ

જે લોકોને પથરી, સોજા, સંધિવા અને અમ્‍લપિત્તના રોગની તકલીફ હોય તેવા લોકોએ ટમેટાનું સેવન કરવું જોઈએ નહિ. આ સાથે જે લોકોને ટામેટા ખાવાથી એલર્જીની સમસ્‍યા રહેતી હોય તે લોકોએ પણ ટામેટા ખાવાથી દૂર રહેવું જોઈએ.

Related posts

આ નાણાકીય વર્ષમાં આવા ઘણા ફેરફારો થવાના છે જેનો ફાયદો મધ્‍યમ વર્ગને થશે

Ahmedabad Samay

ટૂંક સમયમાં ભારતીય ચલણ ડોલરની જગ્યા લઇ શકે છે,૧૮ દેશો ભારતીય નાણાંમાં વેપાર કરવા તૈયાર

Ahmedabad Samay

ઓટ્સથી લઈને મગફળી સુધી, વજન ઘટાડવા માટે પીવો આ 3 વેઈટ લોસ શેક, જાણો રેસિપી

Ahmedabad Samay

અયોધ્‍યામાં શ્રી ભગવાનની મૂર્તિ માટે પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવની તડામાર તૈયારી ચાલુ

Ahmedabad Samay

Skin Care: ચાંદ જેવો ચહેરો મેળવવા માટે મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સથી દૂર રહો, આ 3 વસ્તુઓ કામ આવશે

Ahmedabad Samay

સરકાર પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવા માટે તૈયાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો