May 7, 2026
ગુજરાત

શાહપુરમાં આજે સવારના સમયે ૪.૩૦ વાગ્‍યે ન્‍યૂ એચ કોલોનીના મકાનમાં અચાનક આગ લાગી, પતિ,પત્ની અને બાળકનું થયું કરુણ મોત

અમદાવાદના શાહપુર વિસ્‍તારમાં આગની ઘટના સામે આવી છે. આજે સવારના સમયે ૪.૩૦ વાગ્‍યે ન્‍યૂ એચ કોલોનીના એક રહેણાંક મકાનમાં અચાનક આગ લાગી હતી.

જેમાં ઘરમાં રહેલા પતિ-પત્‍ની અને બાળકનું મોત થયું છે. ઘટનાને લઈ હાલ આ વિસ્‍તારમાં શોકનો માહોલ વ્‍યાપી ગયો છે.  શાહપુર વિસ્‍તારમાં આવેલા ન્‍યૂ એચ કોલોનીમાં આગની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. જોકે વિગતો મુજબ એક જ પરિવારના ત્રણ લોકો એટલે કે, પતિ-પત્‍ની અને બાળક આગની ઘટનામાં જીવતા હોમાઈ જતાં ચકચાર મચી ગઈ છે.

અમદાવાદના શાહપુર વિસ્‍તારમાં આવેલા ન્‍યૂ એચ કોલોનીમાં આગ લાગી હોવાની માહિતી મળતા ફાયરની ટીમ પણ ઘટના સ્‍થળે પહોંચી હતી. જય ફાયરની ટીમે મહામહેનતે આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. જોકે હજી સુધી આગ કયા કારણોસર લાગી તે સામે નથી આવ્‍યું.

Related posts

અમદાવાદ મનપાના 48 વોર્ડની કુલ 192 બેઠકો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન અંદાજે 2364 જેટલા લોકોએ દાવેદારી માટે ફોર્મ ભર્યા

Ahmedabad Samay

રીક્ષા ચાલક ચેતી જજો,ચાર રસ્તાના ૫૦ મીટરમાં રિક્ષા ઉભી રાખશે, તો તેની રિક્ષા ડિટેઈન કરવામાં આવશે.

Ahmedabad Samay

મેઘાણીનગરમાં એર કાર્ગો પાસે કુરિયર કંપનીના કર્મચારીને ઢોરમાર મારી 1.77 કરોડની લૂંટ

Ahmedabad Samay

મુસાફરોની આ ભારે ભીડને (Crowd) ધ્યાનમાં રાખીને એસટી વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

વર્લ્ડ મેન્ટલ હેલ્થ દિવસ નિમિત્તે જીસીએસ હોસ્પિટલમાં માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ માટે સેમિનાર યોજાયો

Ahmedabad Samay

શહેરમાં માથાભારે શખ્શ છરી લઈને આતંક મચાવતો, લોકોને છરી મારીને લૂંટનો પ્રયાસ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો