June 22, 2026
ગુજરાત

શાહપુરમાં આજે સવારના સમયે ૪.૩૦ વાગ્‍યે ન્‍યૂ એચ કોલોનીના મકાનમાં અચાનક આગ લાગી, પતિ,પત્ની અને બાળકનું થયું કરુણ મોત

અમદાવાદના શાહપુર વિસ્‍તારમાં આગની ઘટના સામે આવી છે. આજે સવારના સમયે ૪.૩૦ વાગ્‍યે ન્‍યૂ એચ કોલોનીના એક રહેણાંક મકાનમાં અચાનક આગ લાગી હતી.

જેમાં ઘરમાં રહેલા પતિ-પત્‍ની અને બાળકનું મોત થયું છે. ઘટનાને લઈ હાલ આ વિસ્‍તારમાં શોકનો માહોલ વ્‍યાપી ગયો છે.  શાહપુર વિસ્‍તારમાં આવેલા ન્‍યૂ એચ કોલોનીમાં આગની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. જોકે વિગતો મુજબ એક જ પરિવારના ત્રણ લોકો એટલે કે, પતિ-પત્‍ની અને બાળક આગની ઘટનામાં જીવતા હોમાઈ જતાં ચકચાર મચી ગઈ છે.

અમદાવાદના શાહપુર વિસ્‍તારમાં આવેલા ન્‍યૂ એચ કોલોનીમાં આગ લાગી હોવાની માહિતી મળતા ફાયરની ટીમ પણ ઘટના સ્‍થળે પહોંચી હતી. જય ફાયરની ટીમે મહામહેનતે આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. જોકે હજી સુધી આગ કયા કારણોસર લાગી તે સામે નથી આવ્‍યું.

Related posts

કિંજલ દવેની પાંચ વર્ષની સગાઇ અને લાંબા સમય સુધી ચાલેલા પ્રેમનો થયો અંત, કિંજલની સગાઇ તૂટતા પરિવાર અને ફેનને લાગ્યો ઝટકો

Ahmedabad Samay

 ૧૦ વર્ષ પછી દેશમાં ગઠબંધન સરકારનો યુગ પાછો ફર્યો, મોદી સરકાર સામે છે આ પાંચ મોટા પડકારો

Ahmedabad Samay

અમદાવાદને હવે નવા ૧૦૦૦ કોવિડ બેડ ઉપલબ્ધ થશે.

Ahmedabad Samay

દદુ ચેરીટેબલ ટ્રસ્ટના જુંગીસિંહ  ચૌહાણ અને તેજન્દ્રસિંહ જુંગીસિંહ ચૌહાણ દ્વારા ૨૫ બેડની સુવિધા કરાઇ

Ahmedabad Samay

રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે યોજાશે સી.પી.આર. પ્રશિક્ષણ કેમ્પ: ૧૪૦૦ પોલીસને અપાશે પ્રાથમિક સારવારની તાલીમ

Ahmedabad Samay

અમદાવાદમાં આવાસોના મકાનોની રાહ જોતા લોકો માટે ગૂડ ન્યૂઝ, 2000થી વધુ મકાનોનો થશે ડ્રો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો