March 23, 2026
ગુજરાત

સ્કૂલની બેદરકારી આવી સામે,ઠક્કર બાપાનગર વિસ્તારમાં આવેલી રઘુવીર સ્કૂલનો ગુમ થયેલો વિદ્યાર્થી ગઈકાલે મોડી રાત્રે એક વાગે કાલુપુર રેલવે સ્ટેશન ઉપરથી મળી આવ્યો.

અમદાવાદના ઠક્કર બાપાનગર વિસ્તારમાં આવેલી રઘુવીર સ્કૂલનાં ધોરણ નવમાં અભ્યાસ કરતો  વિદ્યાર્થી સ્કૂલના બેદરકારીના કારણે ગુમ થયો, સ્કૂલમાંથી જ વિદ્યાર્થીને ઉઠાવી ગયા,

ગુમ થયેલ વિદ્યાર્થી ગઈકાલે મોડી રાત્રે એક વાગે કાલુપુર રેલવે સ્ટેશન ઉપરથી મળી આવ્યો. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર ઉપરથી વિદ્યાર્થી બદલાયેલા કપડામાં મળી આવતા અનેક સવાલ પેદા થયા છે. પરંતુ બાળક સુરક્ષિત મળી આવતા માતા પિતાએ રાહતનો શ્વાસ લીધો છે.

અમદાવાદ રેલવે સ્ટેશન પરથી મળી આવેલું બાળક જે સમયે રઘુવીર વિદ્યાવિહાર સ્કૂલમાંથી ગુમ થયું હતું, તે સમયે વિદ્યાર્થી સ્કૂલ ડ્રેસમાં દરવાજાની બહાર જતો નજરે પડ્યો હતો. પરંતુ રેલવે સ્ટેશન ઉપરથી મળી આવેલો વિદ્યાર્થી જુદા જ કપડામાં મળી આવતા અનેક સવાલ પેદા થયા.

વિદ્યાર્થીએ જણાવ્યું કે જે સમયે તે સ્કૂલની અંદર આંકડા ઉપર બેઠો હતો, તે સમયે તેની પાસેથી પસાર થઈ રહેલા વ્યકિતએ તેને પોતાની પાસે બહારની તરફ આવવા માટે કહ્યું અને ઇશારો કરીને પોતાની તરફ બોલાવ્યો હતો. આ અજાણી વ્યક્તિએ બોલાવતા વિદ્યાર્થી બાંકડા પરથી ઉભો થઈ તેની પાછળ ગયો અને એ અજાણી વ્યક્તિત્વ દ્વારા તેને લાલ બસમાં બેસાડીને લઈ જવામાં આવ્યો હતો. આ બાળક રેલવે સ્ટેશન કેવી રીતે પહોંચ્યું એ અંગે વિદ્યાર્થીએ પોતાને કાઈ જાણ ન હોવાનું રટણ કર્યું. જો કે એ અજાણી વ્યક્તિ તેને રેલ્વે સ્ટેશન સુધી લઈ ગઈ હોવાની વિદ્યાર્થીએ વાત કહી. એ અજાણી વ્યકિતએ ધોતી પહેરી હતી અને હાથમાં લાકડી હતી તે પ્રકારનું વિદ્યાર્થીએ નિવેદન આપ્યું છે.

બે દિવસ સુધી રેલવે સ્ટેશન ઉપર શું કર્યું તે અંગે પૂછવામાં આવતા વિદ્યાર્થીએ કહ્યું કે જે વ્યક્તિ તેને લઈ ગયો હતો તેણે તેને જમાડ્યો પણ હતો. બટાકાનું શાક અને રોટલી પોતે જમ્યાનું તેણે નિવેદન આપ્યું છે. વિદ્યાર્થીએ કહ્યું કે, જ્યારે એ અજાણી વ્યક્તિ તેને રેલ્વે સ્ટેશન સુધી લઈ ગયો, તે વખતે એક મૂંગા વ્યક્તિએ તે વ્યક્તિ સાથે ન જવા આ ઇશારો કરીને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ વિદ્યાર્થીએ કહ્યું કે તે સમયે પોતે કાંઈ સમજી શક્યો નહીં અને આખરે એ વ્યક્તિ રેલવે સ્ટેશન ઉપર આ બાળકને લઈને પહોંચ્યું હતું. બાળકે કહ્યું કે રેલવે સ્ટેશન ઉપર પણ તેની કોઈએ મદદ કરી ન હતી.

Related posts

અસારવા વિસ્તારમાં ના  બ્રહ્મચારી ના ડેલામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

શહીદ એ આઝમ ભગતસિંહની ૧૧૭મી જન્મજયંતિ નિમિત્તે જાણો તેમની રસપ્રદ વાતો

Ahmedabad Samay

CM ભૂપેન્દ્રભાઇ પટેલે સાયન્સ સિટીની ઉત્તરોત્તર વધતી લોકપ્રિયતાના સંદર્ભમાં આગામી સમયમાં નવા ઇનોવેટિવ આકર્ષણો જોડવા માટેના આયોજનની સમીક્ષા કરી

Ahmedabad Samay

અધુરા માસે જન્મેલી ફક્ત 750 ગ્રામની બાળકીને, જીસીએસ હોસ્પિટલમાં ડોક્ટરોએ આપ્યું નવજીવન

Ahmedabad Samay

મહેસાણાના ઊંઝાના ધારાસભ્ય ડો. આશા પટેલનું થયું નિધન

Ahmedabad Samay

રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે યોજાશે સી.પી.આર. પ્રશિક્ષણ કેમ્પ: ૧૪૦૦ પોલીસને અપાશે પ્રાથમિક સારવારની તાલીમ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો