June 24, 2026
દેશ

નાના પાટેકરે પોતાના નિર્મલા ગજાનન ફાઉન્ડેશન અંતર્ગત આ મુલાકાત લીધી, ૧૧૭ પરિવારોને કુલ ૪૨ લાખની મદદ આપવામાં આવી

ફિલ્મ અભિનેતા નાના પાટેકરએ પાકિસ્તાની ગોળીબારના પીડિતો સાથે મુલાકાત કરી અને રાહત સામગ્રી તથા આર્થિક મદદ આપી હતી. આ દરમિયાન તેઓ ભાવુક થઈ ગયા અને કહ્યું કે સરહદ પર રહેતા આપણા પોતાના લોકો છે, જેની સાથે અમે ઊભા છીએ.

નાના પાટેકરે પોતાના નિર્મલા ગજાનન ફાઉન્ડેશન અંતર્ગત આ મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે, ૭થી ૧૦ મેની વચ્ચે પાકિસ્તાન તરફથી થયેલા ગોળીબારમાં જીવ ગુમાવનારા અને ઘરનું નુકસાન વેઠનારા ૧૧૭ પરિવારોને કુલ ૪૨ લાખની મદદ આપવામાં આવી છે.

પાટેકરે જણાવ્યું કે, તેમણે એક ૧૧ વર્ષીય બાળકીના અભ્યાસની જવાબદારી ખુદ ઉઠાવી છે, જેના પિતા અમરીક સિંહનું મોત પૂંછમાં પાકિસ્તાની હુમલામાં થયું હતું. આ અમારી નાની એવી કોશિશ છે એ બતાવવાની કે સરહદ પર રહેનારા લોકો એકલા નથી. અમે સરકાર પર જ નિર્ભર ન રહેવું જોઈએ, દરેક વ્યક્તિએ આગળ આવીને કમસે કમ એક પરિવારને દત્તક લેવો જોઈએ. આ અવસર પર તેમની સાથે ૨૫મી ઈન્ફેન્ટ્રી ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ કૌશિક મુખર્જી અને રાજોરીના ડેપ્યુટી કમિશનર અભિષેક શર્મા પણ હાજર હતા.

તેમણે કહ્યું કે હું તો ખાલી એક ચહેરો છું. અસલી કામ પાછળથી થઈ રહ્યું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી અમિતાભ બચ્ચન અને જોની લીવર પણ આ કામમાં સહયોગ કરી રહ્યા છે. કામ તો અમારી ટીમ કરી રહી છે. આ શરૃઆત છે. અમે તેને ચાલું રાખીશું.નાના પાટેકરે જણાવ્યું કે તેમનું ફાઉન્ડેશન જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને કાશ્મીરમાં કુલ ૪૮ આર્મી ગુડવિલ સ્કૂલોને દત્તક લઈ ચૂકી છે, જેથી શિક્ષણની ગુણવત્તા અને પાયાની સુવિધામાં સુધારો લાવી શકાય.

Related posts

મહારાજા દિગ્વિજયસિંહના કારણે ગુજરાતમાં વસ્તુ હતું મીની પોલેન્ડ, જાણો ગર્વ મહેસુસ કરાવે તેવી અદભુત સ્ટોરી

Ahmedabad Samay

છૂટક ફુગાવો ૮ વર્ષની ટોચે પહોંચ્‍યા બાદ એપ્રિલ ૨૦૨૨માં જથ્‍થાબંધ ફુગાવાએ પણ નવો રેકોર્ડ બનાવ્‍યો હતો.

Ahmedabad Samay

BCCIએ સાઉથ આફ્રિકા સામેની ટી૨૦ સીરિઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની સ્‍કવોડની જાહેરાત,હાર્દિક પંડ્‍યા અને શુભમન ગિલની એન્ટ્રી

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઈ આજે જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા ખાતે જવાનો સાથે દિવાળી ઉજવવા પહોંચ્યા

Ahmedabad Samay

યુપીના મુખ્ય મંત્રી યોગી અદિત્યનાથનો ડંકો અમેરિકામાં વાગ્યો, અમેરિકામાં યોગી મોડલ ચર્ચામાં

Ahmedabad Samay

આખરે દીદીએ નંદીગ્રામ ગુમાવ્યું,સુભેંદુ અધિકારીએ તેમને ૧૬૨૨ મતે જીત મેળવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો