May 11, 2026
તાજા સમાચારદેશબિઝનેસ

એર ઇન્ડિયા, એર એશિયા, વિસ્તારા અને એર ઇન્ડિયા એક્સપ્રેસના મર્જરથી અન્ય એરલાઇન્સમાં ફફડાટ,શું આ ચાંડાળ ચોકળી બધી એરલાઇન્સના તાળા બંધ કરાવી દેશે ?

સૂત્રો અનુસાર એર ઇન્ડિયા, એર એશિયા ઇન્ડિયા, વિસ્તારાં,અને એર ઇન્ડિયા એક્સ્પ્રેસ ચારેય એર લાઇન્સ કંપનીઓનું મર્જર થયા બાદ અન્ય એરલાઇન્સમાં ફફડાટ મચી છે, આ ચારેય એરલાઇન્સના મર્જરથી એવિએશન સેકટરમાં મોટા ફેરફાર થવાના એંધાણ છે, એર એશિયા ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ મળીને તમામ ડોમેસ્ટિક સેકટર ઉપર રાજ કરશે અને તમામ રાજ્યોમાં પોતાની હવાઈ સેવા પૂરી પાડશે અને એર ઇન્ડિયા અને વિસ્તારા મળીને ઇન્ટરનેશનલ સેકટર પર પોતાનો હાવ જમાવશે,

મર્જર થવાની સાથે જ સ્પાઇસ જેટ, ઈન્ડિગો અને ગો એર ઉપર અસર જોવા મળી રહી છે, સ્પાઇસ જેટ ઉપર મર્જરની વધુ અસર જોવા મળી રહી છે, તેજ રીતે એર ઇન્ડિયા અને વિસ્તારા ના મર્જરના કારણે બન્ધ પડેલી જેટ એરવેઝ ફરી ચાલુ થવાની હતી પરંતુ તે પણ આ મર્જરને કારણે હિંમત નથી કરી રહ્યું

સૂત્રો અનુસાર એર ઇન્ડિયા, એર એશિયા ઇન્ડિયા, વિસ્તારાં,અને એર ઇન્ડિયા એક્સ્પ્રેસ ચારેય એર લાઇન્સ કંપનીઓનું મર્જર થયુ છે.જેમાં એર ઇન્ડિયા અને વિસ્તારાનું મર્જ થયું છે.આગામી દિવસોમાં વિસ્તારા નામ નીકળી જશે. એવી જ રીતે એર એશિયા ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ નું મર્જ થયું છે.અને આગામી દિવસમાં આ કંપનીનું નામ એર ઇન્ડિયા એક્સપ્રેસ રહેશે.

મર્જર અને નવા શિડયુલ તૈયાર કરવાને કારણે એર ઇન્ડિયાની ફ્લાઇટો આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ઓપરેટ થશે જ્યારે એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટો માત્ર ડોમેસ્ટીક પુરતી જ મર્યાદિત રહેશે. સાંજની ફ્લાઇટ જે બંધ થઇ છે તે પણ થોડા મહિના માટે જ છે, અને જ્યારે તમામ શિડયુલ અને મર્જરની પ્રક્રિયા પુરી થઇ જાય ત્યારબાદ ફરીવાર દિલ્હીની સાંજની ફ્લાઇટ

ટાટા ગ્રુપના એવિએશન સેકટરમાં મર્જર ના કારણે યાત્રીઓ ને ફાયદો થશે, તેમની વધુ સારી સુવિધાઓ મળશે તેવી આશા છે.

Related posts

બિહારમાં બી.એસ.એફ જવાન સહિત તેના ૦૬ ભાઈઓ પર તલવારો અને બંદૂકોથી હુમલો કરવામાં આવ્યો

Ahmedabad Samay

નેપાળના વડાપ્રધાને ફરી ભારત વિરોધી નિવેદન આપ્યું

Ahmedabad Samay

EU એ લગભગ ૭૫૦ મિલિયનની સમગ્ર યુરોપિયન વસ્‍તીને સતર્ક રહેવા ચેતવણી આપી, ભયાનક યુદ્ધ જેવી સ્થિતિ

Ahmedabad Samay

ભાજપે પ્રથમ યાદી કરી જાહેર, આજે સવારે ભાજપે ૧૮૨ બેઠકો પૈકી ૧૦૦ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી.

Ahmedabad Samay

મથુરા અને કાશીમાં ભવ્ય શ્રી રામ મંદિરના નિર્માણ માટે ટૂંક સમયમાં વિચારણા કરવામાં આવશે

Ahmedabad Samay

મારુતિ લોન્ચ કરશે ઇલેક્ટ્રિક મારુતિ 800

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો