March 26, 2026
તાજા સમાચારદેશબિઝનેસ

એર ઇન્ડિયા, એર એશિયા, વિસ્તારા અને એર ઇન્ડિયા એક્સપ્રેસના મર્જરથી અન્ય એરલાઇન્સમાં ફફડાટ,શું આ ચાંડાળ ચોકળી બધી એરલાઇન્સના તાળા બંધ કરાવી દેશે ?

સૂત્રો અનુસાર એર ઇન્ડિયા, એર એશિયા ઇન્ડિયા, વિસ્તારાં,અને એર ઇન્ડિયા એક્સ્પ્રેસ ચારેય એર લાઇન્સ કંપનીઓનું મર્જર થયા બાદ અન્ય એરલાઇન્સમાં ફફડાટ મચી છે, આ ચારેય એરલાઇન્સના મર્જરથી એવિએશન સેકટરમાં મોટા ફેરફાર થવાના એંધાણ છે, એર એશિયા ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ મળીને તમામ ડોમેસ્ટિક સેકટર ઉપર રાજ કરશે અને તમામ રાજ્યોમાં પોતાની હવાઈ સેવા પૂરી પાડશે અને એર ઇન્ડિયા અને વિસ્તારા મળીને ઇન્ટરનેશનલ સેકટર પર પોતાનો હાવ જમાવશે,

મર્જર થવાની સાથે જ સ્પાઇસ જેટ, ઈન્ડિગો અને ગો એર ઉપર અસર જોવા મળી રહી છે, સ્પાઇસ જેટ ઉપર મર્જરની વધુ અસર જોવા મળી રહી છે, તેજ રીતે એર ઇન્ડિયા અને વિસ્તારા ના મર્જરના કારણે બન્ધ પડેલી જેટ એરવેઝ ફરી ચાલુ થવાની હતી પરંતુ તે પણ આ મર્જરને કારણે હિંમત નથી કરી રહ્યું

સૂત્રો અનુસાર એર ઇન્ડિયા, એર એશિયા ઇન્ડિયા, વિસ્તારાં,અને એર ઇન્ડિયા એક્સ્પ્રેસ ચારેય એર લાઇન્સ કંપનીઓનું મર્જર થયુ છે.જેમાં એર ઇન્ડિયા અને વિસ્તારાનું મર્જ થયું છે.આગામી દિવસોમાં વિસ્તારા નામ નીકળી જશે. એવી જ રીતે એર એશિયા ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ નું મર્જ થયું છે.અને આગામી દિવસમાં આ કંપનીનું નામ એર ઇન્ડિયા એક્સપ્રેસ રહેશે.

મર્જર અને નવા શિડયુલ તૈયાર કરવાને કારણે એર ઇન્ડિયાની ફ્લાઇટો આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ઓપરેટ થશે જ્યારે એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટો માત્ર ડોમેસ્ટીક પુરતી જ મર્યાદિત રહેશે. સાંજની ફ્લાઇટ જે બંધ થઇ છે તે પણ થોડા મહિના માટે જ છે, અને જ્યારે તમામ શિડયુલ અને મર્જરની પ્રક્રિયા પુરી થઇ જાય ત્યારબાદ ફરીવાર દિલ્હીની સાંજની ફ્લાઇટ

ટાટા ગ્રુપના એવિએશન સેકટરમાં મર્જર ના કારણે યાત્રીઓ ને ફાયદો થશે, તેમની વધુ સારી સુવિધાઓ મળશે તેવી આશા છે.

Related posts

લાલ નિશાનમાં ખુલ્યું શેરબજાર, સેન્સેક્સ 146 પોઈન્ટ ઘટીને 65,699 પોઈન્ટ પર પહોંચ્યો, નિફ્ટીમાં પણ નબળાઈ

Ahmedabad Samay

અર્નબ ગોસ્વામી વિરૂધ્ધ કાર્યવાહી આપાતકાલની યાદ અપાવે છે : ગૃહમંત્રી અમિતશાહ

Ahmedabad Samay

રૂસી સેના ખારકીવમાં ઘુસી પૂર્વી શહેર ખારકીવમાં એક સ્‍થાનિક હોસ્‍પીટલ ઉપર હૂમલો

Ahmedabad Samay

હાલમાં સામાન્‍ય લોકોની EMIમાં કોઈ ફેરફાર થશે નહીં

Ahmedabad Samay

દિલ્‍હી વિધાનસભાના મત EVM માં થયા કે, ૭૦૦ ઉમેદવારોનું ભાવિ નક્કી કરાશે. પરિણામો ૮ ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે,

Ahmedabad Samay

દેશને હચમચાવીદે તેવી ઘટના,શ્રીનગરમાં હિન્દુ અને શિખ શિક્ષકને સ્કૂલમાં ઘૂસીને આતંકવાદીઓએ મોતને ઘાટ ઉતાર્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો