March 25, 2026
ગુજરાત

સમાનતા ફાઉન્ડેશન-ગુજરાત સંસ્થા અને ગુજરાત એક્સ પેરામિલિટરી અસોસિએશન સંસ્થા દ્વારા પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

સમાનતા ફાઉન્ડેશન-ગુજરાત સંસ્થા અને ગુજરાત એક્સ પેરામિલિટરી અસોસિએશન સંસ્થા દ્વારા સંયુક્ત રીતે ગતરોજ અમદાવાદમાં 14 ફેબ્રુઆરીના રોજ પુલવામા થયેલ  હુમલામા શહીદ થયેલ CRPFના જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ તારીખ : 14 ફેબ્રુઆરી-2023, મંગળવાર • સમય : સાંજે 7.00 થી 8.30 કલાકે • સ્થળ : ‘શહીદ અમર જ્યોત સ્મારક’, સરદાર પટેલ મ્યુઝિયમ પાસે, શાહીબાગ-ડફનાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત ગુજરાતના વડોદરા અને રાજકોટ શહેરમાં પણ અમારી સંસ્થાઓ દ્વારા “પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ” આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં અમે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા એક ‘કેન્ડલ માર્ચ’ સરદાર પટેલ મેમોરિયલ મ્યુઝીઅમ થી શહીદ અમર જ્યોત સ્મારક સુધી યોજી હતી. જે કેન્ડલ માર્ચમાં યોજી ‘શહીદો અમર રહો’, ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’નાં નારા લગાવ્યા હતા.

બાદમાં શહિદ સ્મારક પાસે દેશ માટે બલિદાન આપનાર વીર શહીદો માટે 2 મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ “પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ” કાર્યક્રમ અમે ‘સમાનતા ફાઉન્ડેશન-ગુજરાત’ અને ”ગુજરાત એક્સ પેરામિલિટરી અસોસિએશન’ સંસ્થા દ્વારા સંયુક્ત રીતે આ દેશપ્રેમનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Related posts

ગાંધીનગરનું અક્ષરધામ, શાહીબાગ સ્થિત BAPS મંદિર અને શહેરના તમામ સંસ્કારધામોને 30 નવેમ્બર સુધી ભક્તો માટે બંધ

Ahmedabad Samay

દાનવીર મહિપતસિંહ બાપુએ કર્યું પંચોતેર કરોડનું દાન

Ahmedabad Samay

આજે વડાપ્રધાન મોદીજીના હસ્તે ૧૦:૩૦ કલાકે ભારતમાં COVID-19 રસીકરણ અભિયાનની શરૂઆત થશે.

Ahmedabad Samay

અમદાવાદના કૃષ્ણનગરમાં ૭ થી ૮ લોકોએ એક યુવકની જાહેરમાં ઘાતકી હત્યા

Ahmedabad Samay

લોકડાઉન કરો અથવા નિયમો કડક બનાવો આ પ્રકારે લાચાર તંત્રથી કોરોના કાબુમાં નહી આવે: હાઇકોર્ટ

Ahmedabad Samay

હવામાન વિભાગ દ્વારા ભીષણ ગરમીને લઈને એલર્ટ અપાયું છે,આજથી અમદાવાદમાં પાંચ દિવસ સુધી રેડ એલર્ટ જાહેર કરાયું.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો