August 8, 2026
ગુજરાત

સમાનતા ફાઉન્ડેશન-ગુજરાત સંસ્થા અને ગુજરાત એક્સ પેરામિલિટરી અસોસિએશન સંસ્થા દ્વારા પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

સમાનતા ફાઉન્ડેશન-ગુજરાત સંસ્થા અને ગુજરાત એક્સ પેરામિલિટરી અસોસિએશન સંસ્થા દ્વારા સંયુક્ત રીતે ગતરોજ અમદાવાદમાં 14 ફેબ્રુઆરીના રોજ પુલવામા થયેલ  હુમલામા શહીદ થયેલ CRPFના જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ તારીખ : 14 ફેબ્રુઆરી-2023, મંગળવાર • સમય : સાંજે 7.00 થી 8.30 કલાકે • સ્થળ : ‘શહીદ અમર જ્યોત સ્મારક’, સરદાર પટેલ મ્યુઝિયમ પાસે, શાહીબાગ-ડફનાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત ગુજરાતના વડોદરા અને રાજકોટ શહેરમાં પણ અમારી સંસ્થાઓ દ્વારા “પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ” આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં અમે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા એક ‘કેન્ડલ માર્ચ’ સરદાર પટેલ મેમોરિયલ મ્યુઝીઅમ થી શહીદ અમર જ્યોત સ્મારક સુધી યોજી હતી. જે કેન્ડલ માર્ચમાં યોજી ‘શહીદો અમર રહો’, ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’નાં નારા લગાવ્યા હતા.

બાદમાં શહિદ સ્મારક પાસે દેશ માટે બલિદાન આપનાર વીર શહીદો માટે 2 મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ “પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ” કાર્યક્રમ અમે ‘સમાનતા ફાઉન્ડેશન-ગુજરાત’ અને ”ગુજરાત એક્સ પેરામિલિટરી અસોસિએશન’ સંસ્થા દ્વારા સંયુક્ત રીતે આ દેશપ્રેમનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Related posts

ખુશ્બૂ ગુજરાત કી – 12 વર્ષ બાદ મહાનાયક અમિતાભ બચ્ચન ગુજરાતની નવી જગ્યાઓનું કરશે પ્રમોશન

Ahmedabad Samay

GTUમાં કાયમી પરીક્ષા નિયામકની માગ કરવામાં આવી, ઘણા સમયથી કાયમી ભરતી નથી થઈ

Ahmedabad Samay

SG હાઈવે ઉપર અંદાજે ૨૫ હજાર ચોરસ મીટર જગ્‍યામાં રુપિયા ૨૦ કરોડના ખર્ચથી લોટસ પાર્ક બનાવવામાં આવશે

Ahmedabad Samay

લાલો ફિલ્મે વિશ્વભરમાં ₹૧૦૦ કરોડનું ગ્રોસ કલેક્શન કરનારી સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ બનીને

Ahmedabad Samay

31મી ડિસેમ્બરના ઉજવણી દરમિયાન દારૂ પાર્ટી અને ગેરકાયદે દારૂની હેરાફેરી અટકાવવા પોલીસે સઘન ચેકીંગ હાથ ધર્યું

Ahmedabad Samay

અખબારનગર અંડર પાસમાં પુરઝડપે જતી બીઆરટીએસ બસ અંડર પાસની દિવાલ સાથે ધડાકાભેર ટકરાઈ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો