March 23, 2026
ગુજરાત

પ્રાંતિજ શેઠ.પીએન્ડ આર પ્રાથમિક વિભાગ માં રંગારંગ કાર્યક્રમ ” ખિલખિલાટ નુ સુંદર આયોજન

પ્રાંતિજ નગરપાલિકા સંચાલિત શેઠ.પીએન્ડ આર હાઇસ્કુલ ના પ્રાથમિક વિભાગ મા દરવર્ષ ની જેમ આ વર્ષેપણ વાર્ષિકોત્સવ રંગારંગ અંતર્ગત ” ખિલખિલાટ ”  કાર્યક્રમ યોજાયો હતો જેમા પ્રાથમિક વિભાગ ના આચાર્ય હિરેનભાઇ શાહના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમ મા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા , મહંત સુનીલદાસજી મહારાજ , ભૃગવેન્દ્રસિંહ કુંપાવત , પૂર્વ પ્રમુખ અરવિંદભાઇ પરમાર , ગીરીશભાઈ પટેલ , નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ , હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ  , નિકુલભાઇ રામી , રાજેશભાઇ ટેકવાણી , સંદીપ ભાઇ શાહ , મીઠાભાઇ પટેલ , વગેરે ઉપસ્થિત રહ્યા હતા તો કાર્યક્રમ અંતર્ગત એકથીએક ચડિયાતા પરફોર્મન્સ રજુકરી ને બાળકોને દર્શકોના દિલજીતી લીધા હતા ડાન્સ , પિરામિડ , દેશભકિત ગીતો , માની મમતા ના ગીત , કોરોના કાળના હદય સ્પર્શી દ્રશ્યો નો ચિતાર ગીત દ્રારા રજુઆત કરી ને બાળકોએ તેમનામા રહેલ અદભૂત શકિતનો પરિચય કરાવ્યો હતો ત્યારે કોરોના કાળમા વસમી વિદાય લઈ ચુકેલા સ્નેહીજનો માટે કેટલાક દર્શકોની આંખો માં ઝળઝળીયા જોવા મળ્યા હતા આત્મ નિર્ભર પ્રાથમિક વિભાગ ના આચાર્ય હિરેનભાઇ શાહ તેમજ તેમના સ્ટાફ ને મંચસ્થ મહાનુભાવોએ આવો સુંદર કાર્યક્રમ નુ આયોજન કરવા બદલ અભિનંદન આપ્યા અને શાળા પરિવાર ના સાલિયાબેન તેમજ હિનાબેને બાળકોને પર ફોમન્સ આપવા ખુબજ જહેમત ઉઠાવીને તૈયાર કર્યા હતા તો દર્શકો અને મંચસ્થ મહાનુભાવોએ દરેક પરફોર્મન્સ નીહાળીને દાનની વર્ષા વરસાવી હતી તો બાળકો ને વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓમા વિજય થયેલ બાળકોને ઉપસ્થિત મહેમાનોના હસ્તે ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા તો સમગ્ર કાર્યક્રમ નુ સુંદર  એલાઉન્સમેન્ટ મહેન્દ્ર ભાઇ પ્રજાપતિ દ્રારા કરવામા આવ્યુ હતો

Related posts

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ હિંદુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ હિન્દૂ સેના દ્વારા FIR નોંધવા અરજી કરાઇ

Ahmedabad Samay

અમદાવાદના કાલુપુરમાં યુવતીની છેડતી

Ahmedabad Samay

સિવિલ હોસ્પિટલનો ગેટ નં:૦૬ બંધ રહેતા ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે

Ahmedabad Samay

સેવન્‍થ ડે સ્‍કૂલમાં અભ્‍યાસ કરતા ૧૦માં ધોરણના વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થી દ્વારા તીક્ષ્ણ સાધન વડે હુમલો કરવામાં આવ્‍યો હતો. આ હુમલામાં વિદ્યાર્થી સારવાર દરમિયાન મૃત્યુ પામ્યો

Ahmedabad Samay

૨૧થી ધો.૦૯ થી ૧૨ માટે સ્કૂલો ખુલશે, કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૦થી શાળાઓ ફરીથી ખોલવા માટે વિશેષ માર્ગદર્શિકા જારી કરી છે.

Ahmedabad Samay

ઠક્કરનગરમાં વિરલ ગોલ્ડ પેલેસમાં કરેલી લૂંટનો સી.સી.ટી.વી. ફૂટેજ આવ્યો સામે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો