June 27, 2026
તાજા સમાચાર

દરિયામાં ડૂબી જશે આ દેશની રાજધાની, જાણો શું છે કારણ? રાષ્ટ્રપતિએ લીધો આ મોટો નિર્ણય

દુનિયામાં કેટલાક એવા શહેરો છે જે ડૂબવાના આરે છે. આમાંથી એક ઇન્ડોનેશિયાનું શહેર અને રાજધાની જકાર્તા છે. તે ઝડપથી સમુદ્રમાં ડૂબી રહ્યું છે, જેના કારણે તે હવે ઇન્ડોનેશિયાની રાજધાની નહીં રહે. ભૂકંપનું જોખમ ધરાવતું શહેર જકાર્તા શહેર જાવા સમુદ્રમાં ડૂબી રહ્યું છે. આ કારણોસર, જકાર્તા છોડીને, બોર્નિયો ટાપુ પર નવી રાજધાની બનાવવામાં આવી રહી છે. આ નવી રાજધાની બોર્નિયોના પૂર્વ કાલિમંતન પ્રાંતમાં 256,000 હેક્ટર જમીન પર સ્થાપિત કરવામાં આવી રહી છે.

જકાર્તાની આ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ દેશની નવી રાજધાની બનાવવાની કલ્પના કરી હતી, જે હવે સાકાર થઈ રહી છે. તેઓએ ઓછી વસ્તી સાથે ટકાઉ રાજધાની બનાવવાની મંજૂરી આપી દીધી છે. ઈન્ડોનેશિયાના અધિકારીઓનું કહેવું છે કે નવી રાજધાની ‘ટકાઉ ફોરેસ્ટ સીટી’, હશે, જ્યાં વિકાસ માટે પર્યાવરણનું રક્ષણ કરવું એ પ્રથમ પ્રાથમિકતા હશે. નવી રાજધાનીને 2045 સુધીમાં કાર્બન-તટસ્થ બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.

નવી રાજધાનીનું સ્થળ જંગલ વિસ્તાર અને આદિવાસીઓની જમીન

જકાર્તા છોડીને બોર્નિયોમાં નવી રાજધાની સ્થપાઈ રહી છે. હકીકતમાં તે જંગલ વિસ્તાર છે. જંગલી પ્રાણીઓની વિવિધ પ્રજાતિઓ અને આદિવાસી પ્રજાતિઓ અહીં રહે છે. આવી જગ્યાએ રાજધાની સ્થાપવા બાબતે વિવાદ પણ ઉભો થયો છે. પર્યાવરણવાદીઓએ ચેતવણી આપી છે કે રાજધાની મોટા પાયે વનનાબૂદી તરફ દોરી જશે, ઓરંગુટાન જેવી લુપ્તપ્રાય પ્રજાતિઓના રહેઠાણોને જોખમમાં મૂકશે અને આદિવાસી વસવાટો છીનવી લેશે.

શા માટે ઇન્ડોનેશિયા તેની રાજધાની બદલી રહ્યું છે?

હાલમાં ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં લગભગ એક કરોડ લોકો રહે છે. તેને વિશ્વનું સૌથી ઝડપથી ડૂબતું શહેર ગણાવવામાં આવ્યું છે. હાલની સ્થિતિને જોતાં એવો અંદાજ છે કે 2050 સુધીમાં શહેરનો એક તૃતીયાંશ ભાગ ડૂબી જશે. તેનું મુખ્ય કારણ ભૂગર્ભ જળનો વધુ પડતો ઉપાડ હોવાનું કહેવાય છે. જળવાયુ પરિવર્તનને કારણે જાવા સમુદ્રનું જળસ્તર સતત વધી રહ્યું છે. આ કારણોસર, રાજધાની તેમાં સમાઈ રહી છે.

Related posts

કોંગ્રેસ પાર્ટીએ દિલ્હી વિધાનસભામાં સતત ત્રીજી વાર ચૂંટણીમાં હારી હેટ્રિક મારી

Ahmedabad Samay

સુપ્રીમ કોર્ટે મમતા સરકાર, બંગાળ પોલીસ અને હોસ્પિટલ પ્રશાસન પર અનેક સવાલો ઉઠાવ્યા હતા,જાણો સુપ્રીમ કોર્ટમાં થયેલ સુનાવણીની 10 મોટી વાતો

Ahmedabad Samay

LIVE બજેટ- શિક્ષણ વિભાગ માટે 43,651 કરોડની જોગવાઈ, ચૂંટણીમાં શિક્ષણ વિપક્ષ માટે મોટો મુદ્દો હતો

Ahmedabad Samay

મોરબી દુર્ઘટનાના લોકોના જીવ બચાવનાર રિયલ હીરો સમાન ગુજરાત પોલીસને દિલથી સલામ

Ahmedabad Samay

અવકાશયાત્રી સુનિતા વિલિયમ્‍સ અને બુચ વિલ્‍મોર ૯ મહિના અને ૧૪ દિવસ બાદ ધરતી પર પાછા ફર્યા

Ahmedabad Samay

કેન્‍દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફયુઅલ પર એક્‍સાઇઝ ડ્‍યુટી ઘટાડી, જોકે, આનાથી છૂટક ભાવમાં કોઈ ઘટાડો થશે નહી.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો