May 13, 2026
તાજા સમાચાર

દરિયામાં ડૂબી જશે આ દેશની રાજધાની, જાણો શું છે કારણ? રાષ્ટ્રપતિએ લીધો આ મોટો નિર્ણય

દુનિયામાં કેટલાક એવા શહેરો છે જે ડૂબવાના આરે છે. આમાંથી એક ઇન્ડોનેશિયાનું શહેર અને રાજધાની જકાર્તા છે. તે ઝડપથી સમુદ્રમાં ડૂબી રહ્યું છે, જેના કારણે તે હવે ઇન્ડોનેશિયાની રાજધાની નહીં રહે. ભૂકંપનું જોખમ ધરાવતું શહેર જકાર્તા શહેર જાવા સમુદ્રમાં ડૂબી રહ્યું છે. આ કારણોસર, જકાર્તા છોડીને, બોર્નિયો ટાપુ પર નવી રાજધાની બનાવવામાં આવી રહી છે. આ નવી રાજધાની બોર્નિયોના પૂર્વ કાલિમંતન પ્રાંતમાં 256,000 હેક્ટર જમીન પર સ્થાપિત કરવામાં આવી રહી છે.

જકાર્તાની આ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ દેશની નવી રાજધાની બનાવવાની કલ્પના કરી હતી, જે હવે સાકાર થઈ રહી છે. તેઓએ ઓછી વસ્તી સાથે ટકાઉ રાજધાની બનાવવાની મંજૂરી આપી દીધી છે. ઈન્ડોનેશિયાના અધિકારીઓનું કહેવું છે કે નવી રાજધાની ‘ટકાઉ ફોરેસ્ટ સીટી’, હશે, જ્યાં વિકાસ માટે પર્યાવરણનું રક્ષણ કરવું એ પ્રથમ પ્રાથમિકતા હશે. નવી રાજધાનીને 2045 સુધીમાં કાર્બન-તટસ્થ બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.

નવી રાજધાનીનું સ્થળ જંગલ વિસ્તાર અને આદિવાસીઓની જમીન

જકાર્તા છોડીને બોર્નિયોમાં નવી રાજધાની સ્થપાઈ રહી છે. હકીકતમાં તે જંગલ વિસ્તાર છે. જંગલી પ્રાણીઓની વિવિધ પ્રજાતિઓ અને આદિવાસી પ્રજાતિઓ અહીં રહે છે. આવી જગ્યાએ રાજધાની સ્થાપવા બાબતે વિવાદ પણ ઉભો થયો છે. પર્યાવરણવાદીઓએ ચેતવણી આપી છે કે રાજધાની મોટા પાયે વનનાબૂદી તરફ દોરી જશે, ઓરંગુટાન જેવી લુપ્તપ્રાય પ્રજાતિઓના રહેઠાણોને જોખમમાં મૂકશે અને આદિવાસી વસવાટો છીનવી લેશે.

શા માટે ઇન્ડોનેશિયા તેની રાજધાની બદલી રહ્યું છે?

હાલમાં ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં લગભગ એક કરોડ લોકો રહે છે. તેને વિશ્વનું સૌથી ઝડપથી ડૂબતું શહેર ગણાવવામાં આવ્યું છે. હાલની સ્થિતિને જોતાં એવો અંદાજ છે કે 2050 સુધીમાં શહેરનો એક તૃતીયાંશ ભાગ ડૂબી જશે. તેનું મુખ્ય કારણ ભૂગર્ભ જળનો વધુ પડતો ઉપાડ હોવાનું કહેવાય છે. જળવાયુ પરિવર્તનને કારણે જાવા સમુદ્રનું જળસ્તર સતત વધી રહ્યું છે. આ કારણોસર, રાજધાની તેમાં સમાઈ રહી છે.

Related posts

મહારાષ્ટ્રના બારામતી ખાતે થયું પ્લેન ક્રેશ, મહારાષ્ટ્રના નાયબ મુખ્‍યમંત્રી અજિત પવારનું થયું અવસાન

Ahmedabad Samay

પ્રવીણ નેતારુના હત્યા કેસમાં ચોંકાવનારી માહિતી આવી સામે,આગામી ૨૪ વર્ષ એટલે કે ૨૦૪૭ સુધીમાં ભારતને ઈસ્‍લામિક દેશ બનાવવાનું કાવતરું આવ્યું સામે

Ahmedabad Samay

મણિપુરમાં સેલ્ફીની બાબતે ફરી એકવાર હિંસા ફાટી નીકળી

Ahmedabad Samay

અમદાવાદ બાદ હવે સુરતમાં મેટ્રોનું કાઉન્ટડાઉન શરૂ, લોકસભાની ચૂંટણી પહેલા મેટ્રો શરુ કરવાની તંત્રની તૈયારી

Ahmedabad Samay

વડાપ્રધાને આજે અયોધ્યા રેલ્વે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું

Ahmedabad Samay

કોરોનાએ ફરી ઉથલો માર્યો છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં કોવિડ-૧૯ના કેસ વધ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો