May 15, 2026
ગુજરાત

ગાંધીનગર: નોકરી શોધતા યુવાનો માટે સારા સમાચાર, 14થી 18 માર્ચ સુધી અહીં થશે ભરતી મેળાનું આયોજન

નોકરીની શોધ કરતા યુવક-યુવતીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. અમદાવાદ અને ગાંધીનગરની 4 કોલેજ દ્વારા 14થી 16 માર્ચ સુધી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાર બાદ 18 માર્ચે શ્રમ અને રોજગાર કલ્યાણ વિભાગ હસ્તકની રોજગાર કચેરી દ્વારા પણ એક ભરતી મેળો યોજાશે.

માહિતી મુજબ, ગાંધીનગર અને અમદાવાદની વિવિધ વિદ્યાશાખાની 4 સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ કોલેજોના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે આ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ ભરતી મેળો 14થી 16 માર્ચ દરમિયાન યોજાશે. ગાંધીનગર કોમર્સ કોલેજ ખાતે 14 માર્ચે જ્યારે 15 અને 16 માર્ચે ગાંધીનગરની પોલિટેકનિક કોલેજમાં ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે 15 માર્ચે અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી આર્ટર્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ભરતી મેળો યોજાશે.

રોજગાર મેળામાં 450 જેટલી કંપનીઓ ભાગ લેશે

જ્યારે સ્વામિનારાયણ આર્ટર્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પણ 15 માર્ચે રોજગાર મેળાનું આયોજન કરાયું છે. જણાવી દઈએ કે, ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. માહિતી મુજબ, આ રોજગાર મેળામાં 450 જેટલી કંપનીઓ ભાગ લેશે. ઉપરાંત, શ્રમ અને રોજગાર કલ્યાણ વિભાગ હસ્તકની રોજગાર કચેરી દ્વારા પણ એક ભરતી મેળાનું આયોજન કરાયું છે, જે 18 માર્ચે યોજાશે અને આ મેળામાં ઇન્ટરવ્યૂના આધારે 500થી વધુ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ભરતી મેળામાં ધો.9,10 અને 12 પાસ સહિત ગ્રેજ્યુએટ ઉમેદવારો ભાગ લઈ શકશે.

Related posts

અમદાવાદના ખાનપુર ખાતેના ભાજપ કાર્યાલય પર ભાજપે જીતની ઉજવણી કરી

Ahmedabad Samay

અમદાવાદ – શારદાબેન હોસ્પિટલમાં ભોજનમાં ગરોળી નિકળવા મામલે એએમસી દ્વારા તપાસ તેજ

Ahmedabad Samay

ધોળા દિવસે જવેલર્સમાં લૂંટના પ્રયાસ કરનાર દંપતીની પૂછપરછમાં અનેક ખુલાસા થયા

Ahmedabad Samay

શ્રી રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક દિવસને રામ કુટિર ફ્લેટ દ્વારા ધામ ધૂમથી ઉજવણી કરાઇ, સીતા રામ અને લક્ષ્મણજીની રંગોળી બનાવાઈ

Ahmedabad Samay

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી ની અધ્યક્ષતામાં અમદાવાદની સીટી મામલતદાર મણિનગરની કચેરી ખાતે ‘સ્વાગત સપ્તાહ’ નિમિતે ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay

ગુજરાતમાં તા. ૧ ઓકટોબરથી સ્વચ્છ ભારત અભિયાન શરૂ થશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો