February 14, 2026
ગુજરાત

હિન્દુહ્રદયસમ્રાટ, શ્રીછત્રપતિ શિવાજી મહારાજની ૩૯૫મી જન્મજયંતી નિમિત્તે ભવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે

શ્રી છત્રપતિ શિવજી રાજે ચેરિટેબલટ્રસ્ટ સર્વ સમાજની એકતા અને વિકાસ માટે અવિરત કાર્ય કરી રહી છે. આદિલશાહી અને મુગલસલ્તનતની પાયાને હલાવી નાખનારા, આપણાં સર્વના પ્રણેતા, આપણા સર્વના આદર્શ અને ગુરુ, હિન્દુ સ્વરાજ્યના સ્થાપક અને હિન્દુહ્રદયસમ્રાટ, શ્રીછત્રપતિ શિવાજી મહારાજની ૩૯૫મી જન્મજયંતી નિમિત્તે સર્વ સમાજના એકતા અને વિકાસમાટે, તેમજ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જીવનગાથાને વધુ લોકો સુધી પહોંચાડવા અને એક ભારત – શ્રેષ્ઠ ભારતબનાવવા માટે, દરેક સમાજના લોકોમાં એકસંપ નિર્માણથાય તે હેતુસર, છેલ્લા૯ વર્ષની જેમ આવર્ષે પણ સતત ૧૦માં વર્ષે શોભાયાત્રા, જાહેરસભા તેમજસાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

નારી તું નારાયણી સ્લોગનને સાર્થક કરવા માટે મહિલા સશક્તિકરણ, નારી ઉત્થાન અને મહિલા જાગૃતિ માટે ભવ્ય મહિલા બાઇક રેલી નું પણ યોજન કરવામાં આવ્યું છે.

સંસ્થા દ્વારા સમયાંતરે સામાજિક સેવાઓજેમકે સિવિલ અસ્પતાલમાં દર્દીઓને ભોજન નિરાધારને અનાજ-કરિયાણા ની કિટનું વિતરણ, ઠંડીમાં જરૂરિયાતમંદને ધાબળા વિતરણ, બ્લડ ડોનેશનકેમ્પ, પક્ષી-પ્રાણી બચાઓકાર્યક્રમ, સ્વચ્છતા અભિયાન, લોકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા શિક્ષણકીટનું વિતરણવગેરે ઉમદા સેવાકીય પ્રવૃત્તિઓકરવામાં આવે છે.

ટ્રસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમોલભાઉ ધબડકે દ્વારા આપ સૌને ઉપરોક્ત ધાર્મિક કાર્યક્રમમાં આપશ્રીને પધારવા ભાવભીનું આમંત્રણ છે.

Related posts

નરોડા વિસ્તારમા એક યુવકે મંગેતરના માનસિકત્રાસથી આપઘાત કર્યો

Ahmedabad Samay

પરપ્રાંતીયો માટે કવચ સમાન આવ્યું ઉતરભારતીય વિકાસ પરિષદ

Ahmedabad Samay

બાલવાટિકા બાળકો અને પરિવારો માટે લોકપ્રિય મનોરંજન સ્‍થળ હવે નવા રૂપમાં તૈયાર

Ahmedabad Samay

વડોદરામાં એક સાથે પરિવારના છ સભ્યોએ કરી આત્મહત્યા, ૩ ના મૃત્યુ ૩ સારવાર ગંભીર હાલતમાં

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા હલદી કુંકુ કાર્યક્રમ ઉજવાયો

Ahmedabad Samay

અમદાવાદ: ભાજપ ધારાસભ્ય જીતુ વાઘાણીને હાઈકોર્ટનું સમન્સ, જાણો શું છે સમગ્ર મામલો?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો