June 22, 2026
ગુજરાત

હિન્દુહ્રદયસમ્રાટ, શ્રીછત્રપતિ શિવાજી મહારાજની ૩૯૫મી જન્મજયંતી નિમિત્તે ભવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે

શ્રી છત્રપતિ શિવજી રાજે ચેરિટેબલટ્રસ્ટ સર્વ સમાજની એકતા અને વિકાસ માટે અવિરત કાર્ય કરી રહી છે. આદિલશાહી અને મુગલસલ્તનતની પાયાને હલાવી નાખનારા, આપણાં સર્વના પ્રણેતા, આપણા સર્વના આદર્શ અને ગુરુ, હિન્દુ સ્વરાજ્યના સ્થાપક અને હિન્દુહ્રદયસમ્રાટ, શ્રીછત્રપતિ શિવાજી મહારાજની ૩૯૫મી જન્મજયંતી નિમિત્તે સર્વ સમાજના એકતા અને વિકાસમાટે, તેમજ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જીવનગાથાને વધુ લોકો સુધી પહોંચાડવા અને એક ભારત – શ્રેષ્ઠ ભારતબનાવવા માટે, દરેક સમાજના લોકોમાં એકસંપ નિર્માણથાય તે હેતુસર, છેલ્લા૯ વર્ષની જેમ આવર્ષે પણ સતત ૧૦માં વર્ષે શોભાયાત્રા, જાહેરસભા તેમજસાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

નારી તું નારાયણી સ્લોગનને સાર્થક કરવા માટે મહિલા સશક્તિકરણ, નારી ઉત્થાન અને મહિલા જાગૃતિ માટે ભવ્ય મહિલા બાઇક રેલી નું પણ યોજન કરવામાં આવ્યું છે.

સંસ્થા દ્વારા સમયાંતરે સામાજિક સેવાઓજેમકે સિવિલ અસ્પતાલમાં દર્દીઓને ભોજન નિરાધારને અનાજ-કરિયાણા ની કિટનું વિતરણ, ઠંડીમાં જરૂરિયાતમંદને ધાબળા વિતરણ, બ્લડ ડોનેશનકેમ્પ, પક્ષી-પ્રાણી બચાઓકાર્યક્રમ, સ્વચ્છતા અભિયાન, લોકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા શિક્ષણકીટનું વિતરણવગેરે ઉમદા સેવાકીય પ્રવૃત્તિઓકરવામાં આવે છે.

ટ્રસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમોલભાઉ ધબડકે દ્વારા આપ સૌને ઉપરોક્ત ધાર્મિક કાર્યક્રમમાં આપશ્રીને પધારવા ભાવભીનું આમંત્રણ છે.

Related posts

જિલ્લા કક્ષા ની અંડર ૧૯ કબ્બડી માં વિજેતા અને વોલીવોલ સ્પર્ધા માં રનર અપ થઈ કઠવાડા માં આવેલી શ્રીનારાયણા હાયર સેકેંડરી સ્કૂલ

Ahmedabad Samay

અમદાવાદ: વસ્ત્રાપુરમાં 13 વર્ષના બાળકનું કચડાઈને મોત, ટક્કર મારનાર વાહન ચાલક સ્થળ પરથી ફરાર

Ahmedabad Samay

શ્રી પંકજ મિશ્રા બન્યા અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ

Ahmedabad Samay

ગાંધીનગર: વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં એક જ દિવસમાં ૧૩૬૦ કરોડ રૂપિયાના રોકાણો માટે ૬ MoU થયાં

Ahmedabad Samay

મેંમકો ફ્રુટ માર્કેટ પાસે સ્વચ્છતા અભિયાન ની લીલાલેર, પ્રજા હમનહી સુધરેંગેના મૂડમાં

Ahmedabad Samay

અમદાવાદમાંથી નશામુક્ત ભારત અભિયાનનો શુભારંભ કેબિનેટ મંત્રી ભાનુબહેન બાબરીયાએ કરાવ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો