March 23, 2026
અપરાધ

અમદાવાદ: ભરૂચ ઋષિકુલના માધવ સ્વામી અને 10 લોકોએ બે ભાઈ પર જીવલેણ હુમલો કર્યો! 21 લાખની લેતીદેતીનો મામલો

નારણપુરામાં રહેતા બે ભાઈઓ પર જીવલેણ હુમલો કરવા અને ઢોર માર મારવા મામલે ભરૂચ ઋષિકુલના માધવ સ્વામી અને 10 લોકો સામે પોલીસ ફરિયાદ થઈ છે. 21 લાખની લેતીદેતી મામલે આ હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી મળી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

21 લાખની લેતી દેતી મામલો હુમલો

મળતી માહિતી મુજબ, નારણપુરામાં રહેતા ગૌરાંગ પરમાર અને ચેતન પરમાર જમીન લે-વેચનું કામ કરે છે. દરમિયાન બંને ભાઈઓનો અંકલેશ્વરના પાનોલીમાં આવેલ ઋષિકુલના માધવ સ્વામીએ સંપર્ક કર્યો હતો અને શંખેશ્વર જમીન લેવાની હોવાથી ગાંધીનગરના સુનિલ જોશી મારફતે જમીન લેવાનું નક્કી થયું હતું. આ સોદામાં બંને ભાઈ મધ્યસ્થી હતા. પરંતુ, બાદમાં આ સોદો કેન્સલ થયેલો હતો. આરોપ મુજબ, ગાંધીનગરના સુનિલભાઈ જોશી પાસથી માધવ સ્વામીએ હાથ ઉછીના રૂ. 21 લાખ લીધા હતા. પરંતુ, પરત માગતા ગલ્લા તલ્લા કરતા હતા. આથી સુનિલભાઈએ ગૌરાંગ પરમાર અને ચેતન પરમાર થકી માધવ સ્વામીનો પરિચય થયો હોવાથી તેમની પાસે પૈસાની ઉઘરાણી કરી હતી.

બંને ભાઈઓ પર 8-10 લોકોએ હુમલો કર્યો 

આરોપ મુજબ, બંને ભાઈએ માધવ સ્વામી પાસે પૈસા માગતા માધવ સ્વામીએ બંને ભાઈઓ પર પોતાના માણસો થકી હુમલો કરાવ્યો હતો. 8-10 લોકો લોખંડની પાઇપ, ધોકા અને હોકી સ્ટીક લઇ બંને ભાઈઓ પર તૂટી પડયા હતા અને તેમની કાર સાથે પણ તોડફોડ કરી હતી. આ હુમલામાં બંને ભાઈઓને ગંભીર ઇજાઓ થઈ હતી. આ મામલે ફરિયાદ થતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.

Related posts

કોતરપુર પોલીસ પોઇન્ટ થી નાના વહેપારીઓ થયા ત્રસ્ત, માસ્ક બાબતે પોલીસ અને યુવક વચ્ચે થઇ ઝપાઝપી

Ahmedabad Samay

નક્સલિયો સાથેની અથડામણમાં 22 જવાનો શહિદ ,હુમલાને લઈને અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી

Ahmedabad Samay

એરપોર્ટ પોલીસે ગોગો અને રોલીંગ પેપરનો 72 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

Ahmedabad Samay

મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનાની પ્રારંભિક તપાસમાં જ કેટલીક ચોંકાવનારી વિગતો આવી સામે

Ahmedabad Samay

રાજકોટમાં કાર પાર્ક કરવા જેવી સામાન્ય બાબત પર બે પાડોશીઓ વચ્ચે બઘડાટી બોલાઈ, મહિલા સહિત ત્રણ ઇજાગ્રસ્ત

Ahmedabad Samay

સૈજપુર બોઘામાં ચૌધરી હોસ્પિટલમાં મહિલાના મોતના પગલે બેદરકારીનો આક્ષેપ,પરિવારજનો એ મચાવ્યો હોબાળો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો