June 24, 2026
અપરાધ

અમદાવાદ: ભરૂચ ઋષિકુલના માધવ સ્વામી અને 10 લોકોએ બે ભાઈ પર જીવલેણ હુમલો કર્યો! 21 લાખની લેતીદેતીનો મામલો

નારણપુરામાં રહેતા બે ભાઈઓ પર જીવલેણ હુમલો કરવા અને ઢોર માર મારવા મામલે ભરૂચ ઋષિકુલના માધવ સ્વામી અને 10 લોકો સામે પોલીસ ફરિયાદ થઈ છે. 21 લાખની લેતીદેતી મામલે આ હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી મળી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

21 લાખની લેતી દેતી મામલો હુમલો

મળતી માહિતી મુજબ, નારણપુરામાં રહેતા ગૌરાંગ પરમાર અને ચેતન પરમાર જમીન લે-વેચનું કામ કરે છે. દરમિયાન બંને ભાઈઓનો અંકલેશ્વરના પાનોલીમાં આવેલ ઋષિકુલના માધવ સ્વામીએ સંપર્ક કર્યો હતો અને શંખેશ્વર જમીન લેવાની હોવાથી ગાંધીનગરના સુનિલ જોશી મારફતે જમીન લેવાનું નક્કી થયું હતું. આ સોદામાં બંને ભાઈ મધ્યસ્થી હતા. પરંતુ, બાદમાં આ સોદો કેન્સલ થયેલો હતો. આરોપ મુજબ, ગાંધીનગરના સુનિલભાઈ જોશી પાસથી માધવ સ્વામીએ હાથ ઉછીના રૂ. 21 લાખ લીધા હતા. પરંતુ, પરત માગતા ગલ્લા તલ્લા કરતા હતા. આથી સુનિલભાઈએ ગૌરાંગ પરમાર અને ચેતન પરમાર થકી માધવ સ્વામીનો પરિચય થયો હોવાથી તેમની પાસે પૈસાની ઉઘરાણી કરી હતી.

બંને ભાઈઓ પર 8-10 લોકોએ હુમલો કર્યો 

આરોપ મુજબ, બંને ભાઈએ માધવ સ્વામી પાસે પૈસા માગતા માધવ સ્વામીએ બંને ભાઈઓ પર પોતાના માણસો થકી હુમલો કરાવ્યો હતો. 8-10 લોકો લોખંડની પાઇપ, ધોકા અને હોકી સ્ટીક લઇ બંને ભાઈઓ પર તૂટી પડયા હતા અને તેમની કાર સાથે પણ તોડફોડ કરી હતી. આ હુમલામાં બંને ભાઈઓને ગંભીર ઇજાઓ થઈ હતી. આ મામલે ફરિયાદ થતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.

Related posts

મેઘાણીનગરમાં સાસુ અને જેઠે મળી વહુને બળજબરીથી ફીનાઇલ પીવળાવ્યું

Ahmedabad Samay

નરોડાના ડોલ્ફિન સર્કલ પાસે બપોરના સમયે પતંગ પર બિભત્સ લખાણ લખવા બાબતે જૂથ અથડામણ

Ahmedabad Samay

સુરત- બેફામ સ્પીડમાં ચલાવતા વાહન ચાલકોની ખેર નહી! સુરત પોલીસ એક કિમી દૂર સ્પીડ ગનથી પકડી પાડશે, થશે દંડ

Ahmedabad Samay

કુખ્યાત નક્સલવાદી નેતા અને આંધ્ર-ઓડિશા બોર્ડર (AOB)ના સચિવ સી. નારાયણ રાવે તેના 8 સાથીઓ સાથે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું

Ahmedabad Samay

બહુ ચર્ચિત આઇશા આત્મહત્યા કેસમાં પતિ આરીફની ધરપકડ કરાઇ, કાલે અમદાવાદ લવાશે

Ahmedabad Samay

સુરતના ત્રણ યુવકોને પિસ્તોલ સાથે રીલ્સ બનાવવી ભારે પડી, પોલીસે પકડ્યા બાદ મોટી હકીકત આવી સામે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો