November 18, 2025
અપરાધદેશ

રવિવારે રાત્રે લગભગ ૮.૩૦ વાગે પ્રયાગરાજથી ભિવાની જતી કાલિંદી એક્‍સપ્રેસને નુકશાન પહોંચાડવાનું ઘડાયું, મોટી જાનહાની તળી

ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક મહિનાની અંદર ટ્રેન દુર્ઘટનાનું વધુ એક ષડયંત્ર પ્રકાશમાં આવ્‍યું છે. રવિવારે રાત્રે લગભગ ૮.૩૦ વાગે પ્રયાગરાજથી ભિવાની જતી કાલિંદી એક્‍સપ્રેસ રેલ્‍વે લાઇન પર રાખેલા એલપીજી સિલિન્‍ડરથી ભરેલા સાથે અથડાઈ હતી. ૧૭મી ઓગસ્‍ટની રાત્રે લગભગ ૨.૩૦ વાગ્‍યે સાબરમતી એક્‍સપ્રેસના ૨૨ ડબ્‍બા પાટા પરથી ઉતરી ગયા હતા. રેલવેએ પણ આ અકસ્‍માતમાં ષડયંત્ર હોવાની વાત કરી હતી.

પોલીસ દ્વારા જણાવવામાં આવ્‍યું છે કે ૮ સપ્‍ટેમ્‍બરે રાત્રે લગભગ ૮.૩૦ વાગે કાલિંદી એક્‍સપ્રેસ અનવરગંજ કાસગંજ રેલ્‍વે લાઇન પર બરાજપુર અને બિલ્‍હૌર વચ્‍ચે રેલ્‍વે ટ્રેક પર રાખવામાં આવેલા એલપીજી સિલિન્‍ડરથી ભરેલા સિલિન્‍ડર સાથે અથડાઈ હતી. લોકો પાયલટે જણાવ્‍યું કે તેણે ટ્રેક પર કોઈ શંકાસ્‍પદ વસ્‍તુ જોઈ ત્‍યાર બાદ તેણે બ્રેક લગાવી, પરંતુ તે પછી પણ તે વસ્‍તુ ટ્રેન સાથે અથડાઈ અને જોરદાર અવાજ આવ્‍યો. ડ્રાઈવરે ટ્રેન રોકી અને ગાર્ડ અને અન્‍ય લોકોને આ અંગે જાણ કરી. આ ઘટનાની તપાસ માટે એન્‍ટી ટેરરિઝમ સ્‍ક્‍વોડ (ATS) અને અન્‍ય એજન્‍સીઓની ટીમ ઘટનાસ્‍થળે પહોંચી છે અને તપાસ શરૂ કરી છે. ATSના કાનપુર અને લખનૌ યુનિટ ઘટનાસ્‍થળે પહોંચી ગયા હતા અને પુરાવા એકત્ર કર્યા હતા.

ઘટનાની માહિતી મળતા જ અનવરગંજ સ્‍ટેશનના રેલ્‍વે સુપરિન્‍ટેન્‍ડેન્‍ટ, આરપીએફ અને અન્‍ય રેલ્‍વે અધિકારીઓ ઘટનાસ્‍થળે પહોંચી ગયા હતા. જ્‍યારે સ્‍થળ પર તપાસ કરવામાં આવી તો પોલીસને ઝાડીઓમાંથી સિલિન્‍ડર, પેટ્રોલની બોટલ, માચીસ અને ગનપાઉડર જેવા ઘણા ઘાતક પદાર્થો પણ મળ્‍યા. અડધો કલાક રોકાયા બાદ ટ્રેનને રવાના કરવામાં આવી હતી. પોલીસ અને ફોરેન્‍સિક ટીમે ઘટનાસ્‍થળે આવીને તપાસ કરી હતી.

તમામ શંકાસ્‍પદ વસ્‍તુઓ તપાસ માટે મોકલવામાં આવી હતી.ઘટનાસ્‍થળે પહોંચેલા એડિશનલ કમિશનર હરીશ ચંદ્રાએ જણાવ્‍યું હતું કે જેણે પણ આ કળત્‍ય કર્યું છે તેની ધરપકડ કરવાના પ્રયાસો કરવામાં આવશે. હાલ તમામ મુદ્દે તપાસ ચાલી રહી છે. અમારી ફોરેન્‍સિક ટીમ પણ વિગતવાર સમીક્ષા કરી રહી છે.

Related posts

કોરોના ફ્લાઈંગ શીખને ભરખી ગયો. કોરોનાથી મિલખાસિંહ નું દુઃખદ નિધન

Ahmedabad Samay

નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે સામાન્‍ય બજેટ રજૂ કર્યુ છે, જાણો બજેટની મહત્વની વાતો

Ahmedabad Samay

મેમકો વિસ્તારમાં પોલીસના હપ્તા ખોરીના કારણે સુરત વાડી ઘટના બનતી રહી ગઇ,મેમકો વિસ્તારમાં બન્યો છેડતીનો બનાવ

Ahmedabad Samay

મનસુખ માંડવિયાએ અચાનક મુલાકાતમાં જયારે તેઓ બેન્ચ પર બેસવા જતા હતા ત્યારે સુરક્ષાકર્મીએ ડંડો માર્યો હતો

Ahmedabad Samay

નિકોલ વિસ્તારના સ્વામી વિવેકાનંદનગરમાં લુખ્ખાતત્વો બન્યા બેફામ, ખુરશીમાં બેસવા બાબતે પરિવાર પર કર્યો હુમલો

Ahmedabad Samay

અવકાશયાત્રી સુનિતા વિલિયમ્‍સ અને બુચ વિલ્‍મોર ૯ મહિના અને ૧૪ દિવસ બાદ ધરતી પર પાછા ફર્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો