July 4, 2026
અપરાધ

અમદાવાદ: તિસ્તા સેતલવાડ કેસ: આરોપીઓ હાજર ન રહેતા કોર્ટે જારી કર્યું ફરમાન, 100થી વધુ પાનાની ચાર્જશીટ દાખલ!

વર્ષ 2002ના થયેલા રમખાણો માટે ગુજરાત સરકારને બદનામ કરવાના કેસ (તિસ્તા સેતલવાડ કેસ)માં વિશેષ કોર્ટમાં ચાર્જફ્રેમની પ્રક્રિયામાં હાથ ધરવામાં આવી હતી. જો કે, આ દરમિયાન કોર્ટમાં તિસ્તા સેતલવાડ, આર.બી.શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ ત્રણેય આરોપીઓ ગેરહાજર રહ્યા હતા આથી કોર્ટે ટકોર કરી છે. વિશેષ કોર્ટે કહ્યું  હતું કે, તમે કોર્ટની અવગણના ન કરો, ગુનો જેટલો ગંભીર છે તેટલી જ ચાર્જફ્રેમ પ્રક્રિયા પણ મહત્ત્વની હોય છે.

આ સાથે જ વિશેષ કોર્ટે  તિસ્તા સેતલવાડ, આર.બી.શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ ત્રણેય આરોપીઓને કોર્ટમાં ફરજિયાત હાજર રહેવાનું ફરમાન જારી કર્યું છે અને કહ્યું છે કે, હવે ચાર્જફ્રેમની પ્રક્રિયામાં વધુ વિલંબ નહીં ચલાવી લેવામાં આવે. જણાવી દઈએ કે, આ કેસની વધુ સુનાવણી 17 મેના રોજ હાથ ધરવામાં આવશે.

100થી વધુ પેજની ચાર્જશીટ SITએ ફાઈલ કરી 

મળતી માહિતી મુજબ, તિસ્તા સેતલવાડ કેસમાં તાપસ કરી રહેલી ખાસ તપાસ ટીમ એટલે કે એસઆઈટી દ્વારા તિસ્તા સેતલવાડ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. તિસ્તા શેતલવાડ, પૂર્વ ડીજીપી આર.બી. શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સામે પણ કેસ ચાલશે. ચાર્જશીટમાં તત્કાલીન સરકારને બદનામ કરવાનું ષડયંત્ર, તિસ્તા સેતલવાડ દ્વારા ખોટા પુરાવા ઊભા કર્યાનો ઉલ્લેખ કરાયો છે. આ કેસનમાં SITએ તિસ્તા શેતલવાડ, પૂર્વ ડીજીપી આર.બી. શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સામે કોર્ટમાં 100થી વધુ પાનાની ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં 30થી વધુ દસ્તાવેજી પુરાવા સામેલ કરાયા છે.

Related posts

12 નવેમ્બરના રોજ બપોરે ગુમ થયેલી માસૂમ બાળકીની લાશ તેના ઘર નજીકથી જ પ્લાસ્ટિકના કોથળામાં પેક કરેલી હાલતમાં મળી

Ahmedabad Samay

ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં વિકાસ દુબેએ પોલીસ સમક્ષ કર્યુ આત્મસમર્પણ

Ahmedabad Samay

નરોડા પાટિયા કાંડના આરોપી ની હત્યા કરનારની પોલીસ દ્વારા ધરપકડ કરાઇ

Ahmedabad Samay

મોંઘી ગાડીઓ ઉંચા ભાડે મેળવી પરત ન આપતી ટોળકીનો ઓઢવ પોલીસે કર્યો પર્દાફાશ

Ahmedabad Samay

નાસ્તાના ૧૦૦ રૂપિયા માંગતા યુવકને પૈસાને બદલે મૌતને ઘાટ ઉતારવાનું પ્રયાસ કરાયુ, લુખ્ખા તત્વો બન્યા બેફામ

Ahmedabad Samay

સુરતમાં ચાલ્યું બુલડોઝર, ગણપતિ પંડાલ પર પથ્થર મારા બાદ પોલીસ એક્સન મૂડમાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો