મધ્યપ્રદેશ પોલીસે કાનપુર હત્યાકાંડના મુખ્ય આરોપી અને ૫ લાખના ઈનામી વિકાસ દુબેની ઉજ્જૈનના મહાકાલ મંદિરમાંથી ધરપકડ કરી છે. વિકાસ દુબે ઉપર ૮ પોલીસ કર્મચારીઓની હત્યા કરવાનો આરોપ છે. યુપી પોલીસ વિકાસ દુબેના પાંચ જેટલા સાથીદારોને એન્કાઉન્ટરમાં ઠાર કરી ચુકી છે તો અનેક સાથીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. આજે જ તેના બે વધુ સાથીદાર પ્રભાત મિશ્રા અને બઉઆ દુબે પોલીસ અથડામણમાં માર્યા ગયા હતા.
પોલીસે ધરપકડ કરી છે. માનવામાં આવે છે કે તેણે મંદિરની બહાર સમર્પણ કર્યુ છે. મહાકાલ મંદિરની સુરક્ષા કંપનીએ તેને શંકાસ્પદ વ્યકિત જાણી અટકાયત કરી હતી. મળતી માહિતી મુજબ મહાકાલ મંદિરના સંકુલમાં પહોંચી શખ્સએ રાડો પાડી-પાડી ખુદને વિકાસ દુબે ગણાવ્યો હતો. તે પછી મંદિર સંકુલમા તૈનાત સુરક્ષા ગાર્ડે તેને પકડી લીધો હતો અને પોલીસને માહિતી આપી હતી. મહાકાલ પોલીસ તેને ગાડીમાં બેસાડી કંટ્રોલ તરફ લઈ ગઈ છે.
કાનપુર શુટઆઉટના મોસ્ટ વોન્ટેડની ધરપકડને યુપી પોલીસે પુષ્ઠી આપી છે.મહાકાલ મંદિરની સુરક્ષા કંપનીએ તેને શંકાસ્પદ વ્યકિત જાણી અટકાયત કરી હતી. મહાકાલ મંદિરના સંકુલમાં પહોંચી શખ્સએ રાડો પાડી-પાડી ખુદને વિકાસ દુબે ગણાવ્યો હતો. તે પછી મંદિર સંકુલમા તૈનાત સુરક્ષા ગાર્ડે તેને પકડી લીધો હતો અને પોલીસને માહિતી આપી હતી. વિકાસ દુબેએ મહાકાલેશ્વર મંદિરની પહોંચ ફડાવી હતી અને તે પછી ખુદને સરેન્ડર કરી દીધો હતો. હાલ સ્થાનિક પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.
યુપી પોલીસના એડીજી કાનૂન વ્યવસ્થા પ્રશાંત કુમારે જણાવ્યુ છે કે અપરાધી વિરૂદ્ધ એવી કાર્યવાહી થશે કે સૌ કોઈ યાદ રાખશે.
