November 17, 2025
અપરાધગુજરાત

સુરતમાં ચાલ્યું બુલડોઝર, ગણપતિ પંડાલ પર પથ્થર મારા બાદ પોલીસ એક્સન મૂડમાં

કેટલાક તોફાની યુવકો દ્વારા ચોક બજાર વિસ્‍તારમાં ગણપતિ પંડાલ પર પત્‍થરમારો કરી ભયનું વાતાવરણ  ફેલાવા સાથે ભાવિકોમાં ભયનું લખલખું પ્રસરવનાર તત્‍વો સામે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પીસીબી, ડીસીબી અને એસઓજીનાં ૧૦૦ લોકોના કાફલા સાથે મેદાને પડયા.

રીઢા ગુનેગારો વિરૂદ્ધ જંગ માંડનાર અનુપમસિંહ ગેહલોત કે જેમણે રાજકોટના કાર્યકાળ દરમિયાન પોલીસ પણ જેમનાથી  સાચવી રહેતી તેવા તમામની એક સાથે આગવી ઢબે સરભરા કરતા આખા રાજકોટની ગુંડા આલમમાં આ આઇપીએસ અલગ પ્રકારના છે તેવો અહેસાસ સારી રીતે થયેલ, એ સમયે મહત્‍વની બ્રાન્‍ચમાં રહેવાની એક શરત એ હતી કે આવા ગુનેગારોને પોલીસ આવા બનાવ બને ત્‍યારે સારી રીતે ભાન કરાવવું.

સુરતમાં છેલ્લા બે દિવસથી એક જ કામ ચાલ્‍યું અને તે કામ અપરાધીઓને ઓળખી તેમની ખો ભૂલાવવનું, આવા તત્‍વો જયા છુપાયા હતા તેવા સ્‍થળે પોલીસ દરવાજા ન ખુલતા લોકોની માંગણી મુજબ દરવાજા તોડી અંદર પ્રવેશી ઉપાડી લીધા, કેટલાંય નાની ઉંમરના હતા તેમના  વાલીઓની ભૂમિકા હોવાની માહિતી મળતાં તેમની સામે ગુન્‍હા દાખલ થયા, આમ પોલિસે ખરા અર્થમાં પગલાંઓ લેતા લોકોમાં પણ સંતોષની લાગણી સાથે બધું ભૂલી લોકો તહેવાર ઉજવવા લાગયા.

આ વિસ્‍તારમાં ખૂબ મોટા પાયે ગેરકાયદે દબાણો થયેલા, પણ કોઈ તેને હટાવવાની હિંમત કરતું નહિ, આ ઘટના બાદ પોલીસ કમિશ્નરને હવે લાગ્‍યું કે પગલાંઓ લેવાનો સમય થયેલ છે, કેટલીક ચર્ચાઓ કરી અને કોર્પોરેશન સાથે રહી પોલીસ સાથે રહી બુલ ડોઝર ફેરવતા લોકોએ આનંદની ચિચિયારી કરી મૂકી.

Related posts

ગુજરાત ધર્મપ્રેમી અને શાંતિપ્રિય રાજ્ય છે અને આ રાજ્યમાં લવ જેહાદ જેવી પ્રવૃત્તિઓને બિલકુલ સ્થાન નથી:હર્ષ સંઘવી

Ahmedabad Samay

બાબરી વિધ્વંશ નો આજે ચુકાદો

Ahmedabad Samay

ઝોન ૦૭ નો ચાર્જ સંભાળતા જ અડ્ડાઓ ઉપર સપાટો બોલાવવા આદેશ આપ્‍યો

Ahmedabad Samay

ઓક્સિજન લેવલ શરીરમાં ઘટે તો આટલુ કરશો તો ઓક્સિજન લેવલ વધી જશે

Ahmedabad Samay

વિશેષ સાફલ્યગાથા – અમદાવાદ જિલ્લો ગો-ગ્રીન જેવી યોજના થકી પર્યાવરણને શુદ્ધ રાખવાનો સરકારનો નવતર અભિગમ

Ahmedabad Samay

માં ભારતીના પરમ સપૂત “શ્રી મહારાણા પ્રતાપ જીની” આગામી 485મી જન્મ જયંતિ ના શુભઅવસરની ઉજવણી અર્થે સર્કિટ હાઉસ ખાતે મિટિંગ યોજાઈ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો