February 6, 2026
અપરાધગુજરાત

સુરતમાં ચાલ્યું બુલડોઝર, ગણપતિ પંડાલ પર પથ્થર મારા બાદ પોલીસ એક્સન મૂડમાં

કેટલાક તોફાની યુવકો દ્વારા ચોક બજાર વિસ્‍તારમાં ગણપતિ પંડાલ પર પત્‍થરમારો કરી ભયનું વાતાવરણ  ફેલાવા સાથે ભાવિકોમાં ભયનું લખલખું પ્રસરવનાર તત્‍વો સામે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પીસીબી, ડીસીબી અને એસઓજીનાં ૧૦૦ લોકોના કાફલા સાથે મેદાને પડયા.

રીઢા ગુનેગારો વિરૂદ્ધ જંગ માંડનાર અનુપમસિંહ ગેહલોત કે જેમણે રાજકોટના કાર્યકાળ દરમિયાન પોલીસ પણ જેમનાથી  સાચવી રહેતી તેવા તમામની એક સાથે આગવી ઢબે સરભરા કરતા આખા રાજકોટની ગુંડા આલમમાં આ આઇપીએસ અલગ પ્રકારના છે તેવો અહેસાસ સારી રીતે થયેલ, એ સમયે મહત્‍વની બ્રાન્‍ચમાં રહેવાની એક શરત એ હતી કે આવા ગુનેગારોને પોલીસ આવા બનાવ બને ત્‍યારે સારી રીતે ભાન કરાવવું.

સુરતમાં છેલ્લા બે દિવસથી એક જ કામ ચાલ્‍યું અને તે કામ અપરાધીઓને ઓળખી તેમની ખો ભૂલાવવનું, આવા તત્‍વો જયા છુપાયા હતા તેવા સ્‍થળે પોલીસ દરવાજા ન ખુલતા લોકોની માંગણી મુજબ દરવાજા તોડી અંદર પ્રવેશી ઉપાડી લીધા, કેટલાંય નાની ઉંમરના હતા તેમના  વાલીઓની ભૂમિકા હોવાની માહિતી મળતાં તેમની સામે ગુન્‍હા દાખલ થયા, આમ પોલિસે ખરા અર્થમાં પગલાંઓ લેતા લોકોમાં પણ સંતોષની લાગણી સાથે બધું ભૂલી લોકો તહેવાર ઉજવવા લાગયા.

આ વિસ્‍તારમાં ખૂબ મોટા પાયે ગેરકાયદે દબાણો થયેલા, પણ કોઈ તેને હટાવવાની હિંમત કરતું નહિ, આ ઘટના બાદ પોલીસ કમિશ્નરને હવે લાગ્‍યું કે પગલાંઓ લેવાનો સમય થયેલ છે, કેટલીક ચર્ચાઓ કરી અને કોર્પોરેશન સાથે રહી પોલીસ સાથે રહી બુલ ડોઝર ફેરવતા લોકોએ આનંદની ચિચિયારી કરી મૂકી.

Related posts

મેઘાણીનગરમાં પોસ્ટર ફાળવાની સામન્ય બાબતેને લઇ યુવકને મોતને ઘાટ ઉતાર્યો, મિત્રને બચાવવા જતા યુવકની થઇ હત્યા

Ahmedabad Samay

જમ્મુ એરપોર્ટ પર હુમલા બાદ ભારત-નેપાળ બોર્ડર પર આઠ ડ્રોન મળી આવતાં

Ahmedabad Samay

વેપારીઓને મોટી રાહત,આજ થી સાંજે ૦૬ વાગ્યા સુધી ખુલ્લી રખાશે દુકાનો

Ahmedabad Samay

સુરતમાં કોરોના વધતા તમામ શાળાઓ અને ટ્યુશન સહિતના એકમો બંધ રાખવા માટે આદેશ અપાયો છે.

Ahmedabad Samay

અમદાવાદ જિલ્લામાં સ્વચ્છતા સર્વેક્ષણનો પ્રારંભ, 25 ઓગષ્ટ સુધી ચાલશે સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરી

Ahmedabad Samay

આમ આદમી તરફથી ઇન્દ્રપુરી વોર્ડમાં બબીતા જૈને અપાઇ ટીકીટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો