November 18, 2025
અપરાધ

અમદાવાદ: બ્લફ માસ્ટર કિરણ પટેલ કેસને લઈ મોટા સમાચાર, આજે ક્રાઇમ બ્રાંચ કરી શકે છે આ કામ!

મહાઠગ કિરણ પટેલ કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, અમદાવાદ ક્રાઇમ બ્રાંચ આજે કિરણ પટેલને તપાસ અર્થે પૂર્વ મંત્રીના ભાઈ જગદીશ ચાવડાના સિંધુભવન રોડ પર આવેલા બંગલા પર લઈ જઈ શકે છે.

જણાવી દઈએ કે કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ સામે જગદીશ ચાવડાનો બંગલો પચાવી પાડવા અને રિનોવેશનના નામે રૂ. 35 લાખ છંછેરી લેવાના આરોપ છે. આ કેસ હેઠળ અમદાવાદ ક્રાઇમ બ્રાંચ તપાસ કરી રહી છે. મીડિયા અહેવાલ મુજબ, સોમવારે કિરણ પટેલને જગદીશ ચાવડાના સિંધુભવન રોડ પર આવેલા બંગલા ખાતે તપાસ અર્થે લઈ જઈ શકાય છે. સ્થળ પર પંચનામું અને તપાસ ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા કરવામાં આવી શકે છે.

કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા 

અગાઉ જગદીશ ચાવડા તરફથી આરોપ લગાવવામાં આવ્યો હતો કે, તેમના બંગલાને ગેરકાયદેસર કિરણ પટેલ અને તેની પત્ની પચાવી પાડવા માટે કાવતરું ઘડ્યું હતું. પરંતુ, સંજોગવશ તે બંને તેમના કાવતરાંમાં સફળ થઈ શક્યા નહોતા. જણાવી દઈએ કે, આ પહેલા કોર્ટે કિરણ પટેલના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારે ક્રાઇમ બ્રાંચ દ્વારા તમામ માહિતીઓ એકત્ર કરવામાં આવી રહી છે.

Related posts

નેતાજી બલરામ થાવાણીની દાદાગીરી ફરી આવી સામે,VI કર્મચારી ને કામ કરવાથી રોકવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રેલીમાં દેખાયા માસ્ક વગર

Ahmedabad Samay

રવિવારે રાત્રે લગભગ ૮.૩૦ વાગે પ્રયાગરાજથી ભિવાની જતી કાલિંદી એક્‍સપ્રેસને નુકશાન પહોંચાડવાનું ઘડાયું, મોટી જાનહાની તળી

Ahmedabad Samay

વાહન ચોરીના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીની ક્રાઇમબ્રાન્ચે કરી ધરપકડ કરવામાં આવી

Ahmedabad Samay

સુરેન્દ્રનગર મુળી રોડ ઉપર આવેલા મેકસન સર્કલની આજુ બાજુમાં આવેલી ફેકટરીઓને નિશાન બનાવીને તસ્કર ગેંગ ત્રાટકી હતી

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા કલેકટર શ્રી ને આવેદન પત્ર આપવામા આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો