June 8, 2026
અપરાધ

અમદાવાદ: બ્લફ માસ્ટર કિરણ પટેલ કેસને લઈ મોટા સમાચાર, આજે ક્રાઇમ બ્રાંચ કરી શકે છે આ કામ!

મહાઠગ કિરણ પટેલ કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, અમદાવાદ ક્રાઇમ બ્રાંચ આજે કિરણ પટેલને તપાસ અર્થે પૂર્વ મંત્રીના ભાઈ જગદીશ ચાવડાના સિંધુભવન રોડ પર આવેલા બંગલા પર લઈ જઈ શકે છે.

જણાવી દઈએ કે કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ સામે જગદીશ ચાવડાનો બંગલો પચાવી પાડવા અને રિનોવેશનના નામે રૂ. 35 લાખ છંછેરી લેવાના આરોપ છે. આ કેસ હેઠળ અમદાવાદ ક્રાઇમ બ્રાંચ તપાસ કરી રહી છે. મીડિયા અહેવાલ મુજબ, સોમવારે કિરણ પટેલને જગદીશ ચાવડાના સિંધુભવન રોડ પર આવેલા બંગલા ખાતે તપાસ અર્થે લઈ જઈ શકાય છે. સ્થળ પર પંચનામું અને તપાસ ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા કરવામાં આવી શકે છે.

કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા 

અગાઉ જગદીશ ચાવડા તરફથી આરોપ લગાવવામાં આવ્યો હતો કે, તેમના બંગલાને ગેરકાયદેસર કિરણ પટેલ અને તેની પત્ની પચાવી પાડવા માટે કાવતરું ઘડ્યું હતું. પરંતુ, સંજોગવશ તે બંને તેમના કાવતરાંમાં સફળ થઈ શક્યા નહોતા. જણાવી દઈએ કે, આ પહેલા કોર્ટે કિરણ પટેલના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારે ક્રાઇમ બ્રાંચ દ્વારા તમામ માહિતીઓ એકત્ર કરવામાં આવી રહી છે.

Related posts

અમદાવાદના પોશ વિસ્તાર વસ્ત્રાપુરમાંથી દારૂની મહેફિલ માણતા પાંચ શખ્સોને વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી

Ahmedabad Samay

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં કૂતરાને સાચવવા બાબતે થઇ માથાકૂટ

Ahmedabad Samay

અમદાવાદ: ઉમેશપાલ હત્યાકાંડની તપાસ હવે અમદાવાદમાં, ઉત્તરપ્રદેશ STFની ટીમ શહેર પહોંચી, જાણો શું છે સમગ્ર મામલો?

Ahmedabad Samay

રાજકોટમાં કાર પાર્ક કરવા જેવી સામાન્ય બાબત પર બે પાડોશીઓ વચ્ચે બઘડાટી બોલાઈ, મહિલા સહિત ત્રણ ઇજાગ્રસ્ત

Ahmedabad Samay

કાલુપુર વિસ્તારમાં ધોળે દિવસે જાહેર રોડ પર થયેલી હત્યાના કેસમાં બે આરોપીની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી

Ahmedabad Samay

હવસખોર પ્રિન્સિપાલની બજરંગ દળ દ્વારા કરાઇ ધરપકડ, LC ના બદલે માતા પાસે કરી શારીરિક માંગણી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો