March 23, 2026
અપરાધ

અમદાવાદ: બ્લફ માસ્ટર કિરણ પટેલ કેસને લઈ મોટા સમાચાર, આજે ક્રાઇમ બ્રાંચ કરી શકે છે આ કામ!

મહાઠગ કિરણ પટેલ કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, અમદાવાદ ક્રાઇમ બ્રાંચ આજે કિરણ પટેલને તપાસ અર્થે પૂર્વ મંત્રીના ભાઈ જગદીશ ચાવડાના સિંધુભવન રોડ પર આવેલા બંગલા પર લઈ જઈ શકે છે.

જણાવી દઈએ કે કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ સામે જગદીશ ચાવડાનો બંગલો પચાવી પાડવા અને રિનોવેશનના નામે રૂ. 35 લાખ છંછેરી લેવાના આરોપ છે. આ કેસ હેઠળ અમદાવાદ ક્રાઇમ બ્રાંચ તપાસ કરી રહી છે. મીડિયા અહેવાલ મુજબ, સોમવારે કિરણ પટેલને જગદીશ ચાવડાના સિંધુભવન રોડ પર આવેલા બંગલા ખાતે તપાસ અર્થે લઈ જઈ શકાય છે. સ્થળ પર પંચનામું અને તપાસ ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા કરવામાં આવી શકે છે.

કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા 

અગાઉ જગદીશ ચાવડા તરફથી આરોપ લગાવવામાં આવ્યો હતો કે, તેમના બંગલાને ગેરકાયદેસર કિરણ પટેલ અને તેની પત્ની પચાવી પાડવા માટે કાવતરું ઘડ્યું હતું. પરંતુ, સંજોગવશ તે બંને તેમના કાવતરાંમાં સફળ થઈ શક્યા નહોતા. જણાવી દઈએ કે, આ પહેલા કોર્ટે કિરણ પટેલના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારે ક્રાઇમ બ્રાંચ દ્વારા તમામ માહિતીઓ એકત્ર કરવામાં આવી રહી છે.

Related posts

નિકોલ પોલીસ સ્ટેશનમાં ગુન્હા વગર ખોટો કેસ કરી ઢોર માર મારવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદના ગોમતીપુરમાં ફરી અસામાજિક તત્વો જાહેરમાં લોકો સાથે દાદાગીરી કરતો કિસ્સો આવ્યો સામે

Ahmedabad Samay

અમદાવાદમાં પઠાણ ફિલ્‍મનો વિરોધ કરાયો,વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળે તોડફોડ કરી

Ahmedabad Samay

મેઘાણીનગરમાં યુવતીની હત્યાનો મામલો ઉકેલાયો

Ahmedabad Samay

મેઘાણીનગરના ભાર્ગવ રોડ પર પ્રેમ પ્રકરણમાં બની હત્યાની ઘટના

Ahmedabad Samay

અમદાવાદના ભાર્ગવ વિસ્તારમાં ખેલાયો ખૂની ખેલ, પરિવારના એકના એક છોકરાને ગુમાવ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો