June 24, 2026
અપરાધ

GLS કોલેજના પ્રોફેસરે માતાની હત્યા કરીને પોતે પણ આપઘાત કર્યું

શહેરમાં એક પુત્રએ માતાની હત્યા કરીને પોતે પણ આપઘાત કરી લેવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આપઘાત કરનાર પુત્ર મૈત્રેય ભગત GLS કોલેજમાં ઇકોનોમિકસ વિભાગનાં પ્રોફેસર હતા. જ્યારે માતા દત્તા ભગત 75 વર્ષના હતા. પાલડી વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી ફ્લેટમાં માતા અને પુત્ર એકલા જ રહેતા હતા.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના પાલડી વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી એપાર્ટમેન્ટમાં ઘણી જ ચકચારી ઘટના બની છે. આ એપાર્ટમેન્ટમાં રહેનાર GLS કોલેજના 42 વર્ષના પ્રોફેસર મૈત્રેય ભગતે મોડી રાતે પોતાની 75 વર્ષની માતા દત્તા ભગતની હત્યા કરી નાંખી છે. જે બાદ પુત્રએ પણ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

આપઘાત કરનાર મૈત્રેય ભગત GLS કોલેજમાં ઇકોનોમિકસ વિભાગનાં પ્રોફેસર હતા. આ ઘરમાં માતા અને પુત્ર એકલા જ રહેતા હતા. સવારે ઘરની બહાર દૂધ અને છાપા એમના એમ પડ્યા હોવાને કારણે પાડોશીઓને કાંઇ અઘટિત બન્યાની શંકા ગઇ હતી. જેથી પાડોશીઓએ ઘરનો દરવાજો ખોલીને જોતા પુત્ર મૈત્રય ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. જે બાદ પાડોશીએ આ અંગે પોલીસને જાણ કરી હતી.

ઝોન -7ના ડીસીપી, શિવમ વર્માના જણાવ્યા પ્રમાણે, આ અંગેની જાણ અમને મળતા અમે અહીં તપાસ માટે આવ્યા હતા. અમારી ટીમે અહીં તપાસ કરતાં જાણ થઇ કે મૈત્રેય ભગતે આપઘાત કર્યો હોઇ શકે છે. મૈત્રેયની માતાનો મૃતદેહ પલંગ પર પડ્યો હતો. જેની પાસેથી રસોડામાં વપરાતી છરી પણ મળી આવી હતી. હાલ લાગી રહ્યુ છે કે ડિપ્રેશનને કારણે આવું બન્યું હોવું જોઇએ.

Related posts

GUJCTOC હેઠળ ફ્રેક્ચર ગેંગના ૦૫ આરોપીની કરાઇ ધરપકડ

Ahmedabad Samay

ક્રાઇમ બ્રાન્ચે નવા નરોડા વિસ્તારમાં મીની-લેબ બનાવી મેથા મ્ફેટામાઇન ડ્રગ્સનું ઉત્પાદન કરનાર ડ્રગ્સની ફેકટરી પકડી

Ahmedabad Samay

પ્રેમિકાના ત્રાસથી કંટાળીને યુવકે આત્મહત્યા કરી

Ahmedabad Samay

નિકોલ પોલીસ સ્ટેશનમાં ગુન્હા વગર ખોટો કેસ કરી ઢોર માર મારવામાં આવ્યું

Ahmedabad Samay

નિકોલની પંચામૃત નર્સિંગ ઇન્સસ્ટિટ્યૂની દાદાગીરી,ફી ભરવા બાબતે વાલી પર દબાણ કરવામા આવ્યુ

Ahmedabad Samay

નિકોલ વિસ્તારના સ્વામી વિવેકાનંદનગરમાં લુખ્ખાતત્વો બન્યા બેફામ, ખુરશીમાં બેસવા બાબતે પરિવાર પર કર્યો હુમલો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો