May 9, 2026
ગુજરાત

અમદાવાદ: ચાંદખેડામાં હૈયું કંપાવે તેવી ઘટના, 10માં માળેથી નવજાત બાળકને નીચે ફેંકી કરાઈ હત્યા!

ચાંદખેડામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ચાંદખેડામાં આવલા સ્કાયવોચ એપાર્ટમેન્ટમાં એક નવજાત બાળકની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હોવાની માહિતી મળી છે. બાળકને બિલ્ડિંગના 10માં માળેથી નીચે ફેંકી તેની હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ મામલે પોલીસને જાણ કરતા ચાંદખેડા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી છે.

મીડિયા અહેવાલ મુજબ, ચાંદખેડામાં આવેલા સ્કાયવોચ એપાર્ટમેન્ટમાં બુધવારે ધોળા દિવસે એક નવજાત બાળકની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. બિલ્ડિંગના 10માં માળેથી નવજાત બાળકને નીચે ફેંકવામાં આવ્યું હતું. જો કે, નવજાત બાળકની હત્યા કોણે કરી? તે હજુ સુધી જાણવા મળ્યું નથી. પરંતુ, આ મામલે પોલીસને જાણ કરાતા ચાંદખેડા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે. મા મામલે સોસાયટીના શંકાસ્પદ લોકોનું ડીએનએ કરાવવામાં આવી શકે છે, જેથી જાણી શકાશે કે આ નવજાત બાળક કોનું છે?

પોલીસે તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો

આ ઘટના કોઈ સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. હાલ નવજાત બાળક નીચે કેવી રીતે પડ્યું? તેની હત્યા કરવામાં આવી છે કે કોઈ અન્ય કારણ છે? તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. આ સાથે જ તાજેતરમાં કોની-કોની ડિલિવરી થઇ છે, તેની વિગત પણ પોલીસ મેળવી રહી છે.

Related posts

જીસીએસ મેડિકલ કોલેજ ખાતે અદ્યતન ઓડિટોરિયમનું ઉદ્દઘાટન કરાયું

Ahmedabad Samay

એર ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ ઉઠાવી રહ્યા છે મોંઘી સુવિધાઓ નો લાભ: એર ઇન્ડિયા પાયલોટ

Ahmedabad Samay

કાચની ટનલમાંથી દરિયાઇ જીવસુષ્ટિ જોઇ શકે તે માટેનો પ્રોજેક્ટ હાથ ધરાયો

Ahmedabad Samay

અમદાવાદ – વેકેશનમાં મેટ્રોને થઈ અધધ આવક, એક જ મહિનામાં 20 લાખ મુસાફરો મળ્યા

Ahmedabad Samay

શહેરમાં કોરોના ધીમો પડતા આશરે ૫૭% બેડ ખાલી,પણ બ્લેક ફંગસ અને વ્હાઇટ ફંગસે ચિંતા વધારી

Ahmedabad Samay

અમદાવાદ – વરસાદમાં ઈમજન્સી સમયે ટ્રાફિક જવાનોને 1095 હેલ્પલાઈન પર મદદ માટે કરી શકો છો ફોન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો