March 25, 2026
ગુજરાત

અમદાવાદ: ચાંદખેડામાં હૈયું કંપાવે તેવી ઘટના, 10માં માળેથી નવજાત બાળકને નીચે ફેંકી કરાઈ હત્યા!

ચાંદખેડામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ચાંદખેડામાં આવલા સ્કાયવોચ એપાર્ટમેન્ટમાં એક નવજાત બાળકની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હોવાની માહિતી મળી છે. બાળકને બિલ્ડિંગના 10માં માળેથી નીચે ફેંકી તેની હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ મામલે પોલીસને જાણ કરતા ચાંદખેડા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી છે.

મીડિયા અહેવાલ મુજબ, ચાંદખેડામાં આવેલા સ્કાયવોચ એપાર્ટમેન્ટમાં બુધવારે ધોળા દિવસે એક નવજાત બાળકની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. બિલ્ડિંગના 10માં માળેથી નવજાત બાળકને નીચે ફેંકવામાં આવ્યું હતું. જો કે, નવજાત બાળકની હત્યા કોણે કરી? તે હજુ સુધી જાણવા મળ્યું નથી. પરંતુ, આ મામલે પોલીસને જાણ કરાતા ચાંદખેડા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે. મા મામલે સોસાયટીના શંકાસ્પદ લોકોનું ડીએનએ કરાવવામાં આવી શકે છે, જેથી જાણી શકાશે કે આ નવજાત બાળક કોનું છે?

પોલીસે તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો

આ ઘટના કોઈ સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. હાલ નવજાત બાળક નીચે કેવી રીતે પડ્યું? તેની હત્યા કરવામાં આવી છે કે કોઈ અન્ય કારણ છે? તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. આ સાથે જ તાજેતરમાં કોની-કોની ડિલિવરી થઇ છે, તેની વિગત પણ પોલીસ મેળવી રહી છે.

Related posts

મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને અખંડ ભારત રાષ્ટ્રવાદી સેવાદળના કાર્યકરો BJP માં જોડાયા

Ahmedabad Samay

દિવાળીમાં લોકોની બેદરકારી વધી અને કોરોના ફરી વકર્યો,આજે છ ઘરના દિવા ઓલવાય

Ahmedabad Samay

અમદાવાદના શાહપુર વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો

Ahmedabad Samay

ગુજરાતમાં બેટ દ્વારકા અને શિયાળ બેટ આઇલેન્ડ ડેવલોપ કરાશે

Ahmedabad Samay

અમદાવાદમાં કોરોના નો ભયંકર રૂપ આવ્યો સામે

Ahmedabad Samay

ગાંધીનગર જીલ્લા રોજગાર કચેરી દ્વારા 30 મેના રોજ જોબફેરનું થશે આયોજન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો