August 9, 2026
ગુજરાત

અત્યાર સુધીમાં 84 ટકા કોલલેટર થયા ડાઉનલોડ, જાણો કેટલા ભરાયા સંમતિ પત્ર

તલાટીની પરીક્ષામાં 7 લાખ 64 હજાર ઉમેદવારોએ સંમતિપત્રક ભર્યા છે ત્યારે અત્યાર સુધીમાં 7 તારીખ પહેલા 84 ટકા કોલલેટર ડાઉનલોડ થઈ ચૂક્યા છે. આવનાર તારીખ 7 મેના રોજ સમગ્ર ગુજરાતમાં તલાટીની પરીક્ષા લેવાનારી છે. ત્યારે 7 લાખ 64 હજાર ઉમેદવારોએ સંમતિપત્રક ભર્યા છે.

ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કપવામાં આવી હતી. તલાટીની પરીક્ષા 30 એપ્રિલના રોજ યોજવામાં માટે બોર્ડે તૈયારી શરુ કરી હતી પરંતુ આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. હવે આગામી પરીક્ષાને લઈને તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.

પરીક્ષા સમિતી સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક કરવામાં આવી છે. 7 લાખ 64 હજાર ઉમેદવારોએ સંમતિપત્રક ભર્યા છે. એસટી અને રેલવે વિભાગે પણ પરીક્ષાઓની તૈયારીઓ કરી છે. ત્યારે તલીટીન  પરીક્ષા માટે  કોલલેટર ડાઉનલોડ કરાઈ ચૂક્યા છે. આગામી પરીક્ષાને લઈને સમગ્ર તૈયારીઓ તંત્ર તરફથી કરી દેવામાં આવી છે. અગાઉ આ પરીક્ષા વહેલા લેવાની હતી પરંતુ 17 લાખ પરીક્ષામાં ઉમેદવારો સામે 14 લાખ ઉમેદવારો માટે જ કેન્દ્ર મળ્યા હતા ત્યારે કેન્દ્રો ઓછા મળતા પરીક્ષાનો સમયગાળો લંબાવવામાં આવ્યો હતો. ત્યારે હવે તંત્રની મોટી તૈયારી છે ત્યારે ઓછી સંખ્યામાં સંમતી પત્રો ભરાયા છે. આ વખતે પણ પરીક્ષા સફળ રીતે લેવામાં આવે તેને લઈને આયોજન કરવામાં આવ્યું છે.

Related posts

ગુજરાતના જાણીતા વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ ગોહિલનું થયું નિધન

Ahmedabad Samay

બાળ રિમાન્ડ ગૃહમાંથી છૂટયા બાદ કિશોરી પર દુષકર્મ ગુજાર્યું

Ahmedabad Samay

લંડનમાં ગુમ થયેલા અમદાવાદના યુવકનો મૃતદેહ 11 દિવસ બાદ થેમ્સ નદીમાંથી મળ્યો, જાણો શું છે સમગ્ર ઘટના

Ahmedabad Samay

ભારત ના પ્રથમ મહિલા જાદુગર મેરીગોલ્ડ મંદાકિની મહેતાજી એ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યુ

Ahmedabad Samay

ક્ષતિગ્રસ્ત રસ્તાઓ અને બ્રિજની ચકાસણી કરીને, તેમના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ મંચ દ્વારા કમલમમાં બનેલ ઘટનાના આરોપીઓ ઉપર સખત કાર્યવાહી કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો