June 24, 2026
ગુજરાત

વરસાદની આગાહીને પગલે અમરેલીમાં આવેલા જાફરાબાદના માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઓ પણ આપવામાં આવી છે.

અમરેલી-સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદન અને ભારે પવન ફૂંકાવાને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. વરસાદની આગાહીને પગલે અમરેલીમાં આવેલા જાફરાબાદના માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઓ પણ આપવામાં આવી છે. તંત્રએ દરિયાઇ વિસ્તારોને લઇ માછીમારોને સતર્ક રહેવા માટે ફાયર વિભાગ દ્વારા એલર્ટ પણ કરવામાં આવી રહ્યા છે. તંત્ર દ્વારા જાફરાબાદના માછીમારોને દરિયામાંથી પરત બંદર પર બોલાવામાં પણ આવ્યા છે. જેમા 700 જેટલી બોટ સાથે માછીમારો આગમચેતીના ભાગ રૂપે જાફરાબાદ પહોંચ્યા છે. આવતા દિવસોમાં માછીમારોની દરિયો ખેડવાની સિઝન પૂર્ણ થાય તે પહેલા અગાવ માછીમારોને તંત્ર દ્વારા સૂચનાઓ આપીને વતન પરત બોલાવામાં આવ્યા છે.

શું છે હવામાન વિભાગની આગાહી?
વરસાદ અને ભારે પવન ફૂકાવાને લઇને હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની શકયતાઓ સેવવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા અને સુરત સહિતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. તો આ સાથે સૌરાષ્ટ્રમાં જેમ કે, ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં વરસાદની શક્યતા છે. અમદાવાદના દક્ષિણ વિસ્તારમાં પણ હળવો વરસાદ વરસી શકે છે. અરબી સમુદ્રમાં ડિપ્રેસન ડીપ ડિપ્રેશન બનતા માછીમારોને દરિયો ન ખેડવા માટે તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે.

Related posts

મેઘાણીનગર ખાતે આવેલ ચુવાળનગર સોસાયટી વિભાગ-૧ માં સવારે ૧૦ થી ૧૨ વાગે અભય ચેરીટેબલ ટ્રસ્ટ દવ્રારા વુંક્ષા રોપણ નો કાયકર્મ યોજાયું

Ahmedabad Samay

અમદાવાદના જુહાપુરા પાસે AMTSની અડફેટે એક મહિલાનું ઘટના સ્થળે જ થયું મોત

Ahmedabad Samay

અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં આજે વહીવટી તંત્ર દ્વારા “ઓપરેશન ક્લિન” હાથ ધરવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા ગ્રીમ ઓર્કેડના પાંચમાં માળે લાગી ભીષણ આગ,એક યુવતીનું મોત

Ahmedabad Samay

અમદાવાદના સાણંદ તાલુકાના વાસણા ગામેથી મેરી માટી, મેરા દેશ અભિયાનનો જિલ્લાવ્યાપી શુભારંભ

Ahmedabad Samay

વસ્ત્રાલમાં આવેલ રઘુલીલા રેસીડેન્સી તરફથી સેના ના જવાનોનું સન્માન કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો