February 10, 2025
ગુજરાત

વરસાદની આગાહીને પગલે અમરેલીમાં આવેલા જાફરાબાદના માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઓ પણ આપવામાં આવી છે.

અમરેલી-સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદન અને ભારે પવન ફૂંકાવાને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. વરસાદની આગાહીને પગલે અમરેલીમાં આવેલા જાફરાબાદના માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઓ પણ આપવામાં આવી છે. તંત્રએ દરિયાઇ વિસ્તારોને લઇ માછીમારોને સતર્ક રહેવા માટે ફાયર વિભાગ દ્વારા એલર્ટ પણ કરવામાં આવી રહ્યા છે. તંત્ર દ્વારા જાફરાબાદના માછીમારોને દરિયામાંથી પરત બંદર પર બોલાવામાં પણ આવ્યા છે. જેમા 700 જેટલી બોટ સાથે માછીમારો આગમચેતીના ભાગ રૂપે જાફરાબાદ પહોંચ્યા છે. આવતા દિવસોમાં માછીમારોની દરિયો ખેડવાની સિઝન પૂર્ણ થાય તે પહેલા અગાવ માછીમારોને તંત્ર દ્વારા સૂચનાઓ આપીને વતન પરત બોલાવામાં આવ્યા છે.

શું છે હવામાન વિભાગની આગાહી?
વરસાદ અને ભારે પવન ફૂકાવાને લઇને હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની શકયતાઓ સેવવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા અને સુરત સહિતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. તો આ સાથે સૌરાષ્ટ્રમાં જેમ કે, ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં વરસાદની શક્યતા છે. અમદાવાદના દક્ષિણ વિસ્તારમાં પણ હળવો વરસાદ વરસી શકે છે. અરબી સમુદ્રમાં ડિપ્રેસન ડીપ ડિપ્રેશન બનતા માછીમારોને દરિયો ન ખેડવા માટે તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે.

Related posts

નરોડા વિસ્તારમાં રાજધાની એક્સપ્રેસ જેવું સુપરફાસ્ટ કામનું નામ કાઉન્સિલર રાજેન્દ્ર સોલંકી

Ahmedabad Samay

ઠક્કરનગરમાં વિરલ ગોલ્ડ પેલેસમાં કરેલી લૂંટનો સી.સી.ટી.વી. ફૂટેજ આવ્યો સામે

Ahmedabad Samay

ભાજપ તરફે નાની ઉંમરે લીલાધર ખડકેને સોપાઈ જવાબદારી

Ahmedabad Samay

બિપરજોય ચક્રવાત: ખાલી કરાવાઈ રહ્યા છે વિસ્તારો, ટ્રેનો રદ, જાણો અત્યાર સુધી શું-શું થયું

Ahmedabad Samay

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા અમદાવાદ ખાતે હોર્સ રાઇડિંગ ક્લબનું ઉદ્ઘાટન કરાયુ

Ahmedabad Samay

આજ સ્થિતિ રહી તો લોકડાઉન ૪.૦ આવી શકે છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો