February 5, 2026
ગુજરાત

અમદાવાદ – શારદાબેન હોસ્પિટલમાં ભોજનમાં ગરોળી નિકળવા મામલે એએમસી દ્વારા તપાસ તેજ

સારદાબેન હોસ્પિટલમાં ભોજનની અંદર ગરોળી નિકળવા મામલે તપાસ તેજ કરવામાં આવી છે. આ મામલે સીસીટીવી ફૂટેજ થકી તપાસ કરવામાં આવશે. ક્યાં અને કેવી રીતે બેદરકારી રહી ગઈ તે બાબતે તપાસ  કરવામાં આવશે.

સર્જિકલ વિભાગની અંદર સારવાર લઈ રહેલા દર્દીને ભોજન અપાયું હતું. ત્યારે આ ભોજનમાં મરેલી ગરોળી મળી આવી હતી ત્યારે આ મામલો ગરમાયો હતો. આ પ્રકારે ભોજનમાં ગરોળી આવતા જ લોકોની હેલ્થ સાથે ચેડા થાય છે.

પેશન્ટ્સની દરેક પ્રકારની દરકરાર નાદુરસ્ત સમયે રાખી દર્દી દ્વારા મંગાવવામાં આવતું યોગ્ય ફૂડ મળી રહે તેવી જવાબદારી હોસ્પિટલ તંત્રની હોય છે. ત્યારે ભોજનમાં જ આ પ્રકારે મરેલી ગરોળી નિકળતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

ત્યારે અગાઉ થોડા દિવસ પહેલા બનેલી ઘટનાની તપાસ પણ ધીમી ગતિએ થઈ રહી છે. તેવામાં હવે કોર્પોરેશને આ તપાસ તેજ કરી છે. જે માટે સીસીટીવી ભોજનમાં મરેલી ગરોળી કેવી રીતે આવી તે મામલે મંગાવવામાં આવ્યા છે. ખાસ કરીને કોર્પોરેશન દ્વારા આ મામલે તપાસ તેજ કરવામાં આવી છે અને જલદીથી જ રીપોર્ટ પણ તૈયાર કરવામાં આવશે.

Related posts

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના ના રાષ્ટ્રીય કાર્યાલયના શુભ ઉદઘાટન મહંત શ્રી દિલીપદાસજી મહારાજ દ્વારા ઉદ્ઘાટન

Ahmedabad Samay

અમદાવાદની જીસીએસ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી અંગે મોક ડ્રિલ યોજાઈ

Ahmedabad Samay

અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ દ્વારા શાળાનો વાર્ષિક ઇનામ વિતરણનું આયોજન કરાયુ

Ahmedabad Samay

કોરોના પોઝિટિવ ન્યૂઝ,આજે ૩૦૨૩ દર્દી સાજા થયા

Ahmedabad Samay

વીરોને વંદન, માટીને નમન – અમદાવાદમાં ગવર્મેન્ટ પોલિટેક્નિક કેમ્પસમાં થશે શહીદ વનનું નિર્માણ

Ahmedabad Samay

સમાનતા ફાઉન્ડેશન દ્વારા સુરપંખા દહન કરવામાં આવ્યું, પુરુષોને સમાન ન્યાય માટે કાર્યક્રમ યોજવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો