January 23, 2025
રાજકારણ

ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કલાકારોને ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે

ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા જાહેર કરાયેલ ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ચિત્રકલા, શિલ્પકલા અને છબિકલા ક્ષેત્રે વિશિષ્ટ અને ગણનાપત્ર યોગદાન પ્રદાન કર્યું હોય, અને ગુજરાતમાં સ્થાયી થયેલા હોય તેવા ગુજરાતના કલાકારોને ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે.

જે માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬-૧૭ થી વર્ષ ૨૦૧૯-૨૦ સુધીના ગૌરવ પુરસ્કાર એનાયત કરવા માટે રાજ્યના ૩૧ કલાકારની પસંદગી કરી તેમના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે, તેમ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી-અમદાવાદના સચિવની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

વધુમાં જણાવ્યાનુસાર, આગામી તા. ૮મી જૂનના રોજ વિશંકર રાવળ કલા ભવન-અમદાવાદ ખાતે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી મુળુભાઈ બેરા તેમજ રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ગૌરવ પુરસ્કૃત કલાકારોની કલાકૃત્તિઓના પ્રદર્શનનો શુભારંભ કરવામાં આવશે. ત્યારબાદ કલાકારોને મંત્રી અને મહાનુભાવોના હસ્તે ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવાનો સમારોહ ઠાકોરભાઈ દેસાઈ હોલ-અમદાવાદ ખાતે યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગૌરવ પુરસ્કૃત કલાકારોને રૂ.૫૧,૦૦૦ ના રોકડ પુરસ્કાર, શાલ તથા તામ્રપત્રથી સન્માનિત કરવામાં આવશે.

Related posts

ગુજરાત કોંગ્રેસે મોડી રાતે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

Ahmedabad Samay

આજથી ભૂમાફીયા વિરૂદ્ધનો કાયદો અમલમાં: વિજય રૂપાણી

Ahmedabad Samay

મોદી સરનેમ મુસલમાન પણ રાખે છે : રાહુલ ગાંધી

Ahmedabad Samay

AIMIMને વિપક્ષ તરીકેનું સ્થાન આપવાની મેયરને રજૂઆત કરવામાં આવી

Ahmedabad Samay

ઉદ્ઘવ ઠાકરેને વધુ એક મોટો આંચકો, ઉદ્ઘવ સરકારમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી ઉદય સામંત પણ બળવાખોર એકનાથ શિંદેની છાવણીમાં જોડાયા

Ahmedabad Samay

જુનાગઢ તાલુકા ખરીદ વેચાણ સંઘમાં ચૂંટણી પૂર્વે જ ભાજપને પછડાટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો