June 22, 2026
તાજા સમાચાર

ચક્રવાત બિપરજોય ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માટે ખતરો, ભારે પવન અને વરસાદ લાવી શકે છે

રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થવાની સંભાવના છે. તેનું કારણ છે ચક્રવાત બિપરજોય, કે જે  ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદ લાવશે. વાવાઝોડું આગળ વધતાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ છે. તેને જોતા માછીમારો અને ખેડૂતોને એલર્ટ આપવામાં આવ્યું છે. ચક્રવાત ‘બિપરજોય’ હાલમાં દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર નીચા દબાણનો વિસ્તાર છે. આગામી 48 કલાક દરમિયાન તે ડિપ્રેશનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. આગામી 72 કલાકમાં તે ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે.

અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાનને લઈને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. માછીમારોને માછીમારી માટે દરિયામાં ન જવા માટે કહેવામાં આવ્યું છે. ચક્રવાત બિપરજોય ગુજરાત માટે ખતરા સમાન છે. સૌરાષ્ટ્ર-કચ્છના બંદરો પર નંબર 1 સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે. માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે. જો કે, હવામાન વિભાગે પણ ગુજરાતમાં ચક્રવાત પર નજર રાખવાનું શરૂ કર્યું છે.

દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાન બિપરજોયના આગળ વધવાના પગલે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના બંદરો પર નંબર વન સિગ્નલ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચક્રવાત બિપરજોય હાલમાં ગોવાના પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં લગભગ 890 કિમી દૂર છે. હવામાન વિભાગે તેની હિલચાલ ઉત્તર તરફની આગાહી કરી છે.

ગુજરાતના હવામાન વિભાગ મુજબ બિપરજોય નામનું આ ચક્રવાત હાલમાં અરબી સમુદ્રમાં કેન્દ્રિત છે. તે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી દૂર છે. ચક્રવાતની દિશા બદલાય તો તેને ટાળી શકાય છે. માછીમારોને માછીમારી માટે દરિયામાં દૂર સુધી ન જવા સૂચના આપવામાં આવી છે. તો બીજી તરફ ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે પોતાના અંદાજમાં જણાવ્યું છે કે ગુજરાત પર તોફાનનો ખતરો છે. વર્ષ 2023માં વધુ તોફાનો આવશે. આ વર્ષ તોફાનોથી ભરેલું રહેવાની આગાહી તેમણે નક્ષત્રોને આધારે કરી છે.

Related posts

આસ્થાનું કેન્દ્ર એવું ઉત્તરાખંડનું ‘કૈંચી ધામ’ હવે એક નવા અવતારમાં જોવા મળશે

Ahmedabad Samay

પશુપાલક માટે સારા સમાચાર,પાક વીમા પછી કેન્‍દ્ર સરકાર યુનિવર્સલ પશુધન વીમા યોજના લાવવાની તૈયારી શરૂ

Ahmedabad Samay

ઈટાલીના સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં મહેસાણાની દીકરી આશાબેન ઠાકોર અને દાહોદના પિન્કલબેન ચૌહાણે ફ્લોરબૉલ રમતમાં બ્રોન્ઝ મેડલ જીતીને ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા બાપુનગરની શ્રીજી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે બેઝિક લાઈફ સપોર્ટ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું

Ahmedabad Samay

મોરબી દુર્ઘટનાના લોકોના જીવ બચાવનાર રિયલ હીરો સમાન ગુજરાત પોલીસને દિલથી સલામ

Ahmedabad Samay

આસ્થા ફાઉન્ડેશન દ્વારા નિરાધાર વૃદ્ધઓ માટે અખબારનગર ખાતે વૃદ્ધાઆશ્રમ ની સ્થાપના કરવામા આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો