March 23, 2026
ગુજરાતતાજા સમાચાર

નવા શૈક્ષણિક સત્ર પ્રમાણે છ વર્ષમાં એક દિવસ પણ ખૂટતો હોય તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ નહિ આપવામાં આવે

આગામી શૈક્ષણિક વર્ષથી ધોરણ ૧માં તેવા જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે જેમની ઉંમર ૧ જૂન ૨૦૨૩ના રોજ ઓછામાં ઓછી છ વર્ષની હશે. જો તેમા એક દિવસ પણ ખૂટતો હશે તો વાલીઓએ તેમના બાળકોને પહેલા ધોરણમાં બેસાડવા માટે એક વર્ષ સુધી રાહ જોવી પડશે. ધોરણ ૧ માટે છ વર્ષની ઉંમર નક્કી કરાયા બાદ તેમા કેટલાક દિવસની છુટછાટ આપી શકાય તે અંગે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા હજી સુધી કોઈ નિર્ણય ન લેવાયો હોવાથી શાળાના સંચાલકો પણ મૂંઝવણમાં મૂકાયા છે અને છ વર્ષમાં એક દિવસ પણ ખૂટતો હોય તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનું ટાળી રહ્યા છે.

અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ પણ આવી ઘણી રજૂઆતો આવી છે. પહેલા ધોરણ માટે છ વર્ષની ઉંમર જરૂરી હોવાનો નિર્ણય આમ તો ૨૦૨૦માં જ લેવાયો હતો પરંતુ તેનો અમલ ૧ જૂનથી શરૂ થતાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪થી કરવામાં આવશે.

સ્‍થાનિક અખબાર નવગુજરાત સમયે સૂત્રોના આધારે આપેલી માહિતી પ્રમાણે, આ નિર્ણયના કારણે ધોરણ ૧માં પ્રવેશ માટે અનેક વિદ્યાર્થીઓનું એક વર્ષ બગડે તેવી શક્‍યતા છે. છ વર્ષની ઉંમર તો શિક્ષણ વિભાગે નક્કી કરી લીધી પરંતુ તેમા હજી છૂટછાટની જાહેરાત કરી નથી.

જેના કારણે સ્‍કૂલોને ૧ જૂન, ૨૦૨૩ના રોજ છ વર્ષ પૂરા ન થયા હોય તેમને પ્રવેશ આપવાનો ઈનકાર કર્યો છે. તેથી, જેમને છ વર્ષમાં એક-બે દિવસ ખૂટતાં હોય તેમને પણ પ્રવેશ મળી રહ્યો નથી.

Related posts

અમદાવાદના મરાઠી સમાજ દ્વારા ગતરોજ શ્રી ગણેશજીના માતા માં ગૌરીની વિવિધ રીતે સુંદર સૃણગાર કરી સ્થાપના કરાઈ, આજે કરાશે માં ગૌરીની વિશેષ પૂજા

Ahmedabad Samay

મહાત્મા ગાંધી લો કોલેજ ખાતે ક્વિઝ કોમ્પિટિશન રાખી માનવ અધિકાર દિનની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ધરતીપુત્રોના વ્યાપક હિતમાં એક મહત્વનો નિર્ણય કર્યો

Ahmedabad Samay

કૃષ્ણનગરમા મહિલા બુટલેગર થી જનતા પરેશાન

Ahmedabad Samay

આજે અમદાવાદ શહેર થયું 612 વર્ષનું, શું તમે દેશના પહેલા હેરિટેજ સિટી વિશે આ વાતો જાણો છો?

Ahmedabad Samay

ખોખરાથી કરફ્યૂમાં ગાયો ઉઠાવી જનારા ૪ કસાઈઓને ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો