February 5, 2026
ગુજરાત

અમદાવાદ ગોઝારો અકસ્માત: મોડી રાત્રે જગુઆરે 25 લોકોને કચડી નાખ્યા, 9 લોકોના ઘટનાસ્થળે જ મોત, 16 ઘાયલ

ગુજરાતના અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર એક મોટી દુર્ઘટના બની છે. જેમાં નવ લોકોના મોત થયા છે. આ સિવાય 20 જેટલા લોકો ઘાયલ થયા છે. આ ગોઝારી ઘટનામાં બે પોલીસકર્મી સહિત નવ લોકોના મોતથી ખળભળાટ મચી ગયો છે. એસયુવી કાર (થાર) અને ડમ્પર વચ્ચેની ટક્કર બાદ જગુઆર કાર પણ ત્યાં અથડાઈ ગઈ હતી. જગુઆરે થાર અને ડમ્પર વચ્ચે થયો અકસ્માત જોવા આવેલા ટોળાને કચડી નાખ્યા હતા. હવે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે કે કારમાં કોણ સવાર હતું?

મળતી માહિતી મુજબ, જગુઆર કાર લગભગ 160 kmphની ફુલ સ્પીડથી આવી હતી. આટલી સ્પીડમાં આવી રહેલી કારે થયો અકસ્માત જોનારા લોકોને કચડી નાખ્યા હતા. કારની ટક્કરથી આ લોકોને 30 ફૂટ સુધી ફેંકાઈ ગયા હતા. આ અકસ્માત બાદ લોકોની ચીસોથી સમગ્ર વિસ્તારમાં શોક ફેલાઈ ગયો હતો. ઘાયલોને સારવાર માટે સોલા સિવિલ અને સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે.

મૃતકોના પરિજનોમાં શોક

આ અકસ્માતનો ભોગ બનેલા લોકોના પરિવારજનો રડી-રડીને બેહાલ હાલતમાં પહોંચી ગયા છે. આ પરિવારોની એક જ માંગ છે કે તેમના સ્વજનોના મૃત્યુ માટે ન્યાય મળવો જોઈએ અને જેઓ એસયુવીમાં હતા તેમને સજા મળવી જોઈએ. મૃતકોમાં સુરેન્દ્રનગર, બોટાદના યુવાનો પણ હતા. આ સિવાય બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરજ પર હાજર પોલીસ જવાનનું પણ ઘટના સ્થળે મૃત્યુ થયું.

Related posts

તાનાશાહી રાજ થી પ્રજા ત્રસ્ત, નેતાજીનો ચૂંટણી તહેવાર સંપન તો કોરોના ફરી વિફર્યો

Ahmedabad Samay

સાબરમતી નદીના કિનારે, રિવરફ્રન્‍ટ ઇવેન્‍ટ સેન્‍ટર ખાતે પ્રમુખવરણી અમૃત મહોત્‍સવની ભવ્‍ય ઉત્‍સવ સભાનું આયોજન કરાયું

Ahmedabad Samay

કુબેરનગરમાં રોડના નબળા કામથી પડેલા ભૂવામાં યુવાન ખાબકતા ગંભીર ઇજા પહોંચી

Ahmedabad Samay

વીર છત્રપતિ શિવાજી મહારાજની જ્યંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરાયું

Ahmedabad Samay

ગુજરાત બોર્ડની એસએસસી પરીક્ષાનું એડમિટ કાર્ડ કરાયું જારી, આ રીતે કરી શકાય છે ડાઉનલોડ

Ahmedabad Samay

ગાંધીનગર સિવિલ હોસ્પિટલની બેદરકારી આવી સામે, ગુમ થયેલ કોવિડ પેસેન્ટનું મૃતદેહ હોસ્પિટલના જ બાથરૂમ માંથી મળી આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો