June 22, 2026
બિઝનેસ

આગામી 5 વર્ષ સુધી પગાર વગર કામ કરશે મુકેશ અંબાણી, જાણો શું છે માસ્ટર પ્લાન

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી છેલ્લા 3 વર્ષથી શૂન્ય પગાર પર કામ કરી રહ્યા છે. મતલબ કે તેમણે છેલ્લા 3 વર્ષમાં પગાર લીધો નથી. એટલું જ નહીં, તેઓ આગામી 5 વર્ષ સુધી પગાર વિના કામ કરવા માંગે છે. તેથી, રિલાયન્સ કંપનીએ શેરધારકોને આગામી 5 વર્ષ માટે કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (CMD) તરીકે મુકેશ અંબાણીની નિમણૂક કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમના નવા કાર્યકાળ દરમિયાન, 66 વર્ષીય મુકેશ અંબાણી મેનેજિંગ ડિરેક્ટરના પદ માટે કંપની એક્ટ હેઠળ 70 વર્ષની વય મર્યાદાને પાર કરશે. આવા સંજોગોમાં, તેમને આગળની નિમણૂક માટે શેરધારકોના વિશેષ ઠરાવની જરૂર છે.

2002માં પ્રથમ વખત કંપનીના ચેરમેન બન્યા હતા

તેમના નવા સ્પેશિયલ રિઝોલ્યુશનમાં, રિલાયન્સે શેરધારકોને એપ્રિલ 2029 સુધીમાં કંપનીના ચેરમેન તરીકે મુકેશ અંબાણીને નિયુક્ત કરવા વિનંતી કરી છે. તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણી 1977થી રિલાયન્સના બોર્ડમાં છે. જુલાઈ 2002 માં, તેમના પિતા અને રિલાયન્સ ગ્રુપના સ્થાપક, ધીરુભાઈ અંબાણીના મૃત્યુ પછી, મુકેશ અંબાણીને કંપનીના ચેરમેન બનાવવામાં આવ્યા હતા.

રિલાયન્સની (AGM) 28 ઓગસ્ટે યોજાશે

રિલાયન્સે શેરધારકોને મોકલેલા વિશેષ ઠરાવમાં જણાવ્યું છે કે તેમના બોર્ડે 21 જુલાઈ, 2023ના રોજ આગામી 5 વર્ષ માટે મેનેજિંગ ડિરેક્ટર તરીકે મુકેશ અંબાણીની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. જણાવી દઈએ કે રિલાયન્સની વાર્ષિક સામાન્ય સભા (AGM) 28 ઓગસ્ટના રોજ યોજાવાની છે.

મુકેશ અંબાણીએ 3 વર્ષથી પગાર નથી લીધો

રિલાયન્સે તેના પ્રસ્તાવમાં કહ્યું છે કે મુકેશ અંબાણીએ નાણાકીય વર્ષ 2008-09 થી 2019-20 સુધી 15 કરોડ રૂપિયાની વાર્ષિક આવક નક્કી કરી હતી. જો કે, નાણાકીય વર્ષ 2020-21 થી, તેમણે કોવિડ -19 રોગચાળાને કારણે પોતાનો પગાર છોડી દેવાનું નક્કી કર્યું. નાણાકીય વર્ષ 2020-21 થી અત્યાર સુધી, મુકેશ અંબાણીને સતત 3 વર્ષથી કોઈપણ પ્રકારનું પગાર અને નફા આધારિત કમિશન આપવામાં આવ્યું નથી. એટલું જ નહીં, પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે ‘મુકેશ અંબાણીના અનુરોધ પર બોર્ડ ભલામણ કરે છે કે તેમને 19 એપ્રિલ, 2024થી 18 એપ્રિલ, 2029 સુધી કોઈ પગાર કે નફા આધારિત કમિશન ન આપવામાં આવે’.

Related posts

લાલ નિશાનમાં ખુલ્યું શેરબજાર, સેન્સેક્સ 146 પોઈન્ટ ઘટીને 65,699 પોઈન્ટ પર પહોંચ્યો, નિફ્ટીમાં પણ નબળાઈ

Ahmedabad Samay

35 પૈસામાં 10 લાખ સુધીનું વળતર…. તમે ટ્રેનની ટિકિટ બુક કરાવતી વખતે વીમો લેવાનું ભૂલતા નહીં, જાણી લો તમામ વિગત

Ahmedabad Samay

ભારતની બીજી સૌથી મોટી પ્રાઇવેટ સેક્ટરની બેંકે FD પર વધાર્યું ઇન્ટરેસ્ટ, હવે બેંક આપી રહી છે 7.25% નું જોરદાર ઇન્ટરેસ્ટ

Ahmedabad Samay

આ 6 બેન્કો વરિષ્ઠ નાગરિકોને FD આપી રહી છે સૌથી વધુ વ્યાજ, તમારા પૈસા પર 9.50% વ્યાજ મેળવવાની છે તક

Ahmedabad Samay

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને મળી શકે છે 46 ટકા DA, સરકાર ક્યારે આપશે મોટી ભેટ?

Ahmedabad Samay

ઝાટકો / ફરીથી મોટી છટણીની ફિરાકમાં BYJU’S, જઈ શકે છે હજારો લોકોની નોકરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો