January 20, 2025
બિઝનેસ

આગામી 5 વર્ષ સુધી પગાર વગર કામ કરશે મુકેશ અંબાણી, જાણો શું છે માસ્ટર પ્લાન

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી છેલ્લા 3 વર્ષથી શૂન્ય પગાર પર કામ કરી રહ્યા છે. મતલબ કે તેમણે છેલ્લા 3 વર્ષમાં પગાર લીધો નથી. એટલું જ નહીં, તેઓ આગામી 5 વર્ષ સુધી પગાર વિના કામ કરવા માંગે છે. તેથી, રિલાયન્સ કંપનીએ શેરધારકોને આગામી 5 વર્ષ માટે કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (CMD) તરીકે મુકેશ અંબાણીની નિમણૂક કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમના નવા કાર્યકાળ દરમિયાન, 66 વર્ષીય મુકેશ અંબાણી મેનેજિંગ ડિરેક્ટરના પદ માટે કંપની એક્ટ હેઠળ 70 વર્ષની વય મર્યાદાને પાર કરશે. આવા સંજોગોમાં, તેમને આગળની નિમણૂક માટે શેરધારકોના વિશેષ ઠરાવની જરૂર છે.

2002માં પ્રથમ વખત કંપનીના ચેરમેન બન્યા હતા

તેમના નવા સ્પેશિયલ રિઝોલ્યુશનમાં, રિલાયન્સે શેરધારકોને એપ્રિલ 2029 સુધીમાં કંપનીના ચેરમેન તરીકે મુકેશ અંબાણીને નિયુક્ત કરવા વિનંતી કરી છે. તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણી 1977થી રિલાયન્સના બોર્ડમાં છે. જુલાઈ 2002 માં, તેમના પિતા અને રિલાયન્સ ગ્રુપના સ્થાપક, ધીરુભાઈ અંબાણીના મૃત્યુ પછી, મુકેશ અંબાણીને કંપનીના ચેરમેન બનાવવામાં આવ્યા હતા.

રિલાયન્સની (AGM) 28 ઓગસ્ટે યોજાશે

રિલાયન્સે શેરધારકોને મોકલેલા વિશેષ ઠરાવમાં જણાવ્યું છે કે તેમના બોર્ડે 21 જુલાઈ, 2023ના રોજ આગામી 5 વર્ષ માટે મેનેજિંગ ડિરેક્ટર તરીકે મુકેશ અંબાણીની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. જણાવી દઈએ કે રિલાયન્સની વાર્ષિક સામાન્ય સભા (AGM) 28 ઓગસ્ટના રોજ યોજાવાની છે.

મુકેશ અંબાણીએ 3 વર્ષથી પગાર નથી લીધો

રિલાયન્સે તેના પ્રસ્તાવમાં કહ્યું છે કે મુકેશ અંબાણીએ નાણાકીય વર્ષ 2008-09 થી 2019-20 સુધી 15 કરોડ રૂપિયાની વાર્ષિક આવક નક્કી કરી હતી. જો કે, નાણાકીય વર્ષ 2020-21 થી, તેમણે કોવિડ -19 રોગચાળાને કારણે પોતાનો પગાર છોડી દેવાનું નક્કી કર્યું. નાણાકીય વર્ષ 2020-21 થી અત્યાર સુધી, મુકેશ અંબાણીને સતત 3 વર્ષથી કોઈપણ પ્રકારનું પગાર અને નફા આધારિત કમિશન આપવામાં આવ્યું નથી. એટલું જ નહીં, પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે ‘મુકેશ અંબાણીના અનુરોધ પર બોર્ડ ભલામણ કરે છે કે તેમને 19 એપ્રિલ, 2024થી 18 એપ્રિલ, 2029 સુધી કોઈ પગાર કે નફા આધારિત કમિશન ન આપવામાં આવે’.

Related posts

Business: IRCTC વેબસાઇટ અટકી, રિઝર્વેશન કાઉન્ટર વધ્યા, જાણો શું છે કારણ?

Ahmedabad Samay

મહત્ત્વપૂર્ણ સમાચાર / ક્રેડિટ કાર્ડથી ખર્ચ કરવો છે તો ધ્યાન રાખજો, ટેક્સને લઈ આવશે મોટું અપડેટ

Ahmedabad Samay

ભોજનની થાળી પર મોંઘવારીનો માર… જાણો એક વર્ષમાં કેટલો વધી ગયો ભાવ?

Ahmedabad Samay

ટાર્ગેટ / ભારતને વિકસિત દેશ બનાવશે વડાપ્રધાન મોદી, 2047 સુધીનો છે લક્ષ્ય

Ahmedabad Samay

લાલ નિશાનમાં ખુલ્યું શેરબજાર, સેન્સેક્સ 146 પોઈન્ટ ઘટીને 65,699 પોઈન્ટ પર પહોંચ્યો, નિફ્ટીમાં પણ નબળાઈ

Ahmedabad Samay

સોનામાં રેકોર્ડ તેજી, અત્યારે ખરીદનારાઓ ફાયદામાં રહેશે! ચેક કરી લો 10 ગ્રામનો ભાવ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો