ન્યૂઝ ડિબેટમાં તર્કબદ્ધ દલીલ કરતા અને ખોટાને ખોટું કહેતા ડરતા નહી. કોઈ પણ વિષયમાં તર્કબદ્ધ દલીલ કરવી એ તેમની ઓળખ હતી એવા વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ ગોહિલનું ગત રોજ નિધન થયેલ છે.
ગુજરાતના જાણીતા વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ ગોહિલનું નિધન થયું છે. ભાવનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન દિલીપભાઈ ગોહિલનું નિધન થયું. સ્પષ્ટ વક્તા અને સટીક વિશ્લેષકની છાપ ધરાવતા દિલીપભાઈ ફાની દુનિયાને છોડી ગયા. કોઈ પણ વિષયમાં તર્કબદ્ધ દલીલ કરવી એ જ તેમની ઓળખ હતી. ખોટાને ખોટું કહેતા પણ દિલીપભાઈ ક્યારેય ડર્યા નથી.
ચર્ચામાં સામે વાળા વ્યક્તિને પણ હસતા મુખે સ્વીકારવી પડે તેવી દલીલો કરતા. વી-ટીવી ન્યુઝના મહામંથન કાર્યક્રમમાં ગુજરાતના દર્શકો નિયમિત દિલીપભાઈના વિશ્લેષણથી અભિભૂત થતા. દિલીપભાઈની અણધારી વિદાઈથી ગુજરાતના પત્રકારત્વ જગતને મોટી ખોટ પડી છે.
