May 10, 2026
ગુજરાત

ગુજરાતના જાણીતા વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ ગોહિલનું થયું નિધન

ન્યૂઝ ડિબેટમાં તર્કબદ્ધ દલીલ કરતા અને ખોટાને ખોટું કહેતા ડરતા નહી. કોઈ પણ વિષયમાં તર્કબદ્ધ દલીલ કરવી એ તેમની ઓળખ હતી એવા વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ ગોહિલનું ગત રોજ નિધન થયેલ છે.

ગુજરાતના જાણીતા વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ ગોહિલનું નિધન થયું છે. ભાવનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન દિલીપભાઈ ગોહિલનું નિધન થયું. સ્પષ્ટ વક્તા અને સટીક વિશ્લેષકની છાપ ધરાવતા દિલીપભાઈ ફાની દુનિયાને છોડી ગયા. કોઈ પણ વિષયમાં તર્કબદ્ધ દલીલ કરવી એ જ તેમની ઓળખ હતી. ખોટાને ખોટું કહેતા પણ દિલીપભાઈ ક્યારેય ડર્યા નથી.

ચર્ચામાં સામે વાળા વ્યક્તિને પણ હસતા મુખે સ્વીકારવી પડે તેવી દલીલો કરતા. વી-ટીવી ન્યુઝના મહામંથન કાર્યક્રમમાં ગુજરાતના દર્શકો નિયમિત દિલીપભાઈના વિશ્લેષણથી અભિભૂત થતા. દિલીપભાઈની અણધારી વિદાઈથી ગુજરાતના પત્રકારત્વ જગતને મોટી ખોટ પડી છે.

Related posts

નવરાત્રિ દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે ભારે વાહનો પર પ્રતિબંધ રાતના ૨ વાગ્યા સુધી લંબાવવામાં

Ahmedabad Samay

અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે નવી AC પ્રતિક્ષાલયની શરૂઆત કરવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદ: આવતીકાલે ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાશે, જળાભિષેક-ષોડશોપચાર પૂજા વિધી કરાશે

Ahmedabad Samay

તૌકતે એ કરેલા નુક્શાને વડાપ્રધાન મોદીએ હવાઇ નિરીક્ષણ કર્યું

Ahmedabad Samay

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ મોકુફ રખાયું

Ahmedabad Samay

વરસાદની આગાહીને પગલે અમરેલીમાં આવેલા જાફરાબાદના માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઓ પણ આપવામાં આવી છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો