June 22, 2026
ગુજરાત

ગણેશ ચતુર્થીથી શરૂ થયેલ ૧૧ દિવસીય ગણેશ મહોત્‍સવનું આજે સમાપન થયુ, નિકોલ ચા રાજાના વાજતે ગાજતે વિસર્જન કરાયા

ગણેશ ચતુર્થીથી શરૂ થયેલ ૧૧ દિવસીય ગણેશ મહોત્‍સવનું આજે સમાપન થયુ હતુ. અમદાવાદમાં ઠેરઠેર સ્‍થાપિત કરાયેલ દુંદાળા દેવની મુર્તિઓને આજે ભારે હૈયે અને ભીની આંખે વિદાય આપી વિસર્જન યાત્રાઓ યોજવામાં આવી હતી.

તમામ સ્‍થળોએ પંડાલો આજે ખાલી થઇ ગયા હતા. જે ચોકમાં દરરોજ રોશનીના ઝળહળાટ અને નયનરમ્‍ય શણગાર વચ્‍ચે આરતી પૂજન અને સાંસ્‍કૃતિ કાર્યક્રમોનો ધમધમાટ ચાલતો હતો ત્‍યાં આજે શાંતિ છવાઇ ગઇ હતી.

કયાંક બપોરે તો કયાંક બપોર બાદ દુંદાળા દેવની વિસર્જન યાત્રા નિકળી હતી. પોલીસ બંદોબસ્‍ત પણ ગોઠવાયા હતા. ‘ગણપતિ અપને ગાંવ ચલે’ જેવા ગીતો અને ‘ગણપતિ બાપા મોરીયા, પુડચ્‍યા વર્ષી લવકરીયા’ના નાદોથી માર્ગો ગુંજી ઉઠયા હતા. અબીલ ગુલાલ અને પુષ્‍પવર્ષાથી વિસર્જન યાત્રાના માર્ગો લથબથ ગઇ ગયા હતા.

આજે અમદાવાદમાં વરસાદ હોય જાણે ગણપતિ બાપાને વિદાય આપવા મેઘરાજાની પણ હાજરી હોય તેવો ભાવ સૌએ અનુભવ્‍યો હતો. વરસતા વરસાદે પણ ગણેશ ભકતો ગણેશબાપાની વિસર્જન યાત્રામાં સામેલ થયા હતા.

અમદાવાદમાં મૂર્તિ વિસર્જન માટે કેટલાક સ્‍થળો તંત્ર દ્વારા નિરધારીત કરાયા છે. અનેક સ્થળોએ વિસર્જન કરવા કુત્રિમ કુંડ પણ બનાવવામાં આવ્યા છે.

નિકોલ ચા રાજા ના વિસર્જનમાં ભાવિ ભક્તોની ભીડ જામી હતી પોલીસ બંદોબસ્ત અને યુવા મંડળ દ્વારા વાજતા ગાજતા ગણેશજીના વિસર્જન કરવામાં આવ્યા હતા.

https://www.instagram.com/reel/DOQc2wxCFus/?igsh=c3NheWlzdGoxYnJ1

Related posts

નેતાજી બલરામ થાવાણીની દાદાગીરી ફરી આવી સામે,VI કર્મચારી ને કામ કરવાથી રોકવામાં આવ્યું

Ahmedabad Samay

ઝોન ૦૫ ના ડીસીપી અચલ ત્યાગી દ્વારા વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા

Ahmedabad Samay

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૧૨ મુ અંગદાન બ્રેઇનડેડ મુકેશભાઈ રાણાના અંગદાનથી ત્રણ જરૂરિયાતમંદોને નવજીવન

Ahmedabad Samay

અમદાવાદ – સાબરમતી જેલના કેદીઓએ ભારતના પ્રજ્ઞાચક્ષુઓ માટે 4,500 ઓડીયો બુક બનાવી રચ્યો ઇતિહાસ

Ahmedabad Samay

અમદાવાદમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર ટ્રાફિક જામ જોવા મળ્યું

Ahmedabad Samay

શહેરના અગ્રણી ઔદ્યોગિક વિસ્તાર ગણાતા નરોડા GIDCમાં એક ફેક્ટરીમાં અચાનક લાગી ભીષણ આગ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો