August 7, 2026
તાજા સમાચાર

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં ખેડૂતો અને ઉત્પાદકોનું રાખ્યું ધ્યાન

બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રીએ કહ્યું કે ભારત વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્‍પાદક દેશ છે. પરંતુ અહીં દૂધાળા પશુઓની ઉત્‍પાદકતા નથી. તેમણે કહ્યું કે ડેરી ખેડૂતોને મદદ કરવા માટે એક વ્‍યાપક કાર્યક્રમ તૈયાર કરવામાં આવશે. તેમજ પગ અને મોઢાના રોગને કાબુમાં લેવાના પ્રયાસો પણ ચાલુ છે. નાણામંત્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે, ભારત વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્‍પાદક દેશ છે પરંતુ દેશમાં ડેરી પ્રાણીઓની દૂધ ઉત્‍પાદકતા ઓછી છે. આ કાર્યક્રમ રાષ્ટ્રીય ગોકુલ મિશન, રાષ્ટ્રીય પશુધન મિશન અને ડેરી પ્રોસેસિંગ અને પશુપાલન માટે ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર ડેવલપમેન્‍ટ ફંડ જેવી હાલની યોજનાઓની સફળતા પર નિર્માણ કરશે.

આ ઉપરાંત નાણામંત્રીએ મત્‍સ્‍યોદ્યોગની સંપત્તિ અંગે કહ્યું કે અમારી સરકાર જ છે જેણે માછીમારોને મદદ કરવાનું મહત્‍વ સમજયું અને અલગ મત્‍સ્‍ય વિભાગની સ્‍થાપના કરી. ત્‍યારથી અંતર્દેશીય અને જળચર કૃષિ ઉત્‍પાદન બમણું થયું છે. સીફૂડની નિકાસ પણ ૨૦૧૩-૧૪દ્મક બમણી થઈ છે. પ્રધાનમંત્રી મત્‍સ્‍ય સંપદા યોજનાના અમલીકરણને પ્રોત્‍સાહન આપવામાં આવશે.

બજેટ રજૂ કરતી વખતે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્‍યું હતું કે નેનો યુરિયાને સફળતાપૂર્વક અપનાવ્‍યા પછી, નેનો ડીએપીનો ઉપયોગ તમામ કૃષિ-ક્‍લાઇમેટ ઝોનમાં વિવિધ પાકો પર કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ૧૧.૮ કરોડ ખેડૂતોને સરકારી સહાય આપવામાં આવી છે. પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિ યોજના દ્વારા કરોડો ખેડૂતોને સીધા જ ફંડ ટ્રાન્‍સફર કરવામાં આવી રહ્યું છે. પીએમ કિસાન યોજનાનો લાભ દેશભરના અન્ન પ્રદાતાઓને મળી રહ્યો છે. સાથે જ પીએમ ફસલ યોજનાનો લાભ ચાર કરોડ ખેડૂતોને આપવામાં આવી રહ્યો છે

Related posts

ખતરનાક બન્યું બિપરજોય, ગુજરાતમાં દસ્તક દેશે, પાકિસ્તાનમાં પણ અસર કરશે, ચક્રવાત ક્યાં પહોંચ્યું?

Ahmedabad Samay

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાંથી ગુજરાત મુલાકાત દરમિયાન બે રેલીઓ સંબોધશે

Ahmedabad Samay

વર્લ્ડ કપની 12મી મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું

Ahmedabad Samay

અમેરિકા જવાની લાલશમાં જીવ ગુમાવ્યું,મેક્સિકો-અમેરિકાની દીવાલ કુદી જતા યુવકનું થયું મૃત્યુ, પત્ની અને ત્રણ વર્ષનું બાળક વિદેશમાં રજળ્યું

Ahmedabad Samay

કતારના ગેસ પ્લાન્ટમાં બ્લાસ્ટ,ભારતીય અને પાકિસ્તાની મૂળના ઓછામાં ઓછા 13 નિર્દોષ શ્રમિકોના દર્દનાક મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 66 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ, હેલ્પલાઇન જાહેર

Ahmedabad Samay

ભારતની શક્‍તિશાળી સેનાએ રાત્રે ૧.૩૦ વાગ્‍યે ઓપરેશન સિંદૂરમાં પાકિસ્‍તાનમાં ૧૦૦ કિમી અંદર ઘૂસીને આતંકવાદી ઠેકાણાઓનો નાશ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો