અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPL 2024ની ક્વોલિફાયર મેચ રમાઈ રહી છે. આ વચ્ચે KKR ટીમના માલિક અને બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની આજે બપોરે તબિયત લથડી હતી.
ગરમીનાં કારણે બોલિવૂડ એક્ટરને લૂ લાગવાથી ડીહાઇડ્રેશન થતાં આજે બપોરે શહેરની KD હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જોકે, પ્રાથમિક સારવાર બાદ શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી રજા આપી હોવાનું પણ મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે.
આ વર્ષની ગરમીથી સૌકોઈ હેરાન પરેશાન છે. તેવામાં એક્ટર પણ ન બચી શક્યા. તેમને લૂ લાગી ગઈ. શાહરૂખ ખાન ક્વોલિફાયર 1માં પોતાની ટીમ KKRને સપોર્ટ કરવા માટે અમદાવાદમાં હતા.
