અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ, ગુજરાત પ્રદેશ દ્વારા 14/3/21 ના દિવસે રવિવારે માનવતાની સુગંધ ફેલાવવામાં આવી હતી, જેમાં એસએમએ 1 નામની બીમારીની સારવારનો કુલ ખર્ચ 22 કરોડ રૂપિયા હતો. તે સરકારે 6 કરોડનો ટેક્ષ માફ કર્યા પછી પણ 16 કરોડની કુલ આવશ્યકતા છે.

જે માટે સંગઠનના તમામ કાર્યકરો દ્વારા અમદાવાદના મેમકો, નરોડા પાટિયા, ગેલેક્ષી ચાર રસ્તા, હાઇવે ટોલ ટેક્ષ પર પૈસા એકત્રિત કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ બેસાડયો હતો અને નાનકડા જીવને બચાવવા માટે ખૂબ સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.
