કિરણ રાવ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘લાપતા લેડીઝ’થિયેટરો પછી OTT પર રિલીઝ થયેલી આ ફિલ્મને દર્શકોનો ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યા છે. આ જ કારણ છે કે ઓટીટી પર આવ્યા બાદ પણ ફિલ્મને ઘણી પસંદ કરવામાં આવી રહી છે.છેલ્લા એક મહિનામાં લાપતા લેડીઝને એટલો બધો પ્રેમ મળ્યો છે કે ફિલ્મે દર્શકોની સંખ્યાના મામલે સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ એનિમલને પાછળ છોડી દીધી છે. ફિલ્મના વ્યુઝ માત્ર એક મહિનામાં મિલિયન સુધી પહોંચી છે.
રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના સ્ટારર ફિલ્મ એનિમલ ગયા વર્ષે ૧ ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મની શાનદાર કમાણી પછી, તે ૨૬ જાન્યુઆરીએ નેટફિ્લક્સ પર રિલીઝ થઈ.લાપતા લેડીઝ થિયેટરોમાં સારી કમાણી કરી શકી નથી, પરંતુ તે OTT પર બમ્પર વ્યુઅરશિપ મેળવી રહી છે. રણબીર કપૂરની એનિમલને ૧ કરોડ ૩૬ લાખ વ્યૂઝ મળ્યા છે, જ્યારે લાપતા લેડીઝના વ્યૂઝ ૧ કરોડ ૩૮ લાખ સુધી પહોંચી ગયા છે. બંને અલગ-અલગ જોનરની ફિલ્મો છે, જેને ચાહકોએ ઘણો પ્રેમ આપ્યો છે.
રણબીર કપૂરની ફિલ્મ એનિમલ રીલિઝ થઈ ત્યારે તેના સીન અને કન્ટેન્ટ માટે તેની ભારે ટીકા થઈ હતી. આ ફિલ્મને લઈને ઘણા વિવાદો ઉભા થયા, પરંતુ આ બધાની અસર રણબીર કપૂરની ફિલ્મ પર જોવા મળી ન હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી અને વિશ્વભરમાં ૯૧૮ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ ફિલ્મમાં રણબીર કપૂર સિવાય અનિલ કપૂર, રશ્મિકા મંદન્ના, તળપ્તિ ડિમરી, બોબી દેઓલ જેવા મોટા અને પ્રખ્યાત સ્ટાર્સ છે.
લાપતા લેડીઝની વાત કરીએ તો આ ફિલ્મ બિપ્લબ ગોસ્વામીની નવલકથા પર આધારિત છે. જેનું નિર્માણ આમિર ખાન અને જ્યોતિ દેશપાંડેએ કર્યું છે. આ ફિલ્મમાં પ્રતિભા રાંતા, નિતાંશી ગોયલ, સ્પર્શ શ્રીવાસ્તવ અને રવિ કિશન લીડ રોલમાં છે. આ ફિલ્મની વાર્તા ગામડાની પળષ્ઠભૂમિ પર આધારિત છે. જ્યાં મુસાફરી દરમિયાન બે દુલ્હન રહસ્યમય રીતે ગાયબ થઈ જાય છે અને પછી જે વળાંકો આવે છે વાર્તામાં એ ખરેખર જોવા જેવા છે.
