January 24, 2026
ગુજરાત

મરાઠી સમાજના આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ તરફે સમાજનું દ્રુતીય સ્નેહમિલન આયોજન કરવામાં આવ્યું

આજ રોજ મરાઠી સમાજના આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ તરફે સમાજનું દ્રુતીય સ્નેહમિલન આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યક્રમની શરૂઆતમાં ભગવાની આરતી કરી રાજકોટમાં બનેલ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલ માસુમ ફુલકાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી,


આ કાર્યક્રમમાં સમાજના યુવાનો દ્વારા ડાન્સ, સીનગીગ, ડ્રોઈંગ, મિમિક્રી, મોટિવેશનલ સ્પીચ અને તલવારબાજી કરવામાં આવી હતી, જેમાં આ કાર્યક્રમમાં ખાસ કરીને સમાજની મહિલાઓ દ્વારા કરવામાં આવેલ મરાઠી સંસ્કૃતિ ડાન્સ આકર્ષણનો કેન્દ્ર બન્યું હતું, મરાઠી સમાજના જુદા જુદા પંચના તમામ હોદેદારોને ફૂલ હારથી સન્માનિત કરવામાં આવ્યા હતા,

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સૌ સમાજ બંધુઓએ સામુહિક ભોજનનો કર્યું હતું અને મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું, ટ્રસ્ટના જિલ્લા અધ્યક્ષ શ્રી સંજયભાઇ દેવલેકરે ઉપસ્થિત તમામ સમાજ બંધુઓ અને આ કાર્યક્રમને સફળ બનાવનાર તમામ કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related posts

35 સોસાયટીઓ માઈક્રોકન્ટેઇનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવી

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિસદ દ્વારા સક્રિય પદાધિકારીઓ અને મિત્રો સાથે એક સંકલન બેઠકનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદ: ઔદ્યોગિક વિસ્તારોમાં સરકાર સામાન્ય સુવિધાઓ ઊભી કરશેઃ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત

Ahmedabad Samay

હવામાન વિભાગ દ્વારા આગામી ૪૮ કલાક વરસાદ માટે રેડ એલર્ટ અપાયું,

Ahmedabad Samay

કૃષ્ણનગર વોર્ડમાં ભાજપના મહિલા કોર્પોરેટર વિરુદ્ધ વિરોધ

Ahmedabad Samay

ગુમ થયેલ છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો