September 11, 2026
ગુજરાત

મરાઠી સમાજના આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ તરફે સમાજનું દ્રુતીય સ્નેહમિલન આયોજન કરવામાં આવ્યું

આજ રોજ મરાઠી સમાજના આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ તરફે સમાજનું દ્રુતીય સ્નેહમિલન આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યક્રમની શરૂઆતમાં ભગવાની આરતી કરી રાજકોટમાં બનેલ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલ માસુમ ફુલકાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી,


આ કાર્યક્રમમાં સમાજના યુવાનો દ્વારા ડાન્સ, સીનગીગ, ડ્રોઈંગ, મિમિક્રી, મોટિવેશનલ સ્પીચ અને તલવારબાજી કરવામાં આવી હતી, જેમાં આ કાર્યક્રમમાં ખાસ કરીને સમાજની મહિલાઓ દ્વારા કરવામાં આવેલ મરાઠી સંસ્કૃતિ ડાન્સ આકર્ષણનો કેન્દ્ર બન્યું હતું, મરાઠી સમાજના જુદા જુદા પંચના તમામ હોદેદારોને ફૂલ હારથી સન્માનિત કરવામાં આવ્યા હતા,

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સૌ સમાજ બંધુઓએ સામુહિક ભોજનનો કર્યું હતું અને મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું, ટ્રસ્ટના જિલ્લા અધ્યક્ષ શ્રી સંજયભાઇ દેવલેકરે ઉપસ્થિત તમામ સમાજ બંધુઓ અને આ કાર્યક્રમને સફળ બનાવનાર તમામ કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related posts

ભૂપેન્દ્રભાઈ પટેલે નવમા વાઇબ્રન્ટ અમદાવાદ નેશનલ બુક ફેર-૨૦૨૪નું ઉદઘાટન કર્યું

Ahmedabad Samay

બીઝ ટ્રીઝ નેટવર્કિંગ અને બિઝનેસ કોમ્યુનિટી દ્વારા બિઝનેસ ગ્રોથ માટેના મહાસંગ્રામ એટલે “કુરુક્ષેત્ર – ૨૩”નું ભવ્ય આયોજન કરાયું

admin

અંબાજી ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા કરીને પરત આવેલા ભક્તોની હાર્દિક પટેલે મુલાકાત કરી

Ahmedabad Samay

દેશ વિરોધી જાસૂસી પ્રવૃત્તિ કરનાર ISI એજન્ટ દીપક સાળુંની પૂછતાછ કરતા વધુ ચોકાંવનારી વિગતો સામે આવી છે

Ahmedabad Samay

NEWS UPDATE

Ahmedabad Samay

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો