April 30, 2026
ગુજરાત

અંતરીક્ષમાં ફસાયેલ સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી ધરતીપર સુરક્ષિત અને વહેલા પરત ફરે તેમાટે માનવ અધિકાર ગ્રુપ દ્વારા સર્વે ધર્મ પ્રાથના સભા યોજવામાં આવી

અંતરીક્ષમાં ફસાયેલ મૂળ ભારતીય અંતરીક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી બૂચ વિલ્મોર હેમખેમ ધરતી ઉપર પાછા ફરે તે માટે માનવ અધિકાર ગ્રુપ ના પ્રમુખ શ્રી જયોર્જ ડાયસ ની આગેવાની હેઠળ વીર ભગતસિંહ ની પ્રતિમા પાસે, ખોખરા સર્કલ ખાતે સર્વ ધર્મ પ્રાર્થના યોજવામાં આવી હતી.

આ પ્રાથના સભામાં  પંડિત અશોક શાસ્ત્રી એ પ્રાર્થના,મ્યુ કાઉન્સિલર શ્રી ઇકબાલ શેખે દુઆ, પાસ્ટર શ્રી જશવંત પરમારે પ્રેયર , શીખ સમાજના રમિન્દ્રસિંહ બગ્ગા એ પાઠ વાંચન, ડોલીબેન દવે એ પ્રાર્થના દ્વારા સર્વ ધર્મ પ્રાથના યોજવામાં આવી હતી

જેમા વિવિધ સમાજ ના અગ્રણી સર્વ શ્રી વિશાલ ગુર્જર, રમેશ ભીલ, યશ ચૌધરી, સમીર પટેલ, દુરાઈ સ્વામિ ગ્રામિણ, રાજેશ આહુજા,પુષ્પા બેન વાધેલા,સુનિલ બાલાણી, મહેશ ઝિલ્પે, અરુણ પવાર, અરવિંદ પટેલ, શેખર રાજપૂત વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

વિશ્વાસને તે યાદોમાંથી બહાર નીકળવું તે કાટમાળમાંથી બહાર નીકળવા કરતાં વધુ મુશ્કેલ, યાદો માંથી નીકળવા માટે મનોચિકિત્સકની મદદ લઈ રહ્યા છે,

Ahmedabad Samay

સામાજીક કાર્યકર્તા નિકુલ મારુ અને તેમની ટિમ દ્વારા મેઘાણીનગર વિસ્તારમા ગ્લુકોઝના પેકેટનુ વિતરણ કરાયુ

Ahmedabad Samay

લોકડાઉન હીરો: જન જાગૃતિ ફાઉન્ડેશન રાષ્ટ્રીય પ્રમુખ શ્રી એસ.પી.સિંહ ભદોરીયા

Ahmedabad Samay

‘રામાયણ’ સ્ટાર ભારત પર ચાલુ કરાશે

Ahmedabad Samay

અમદાવાદ: રાજ્યમાં ગરમીનો પ્રકોપ શરૂ, જાણો કયા શહેરમાં કેટલી ડિગ્રી પહોંચ્યો પારો?

admin

વીરાંગના ભારતી દ્વારા શ્રાવણ માસના શરૂઆતમાં વૃક્ષો વિતરણ કરાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો