February 9, 2025
ગુજરાત

વેપારીઓને મોટી રાહત,આજ થી સાંજે ૦૬ વાગ્યા સુધી ખુલ્લી રખાશે દુકાનો

આજે ૪ જૂનથી આ નિયમ બદલાઈ રહ્યો છે. ગુજરાત સરકારે કરફ્યૂના સમયમાં કરેલા ફેરફાર મુજબ, આજથી સવારે ૯ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી દુકાનો અને વ્યાપારિક ગતિવિધિઓ થઈ શકશે. આમ, લાંબા સમય બાદ ગુજરાતમાં વ્યાપારિક ગતિવિધિઓ થશે, અને ગુજરાતનું જનજીવન રાબેતા મુજબ ધબકતુ થશે. આ અમલ ૧૧ જૂન સુધી રહેશે.

બે દિવસ અગાઉ ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરાઈ કે, રાજયના ૩૬ શહેરોમાં તમામ  દુકાનો વાણિજિયક સંસ્થાઓ, લારી ગલ્લા, શોપિંગ કોમ્પલેક્ષ, હેરકટિંગ સલૂન, બ્યુટી પાર્લર, માર્કેટિંગ યાર્ડ  તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા.૪ જૂનથી સવારે ૯ વાગ્યા થી સાંજે ૬  વાગ્યા સુધી ખુલ્લા રાખવાની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કોર કમિટીમાં આ નિર્ણય કરવા સાથે અન્ય પણ કેટલાક નિર્ણયો કર્યા છે. તે મુજબ હવે રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ રાત્રે ૧૦ વાગ્યા સુધી થઈ શકશે.

રાજયમાં હાલ ૩૬ શહેરોમાં જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની મુદત પણ વધુ એક અઠવાડિયું વધારવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે. એટલે કે આ ૩૬ શહેરોમાં ૪  જૂન થી  ૧૧ જૂન સુધીના દિવસો દરમ્યાન રાત્રે ૯ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી આ રાત્રિ કરફ્યુનો અમલ કરવાનો રહેશે.

Related posts

કોરોના વકરતા નવી ગાઈડલાઈન જાહેર કરાઇ

Ahmedabad Samay

મુખ્યમંત્રીએ ગાંધીનગર સ્ટેટ ઈમરજન્સી સેન્ટર પહોંચીને જૂનાગઢની વરસાદની સ્થિતિનો તાગ મેળવ્યો

Ahmedabad Samay

અમદાવાદના જિલ્લા મદદનીશ રોજગાર કચેરી દ્વારા રોજગાર ભરતી મેળા તથા અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી દ્વારા માહિતીદર્શક કાર્યક્રમનું આયોજન

Ahmedabad Samay

બાપુનગરના શાસ્ત્રીનગરમાં ગત બપોરે એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ

Ahmedabad Samay

મહારાષ્ટ્રમાં ૨૮ માર્ચથી રાતનો કર્ફ્યૂ લાગુ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય

Ahmedabad Samay

માસ્ક પહેર્યા વગર નીકળતા નહિ. છેલ્લા પાંચ દિવસમાં માસ્‍ક પહેર્યા વગર ફરતા 13581 લોકો વિરૂદ્ધ કેસ દાખલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો