વન નેશન-વન ઈલેક્શન બિલ માટે જેપીસીની રચના કરવામાં આવી છે. જેમાં અનુરાગ ઠાકુર અને પ્રિયંકા ગાંધી સહિત અનેક સાંસદો ભાગ લેશે. સમિતિમાં લોકસભાના 21 અને રાજ્યસભાના 10 સભ્યોના નામ છે.
આ લોકસભા સાંસદોમાં શામેલ છે: જેપીસીમાં લોકસભાના 21 સભ્યો છે. આમાં પી.પી. ચૌધરી, સી.એમ. રમેશ, બાંસુરી સ્વરાજ, પુરુષોત્તમભાઈ રૂપાલા, અનુરાગ ઠાકુર, વિષ્ણુ દયાલ રામ, ભત્રીહરિ મહતાબ, સંબિત પાત્રા, અનિલ બલુની, વિષ્ણુ દત્ત શર્મા, પ્રિયંકા ગાંધી વાડ્રા, મનીષ તિવારી, સુખદેવ ભગત, ધર્મેન્દ્ર યાદવ, કલ્યાણ બેનર્જી, ટી.એમ. સેલ્વાગણપતિ, જી.એમ. હરીશ બાલયોગી, સુપ્રિયા સુલે, શ્રીકાંત એકનાથ શિંદે, ચંદન ચૌહાણ અને બાલાશૌરી વલ્લભનેનીના નામ સામેલ છે.
લોકસભામાં બિલ રજૂ કર્યા બાદ સરકારે વોટિંગ કરાવ્યું અને પછી તેને જેપીસીમાં મોકલ્યું. છે
