December 16, 2025
ગુજરાતરાજકારણ

અસારવાની વિશેષ વ્યક્તિત્વ દબંગ કાઉન્સિલર સુમન રાજપૂત સાથે ખાસ મુલાકાત

અમદાવાદ સમયમાં વિશેષ વ્યક્તિત્વ તરીકે અસારવાની એક વિશેષ વ્યક્તિ સાથે મુલાકાત લેવામાં આવી હતી, જેમને તેમના વિસ્તારમાં દબંગ નેતા તરીકે ઓળખવામાં આવે છે. અસારવાની દબંગ કાઉન્સિલર શ્રી સુમન રાજપૂત સાથે મુલાકાત લઇ તેમના રાજનીતિક કેરિયરમાં કાર્યકર્તા થી કાઉન્સિલર સુધીમાં તેમના જીવન ના ઉતાર ચઢાવ વિશે ચર્ચા કરવામાં આવી હતી. સુમન રાજપૂત એ ૨૦૦૮ થી ભાજપમાં એક કાર્યકર્તા તરીકે જોડાયા હતા અને પાર્ટીમાં રહીને તનતોડ  મેહનત પણ કરી હતી, અસારવામાં મધ્યમ વર્ગની પ્રજા અને છૂટક કામ કરનાર મજૂરો વધુ રહે છે જેને કારણે સુમન રાજપૂત દ્વારા જ્યારે પણ કોઈ સરકારી યોજના આવે છે તો અહીની પ્રજાને તેનો અચૂક લાભ લેવાનું જણાવતા હોય છે વાકેફ કરાવતા હોય છે,

અસારવા વિસ્તારમાં પેહલા પાણી ભરાઇ જવાની સમસ્યા , ગટરના પાણી ની સમસ્યા, ચાલીઓ માં અવર જવર માટેની સમસ્યા ઉભી ને ઉભી રહેતી હતી પરંતુ સુમન રાજપૂત પોતે અસારવામાં જ રહેતા હોવાથી આ બધી સમસ્યાઓ થી વાકેફ હતા અને કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવતા તેમને આ બધી સમસ્યાઓ ને ઝડપી નિકાલ લાવવાનો પ્રયાસ કર્યો અને મોટા ભાગની ચાલીઓ માં પેવિલિયન બ્લોકનું કામ કરાયું, અવર જવર માટે રસ્તા કરી આપવામાં આવ્યા, જો કોઈને સમસ્યા થાય તો સુમન રાજપૂતનું કહેવું છે કે “તમે ન આવો તમે કયા છો હું ત્યાં આવું છું” આવા સેવા ભાવી અને મહેનતુ સુમન રાજપૂત ની લોક પ્રિયતા જોવા માટે અમદાવાદ સમયે પ્રયાસ પણ કર્યો હતો અમારા દ્વારા અસારવા વિસ્તારમાં પ્રવેશ કરતાજ તેમના ઓફિસ વિશે માર્ગ પૂછવામાં આવ્યું તો ત્યાંથી જેટલા પણ લોકોને પૂછવામાં આવ્યું તેમને સુમન રાજપૂતના ઘર સુધીનું સરનામું જણાવયુ,  તો ત્યાં થયું કે અમદાવાદ સમય ની ટિમ તેમના ઓફિસનું સરનામું પૂછપરછ કરતા કરતા તેમના ઘર સુધી પોહચી અને ત્યારબાદ સુમન રાજપૂતને મળ્યા બાદ ઓફિસ ના સરનામાં વિશે પૂછતાં અતિ સુંદર સરનામુ  આપ્યું કે  “હુંં ઉભી રહું એજ મારી ઓફિસ અને એજ મારુ સરનામુ” એટલુજ નહિ
સુમન રાજપૂત દ્વારા કોરોના જેવી મહામારીમાં પણ તેમના વિસ્તારમાં મહત્વનું યોગદાન આપ્યું હતું, લોકડાઉન દરમિયાન અનેક લોકો સુધી બે સમય નું જમવાનું સમય સર આપવામાં આવ્યું હતું, અસારવા ની દરેક ચાલીઓ અને સોસાયટીમાં સેનેટાઈઝર છાંટવામાં આવ્યુ હતુ લોકોને કોરોના થી કેવીરીતે સુરક્ષિત રહેવું, ફરજિયાત પણ માસ્ક પહેરવું , બે ગજ ની દુરી રાખવામાં માટે જણાવ્યું હતુ. અસારવા વિસ્તારની પ્રજા સુમન રાજપૂતને ફરી એક્વાર ચૂંટાઈને જીતાવવા માંગે છે.

અમદાવાદ સમય તરફથી ધન્ય છે આવી સેવાભાવિ નેતાને

Related posts

ગુજરાતથી કરણી સેનાના ૫૦૦ જેટલા કાર્યકરો જયપુર ખાતે આંદોલનમાં જોડાશે

Ahmedabad Samay

અમદાવાદમાં વહેલી સવારે ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

Ahmedabad Samay

અમદાવાદ – 15 ઑગસ્ટનો જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વનો કાર્યક્રમ સાણંદમાં ઉજવાશે

Ahmedabad Samay

ગાંધીનગરનું ગિફટ સિટી, ભારતનું અગ્રણી ટેક હબ, એક વિશાળ મનોરંજન, છૂટક અને મનોરંજન ક્ષેત્રનું અનાવરણ કરવા માટે તૈયાર લંડન આઇ જેવું વિશાળ ચકડોળ બનશે

Ahmedabad Samay

વડાપ્રધાનનો આજથી બે દિવસનો ગુજરાત પ્રવાસ, રાજકોટથી ગાંધીનગર સુધીનો આ છે કાર્યક્રમ

Ahmedabad Samay

અમદાવાદના કાલુપુર બ્રિજ પર જર્જરિત થયેલી સાત દુકાનોની છત ધરાશાયી થઈ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો