May 9, 2026
તાજા સમાચારદેશરાજકારણ

દિલ્‍હીમાં ભાજપનો ૨૭ વર્ષનો સત્તા પરથી વનવાસ સમાપ્ત થયો છે. ભાજપ પ્રચંડ બહુમતી સાથે સત્તામાં પાછી ફરી

દિલ્‍હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભગવા સુનામીમાં આમ આદમી પાર્ટી ધોવાઈ ગઈ છે. દિલ્‍હીમાં AAP એ માત્ર સત્તા જ નહીં, પરંતુ તેના મોટા નેતાઓ પણ ચૂંટણી હારી ગયા છે. અરવિંદ કેજરીવાલ નવી દિલ્‍હી બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. મનીષ સિસોદિયા પણ જંગપુરાથી પોતાની બેઠક બચાવી શકયા નહીં. જોકે, CM આતિશી હારતા હારતા જીત મળી છે. દિલ્‍હીમાં પ્રચંડ બહુમતી સાથે ભાજપ સત્તારૂઢ થયું છે.

દિલ્‍હી ચૂંટણી

કુલ બેઠક     ૭૦

ટ્રેન્‍ડ/પરિણામ    ૭૦

ભાજપ        ૪૦ (+ ૪૦)

આપ          ૨૨ (- ૪૦)

કોંગ્રસ         ૦૦

અન્‍ય          ૦૯”

દિલ્‍હી વિધાનસભાની ૭૦ બેઠકો માટે તાજેતરમાં યોજાયેલી ચૂંટણીની આજે સવારે શરૂ થયેલી મતગણતરીમાં ટ્રેન્‍ડ મૂજબ દેશના પાટનગર દિલ્‍હીમાં ભાજપનો રાજકીય ‘વનવાસ’ પૂરો થયો છે અને ‘કમળ’ ખિલ્‍યું છે. ભાજપે ટ્રેન્‍ડમાં બહુમતી મેળવી લેતા વધુ એક રાજયમાં ભગવો લહેરાયો છે. દેશના પાટનગર દિલ્‍હીમાં ભાજપને ૨૭ વર્ષ બાદ ‘સત્તાનું સિંહાસન’ પ્રાપ્ત થઈ રહયું છે. ભાજપ ૪૮, આમ આદમી પાર્ટી ૨૨ તો કોંગ્રેસ એક બેઠક પર આગળ છે. દિલ્‍હીમાં સત્તા જાળવી રાખવામાં ‘આપ’ નિષ્‍ફળ ગયું છે અને તેનો ‘રાજકીય વનવાસ’ શરૂ થયો છે. અર્થાત દિલ્‍હીના મતદારોમાં ‘આપ’ ને ઘર ભેગું કરી દીધું છે.

દિલ્‍હી વિધાનસભાની ૭૦ બેઠકો માટે પ ફેબ્રુઆરીએ  મતદાન થયું હતું.  જે દરમ્‍યાન ૬૦ ટકા મતો પડયા હતા અને એકગ્રટ પોલમાં પણ ભાજપને સત્તા મળશે તેવો તારણો બહાર આવ્‍યા હતાં. જે હવે સામા પડી રહયા હોવાનું સ્‍પષ્‍ટ દેખાય રહયું છે.

સમગ્ર દેશની જનતાનું ધ્‍યાન દિલ્‍હીની ચૂંટણી તરફ કેન્‍દ્રીત હતું. ભાજપ ગમેતેમ કરીને દિલ્‍હીમાં ભગવો લહેરાવવા માંગતું હતું અને તેનું સપનું હવે પુરૂ થયું છે અને ભાજપ અહિં વટભેર સત્તાના સિંહાસન ઉપર બિરાજમાન થશે.

દિલ્‍હીમાં ભગવો ધ્‍વજ લહેરાયો  છે. ભાજપ ૨૭ વર્ષ પછી સત્તામાં પાછી આવી છે, જેનાથી આમ આદમી પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્‍યો છે. અત્‍યાર સુધીના પરિણામો અને વલણોમાં, ભાજપ ૪૮ બેઠકોની જંગી બહુમતી સાથે દિલ્‍હી જીતી રહ્યું છે. જ્‍યારે AAP માત્ર ૨૪ બેઠકો સુધી સીમિત થઈ રહી છે. ૨૦૨૦ માં દિલ્‍હી બેઠક પર ૬૨ બેઠકોની જંગી બહુમતી સાથે જીત મેળવનાર આમ આદમી પાર્ટી એક પછી એક તેના ધારાસભ્‍યો અને મોટા નેતાઓ ગુમાવી રહી છે.

મનીષ સિસોદિયા, જેમણે પોતાની પટપડગંજ બેઠક બદલીને જંગપુરાથી ચૂંટણી લડી હતી, તેઓ પણ હારી ગયા છે. દિલ્‍હીની ચૂંટણીમાં આખા દેશની નજર નવી દિલ્‍હી બેઠક પર હતી. અહીં, પૂર્વ મુખ્‍યમંત્રી શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિત અને પૂર્વ મુખ્‍યમંત્રી સાહબ સિંહ વર્માના પુત્ર પ્રવેશ સાહબ સિંહ વર્મા પૂર્વ મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે ભાજપની ટિકિટ પર મેદાનમાં હતા. આ બેઠકને દિલ્‍હીની ભાગ્‍યશાળી બેઠક પણ માનવામાં આવે છે. અહીં જે જીતે છે તે સત્તામાં પણ આવ્‍યો છે. સવારે મત ગણતરી શરૂ થઈ ત્‍યારે ભાજપના પ્રવેશ વર્માએ પહેલા રાઉન્‍ડમાં લીડ મેળવી હતી. આ પછી, કેજરીવાલ આગામી ત્રણ રાઉન્‍ડ સુધી આગળ રહ્યા. પણ તે અથડામણનો મામલો હતો. સંદીપ દીક્ષિત મેચમાં કયાંય નહોત્તા.

દિલ્‍હીમાં ભાજપનો ૨૭ વર્ષનો સત્તા પરથી વનવાસ સમાપ્ત થયો છે. ભાજપ પ્રચંડ બહુમતી સાથે સત્તામાં પાછી ફરી રહી હોય તેવું લાગે છે. આમ આદમી પાર્ટીના બધા મોટા નેતાઓ ખરાબ રીતે હાર્યા છે. ભાજપની જીત સાથે, આમ આદમી પાર્ટીનો ગઢ તૂટી પડ્‍યો. પાર્ટીએ માત્ર જીત જ નહીં, પણ ચૂંટણીમાં પ્રભાવશાળી લીડ પણ મેળવી. દિલ્‍હીમાં ભાજપની જીતનો શ્રેય વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીને જાય છે, જેમણે માત્ર ત્રણ દિવસમાં દિલ્‍હીના રાજકીય વાતાવરણને આમ આદમી પાર્ટી વિરુદ્ધ અને ભાજપની તરફેણમાં ફેરવી દીધું.

Related posts

કુબેરનગરના કાઉન્સિલર નિકુલસિંહ તોમરનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું

Ahmedabad Samay

યુ.કે આવતા અને જતા તમામ વિમાની ઉડયનો ઉપર ૭ જાન્યુઆરી સુધી પ્રતિબંધ

Ahmedabad Samay

વડોદરામાં રુવાળા ઉભા કરિદે તેવી બની ધટના,હરણી તળાવમાં ૨૫થી વધુ વિદ્યાર્થીઓ ડૂબ્યા

Ahmedabad Samay

નરેન્દ્ર મોદીએ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં નવનિર્મિત ‘સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય’નું ભવ્ય લોકાર્પણ

Ahmedabad Samay

આયાતુલ્લા ખામેનેઈનું નિધન, અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલામાં થયું મૃત્યુ, મોજતબા ખામેનેઈ બન્યા નવા સુપ્રીમ લીડર

Ahmedabad Samay

વૈશ્વિક કક્ષાના રેલવે સ્ટેશનું આજે ઉદઘાટન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો