February 8, 2026
Other

ગાયકવાડ હવેલી વિસ્તારમાં પશુ બલિની ઘટના

ગાયકવાડ હવેલી વિસ્તારમાં બે બકરાની પશુ બલિ ચડાવી દેવાય છે. આજના આધુનિક યુગમાં પણ લોકો પોતાના કામ પૂરા કરવા માટે અબોલ પશુઓને શ્રદ્ધાની આડમાં મોતના ઘાટ ઉતારી દે છે. ત્યારે આ મામલે પ્રાણીઓ માટે NGO ચલાવતા દીપાબેન જોશીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ગાયકવાડ હવેલી વિસ્તારમાં પશુ બલિ ચડતી હોવાની વાત પોલીસને જાણવા મળી હતી. જે બાદ પોલીસ મહાજનના વંડામાં પહોંચ્યા હતા. જ્યાં જોયું તો બે બકરાની બલિ ચડાવવામાં આવી હતી. ત્યાં હાજર દંપતીએ પરંપરાગત વિધિથી બકરાની બલિ ચડાવી હતી. અને બલિ ચડાવેલા બંને બકરાના કપાયેલા માથા માતાજીના મંદિરમાં મુકવામાં આવ્યા હતા.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મહાજનના વંડામાં આવેલા માતાજીના મંદિરમાં રમેશ સરગરા અને લલીબેન સરગરાએ પશુ બલિ ચડાવી હતી. જેથી પોલીસે બલિ ચડાવનાર દંપતિ અને વિધિ કરનારા બે લોકો સહિત કુલ 4 લોકો સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

આ પહેલાં ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં પશુ બલિ ચડાવાઈ હતી અને હવે ગાયકવાડ હવેલી વિસ્તારમાં પશુ બલિની ઘટના બની છે. ત્યારે સૌથી મોટો સવાલ તો એ છે કે આજે દુનિયા ક્યાંની ક્યાં પહોંચી ગઈ છે. તો બીજી તરફ એવા પણ લોકો છે, કે જે અંધશ્રદ્ધાની આડમાં હજુ પણ પશુ બલિમાં માન્યતા ધરાવે છે.

Related posts

અનલોક ૦૪ ની ગાઈડલાઈન જાહેર

Ahmedabad Samay

કર્નલ અપૂર્વ ભટનાગરને તેમની અસાધારણ સેવાને બદલામાં પ્રતિષ્ઠિત વિશિષ્ટ સેવા પદક (VSM)થી સન્માનિત કરવામાં આવ્યા

Ahmedabad Samay

GCS HoSpital 77 વર્ષની મહિલાના અંડાશયમાંથી 13 કિલોની ગાંઠ સર્જરી દ્વારા દૂર કરાઇ

Ahmedabad Samay

સાધ્વીજી મહારાજ ઉપવાસ પર ઉતરવું પડે એવું કામ કોણે કર્યું: હાર્દિક હૂંડિયા

Ahmedabad Samay

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અમદાવાદ ફ્લાવર શૉ-2024′ પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો

Ahmedabad Samay

હવે ગેઝેટ ડોક્યુમેન્ટમાં નામ-અટક કે જન્મ તારીખ બદલવા કે સુધારવુ થયું આશાન, જાણો સંપૂર્ણ પદ્ધતિ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો