December 10, 2025
ગુજરાત

આ વેકેશનમાં તમારા બાળક માટે ટ્રેન ટિકિટ ખરીદવી જોઈએ કે નહીં તે અંગેની વિશેષ માહિતી

ધોરણ ૧૦ – ૧૨ ની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઇ છે અને પ્રાઇમરી ધોરણના બાળકોની પરીક્ષાઓ પણ એપ્રિલ માસ માં પૂર્ણ થઇ જશે અને વેકેશન ચાલુ થઇ જશે, વેકેશનમાં લોકો પોતાના બાળકોને ટ્રેન મારફતે લઇ ફરવા જતા હોય છે ટ્રેનની મુસાફરીમાં બાળકો માટે વિદ્યાર્થીઓ માટે ઘણી છુટછાટ પણ મળતી હોય છે ,

બાળકો માટે ટિકિટ અંગે પણ રેલવેનો નિયમ છે. કેટલાક માતા-પિતા પોતાના બાળક માટે ટ્રેન ટિકિટ ખરીદવી જોઈએ કે નહીં તે અંગે મૂંઝવણમાં હોય છે.

ભારતીય રેલવેએ બાળકો માટે ટ્રેનમાં મુસાફરી કરવા માટે અલગ નિયમો બનાવ્યા છે. તેમા બાળકોને ટિકિટ ખરીદવી પડશે કે નહીં અથવા બાળકો માટે અડધી ટિકિટ ખરીદવી પડશે કે નહીં. આ અંગે રેલવેએ બાળકોની ઉંમર અનુસાર નિયમો બનાવ્યા છે.

રેલવેના નિયમો પ્રમાણે 5 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો ટિકિટ વગર એટલે કે ફ્રીમાં ટ્રેનમાં મુસાફરી કરી શકે છે. માતાપિતા નાના બાળકો સાથે પોતાની સીટ પર મુસાફરી કરી શકે છે. આ ઉપરાંત જો કોઈ માતા-પિતા તેમના 5 વર્ષથી ઓછી ઉંમરના બાળક માટે સીટ ઇચ્છતા હોય તો તેઓ અડધી કિંમતે ટિકિટ ખરીદી શકે છે.

5 થી 12 વર્ષની વયના બાળકો માટે ટ્રેનનું ભાડું અડધું છે એટલે કે માતાપિતાએ તેમના 5 થી 12 વર્ષની વયના બાળકો માટે અડધી કિંમતે ટિકિટ ખરીદવી પડશે. આ ફક્ત બર્થ વગરની સીટો માટે જ લાગુ પડે છે. જો માતા-પિતા તેમના બાળક માટે બર્થ સીટ લેવા માંગતા હોય તો તેમણે આખું ભાડું ચૂકવવું પડશે

Related posts

કોરોના કાળમાં ગુજરાતમાં વધુ એક સંકટ, 19-20 મેના રોજ ‘તૌકતે’ વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રાટકવાની સંભાવના

Ahmedabad Samay

અમદાવાદના ૦૭ વોર્ડમાં ૪૬ કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા

Ahmedabad Samay

૨૧ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

Ahmedabad Samay

અમદાવાદના નવા નરોડામાં ચડ્ડી બનિયાન ધારી ગેંગે કરી લૂંટ

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા મેઘાણીનગર ખાતે હોળી પર્વ નિમિતે ” તિલક હોળી” નું આયોજન કરાયું

Ahmedabad Samay

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત નિકોલ ખાતે રામકથા ના સ્થાન પર વડાપ્રધાનનો ૧૦૦મો મનકી બાતનો કાર્યક્રમ નિહાળ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો