February 13, 2026
ગુજરાત

આ વેકેશનમાં તમારા બાળક માટે ટ્રેન ટિકિટ ખરીદવી જોઈએ કે નહીં તે અંગેની વિશેષ માહિતી

ધોરણ ૧૦ – ૧૨ ની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઇ છે અને પ્રાઇમરી ધોરણના બાળકોની પરીક્ષાઓ પણ એપ્રિલ માસ માં પૂર્ણ થઇ જશે અને વેકેશન ચાલુ થઇ જશે, વેકેશનમાં લોકો પોતાના બાળકોને ટ્રેન મારફતે લઇ ફરવા જતા હોય છે ટ્રેનની મુસાફરીમાં બાળકો માટે વિદ્યાર્થીઓ માટે ઘણી છુટછાટ પણ મળતી હોય છે ,

બાળકો માટે ટિકિટ અંગે પણ રેલવેનો નિયમ છે. કેટલાક માતા-પિતા પોતાના બાળક માટે ટ્રેન ટિકિટ ખરીદવી જોઈએ કે નહીં તે અંગે મૂંઝવણમાં હોય છે.

ભારતીય રેલવેએ બાળકો માટે ટ્રેનમાં મુસાફરી કરવા માટે અલગ નિયમો બનાવ્યા છે. તેમા બાળકોને ટિકિટ ખરીદવી પડશે કે નહીં અથવા બાળકો માટે અડધી ટિકિટ ખરીદવી પડશે કે નહીં. આ અંગે રેલવેએ બાળકોની ઉંમર અનુસાર નિયમો બનાવ્યા છે.

રેલવેના નિયમો પ્રમાણે 5 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો ટિકિટ વગર એટલે કે ફ્રીમાં ટ્રેનમાં મુસાફરી કરી શકે છે. માતાપિતા નાના બાળકો સાથે પોતાની સીટ પર મુસાફરી કરી શકે છે. આ ઉપરાંત જો કોઈ માતા-પિતા તેમના 5 વર્ષથી ઓછી ઉંમરના બાળક માટે સીટ ઇચ્છતા હોય તો તેઓ અડધી કિંમતે ટિકિટ ખરીદી શકે છે.

5 થી 12 વર્ષની વયના બાળકો માટે ટ્રેનનું ભાડું અડધું છે એટલે કે માતાપિતાએ તેમના 5 થી 12 વર્ષની વયના બાળકો માટે અડધી કિંમતે ટિકિટ ખરીદવી પડશે. આ ફક્ત બર્થ વગરની સીટો માટે જ લાગુ પડે છે. જો માતા-પિતા તેમના બાળક માટે બર્થ સીટ લેવા માંગતા હોય તો તેમણે આખું ભાડું ચૂકવવું પડશે

Related posts

નવરંગપુરામાં 4 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું જેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાળકીને આરોપીની ચુંગાલમાંથી છોડાવી

Ahmedabad Samay

શુ મજાક છે. રાત્રી કરફ્યુ ૧૨ થી ૦૬ વાગ્યા સુધી.

Ahmedabad Samay

કાગડાપીઠ વિસ્તારમાં વૃદ્ધ સાથે ડિજિટલ અરેસ્ટ નામે રૂપિયા પડવનાર 2 આરોપી ઝડપાયા

Ahmedabad Samay

સુપર સ્પ્રેડરના ટેસ્ટ કરવા પર સરકાર પર અર્જુન મોઢવાડીયા એ સવાલ ઉઠાવ્યા, જ્યારે સુપર સ્પ્રેડર તરીકે તમામ પક્ષના નેતા આવી જાય છે

Ahmedabad Samay

ગૃહમંત્રાલયએ અનલોક.૦૫ ની ગાઈડલાઈ જાહેર કરી

Ahmedabad Samay

ગુજરાતમાં ધીમે ધીમે જામી રહેલો શિયાળો હવે તેના અસલી મિજાજમાં આવી ગયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો