March 23, 2026
ગુજરાત

આ વેકેશનમાં તમારા બાળક માટે ટ્રેન ટિકિટ ખરીદવી જોઈએ કે નહીં તે અંગેની વિશેષ માહિતી

ધોરણ ૧૦ – ૧૨ ની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઇ છે અને પ્રાઇમરી ધોરણના બાળકોની પરીક્ષાઓ પણ એપ્રિલ માસ માં પૂર્ણ થઇ જશે અને વેકેશન ચાલુ થઇ જશે, વેકેશનમાં લોકો પોતાના બાળકોને ટ્રેન મારફતે લઇ ફરવા જતા હોય છે ટ્રેનની મુસાફરીમાં બાળકો માટે વિદ્યાર્થીઓ માટે ઘણી છુટછાટ પણ મળતી હોય છે ,

બાળકો માટે ટિકિટ અંગે પણ રેલવેનો નિયમ છે. કેટલાક માતા-પિતા પોતાના બાળક માટે ટ્રેન ટિકિટ ખરીદવી જોઈએ કે નહીં તે અંગે મૂંઝવણમાં હોય છે.

ભારતીય રેલવેએ બાળકો માટે ટ્રેનમાં મુસાફરી કરવા માટે અલગ નિયમો બનાવ્યા છે. તેમા બાળકોને ટિકિટ ખરીદવી પડશે કે નહીં અથવા બાળકો માટે અડધી ટિકિટ ખરીદવી પડશે કે નહીં. આ અંગે રેલવેએ બાળકોની ઉંમર અનુસાર નિયમો બનાવ્યા છે.

રેલવેના નિયમો પ્રમાણે 5 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો ટિકિટ વગર એટલે કે ફ્રીમાં ટ્રેનમાં મુસાફરી કરી શકે છે. માતાપિતા નાના બાળકો સાથે પોતાની સીટ પર મુસાફરી કરી શકે છે. આ ઉપરાંત જો કોઈ માતા-પિતા તેમના 5 વર્ષથી ઓછી ઉંમરના બાળક માટે સીટ ઇચ્છતા હોય તો તેઓ અડધી કિંમતે ટિકિટ ખરીદી શકે છે.

5 થી 12 વર્ષની વયના બાળકો માટે ટ્રેનનું ભાડું અડધું છે એટલે કે માતાપિતાએ તેમના 5 થી 12 વર્ષની વયના બાળકો માટે અડધી કિંમતે ટિકિટ ખરીદવી પડશે. આ ફક્ત બર્થ વગરની સીટો માટે જ લાગુ પડે છે. જો માતા-પિતા તેમના બાળક માટે બર્થ સીટ લેવા માંગતા હોય તો તેમણે આખું ભાડું ચૂકવવું પડશે

Related posts

રિવરફ્રન્ટ ખાતે “હેપ્પી ટીમ” દ્વારા એન્વાયરમેન્ટનો મેસેજ આપવા “ગ્રીન રન”નું આયોજન કરાયું

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા શસ્ત્ર પૂજા કરવામાં આવી

Ahmedabad Samay

અંતિકા મરીન્ટાઇમ એકેડમી દ્વારા મર્ચન્ટ નેવીમાં બનાવો ઉજ્જવળ ભવિષ્ય

Ahmedabad Samay

“રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ” નું લોકાર્પણ કરાયું

Ahmedabad Samay

મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનાની પ્રારંભિક તપાસમાં જ કેટલીક ચોંકાવનારી વિગતો આવી સામે

Ahmedabad Samay

વંદે માતરમ ગાનના ૧૫૦ વર્ષ પૂર્ણ થવા અવસરે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની અધ્‍યક્ષતામાં વિધાનસભા પરિસરમાં વંદે માતરમ ગાનનું અને સ્‍વદેશી અપનાવવાના સંકલ્‍પનું સામૂહિક પઠન કર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો