February 13, 2026
ગુજરાત

બાલવાટિકા બાળકો અને પરિવારો માટે લોકપ્રિય મનોરંજન સ્‍થળ હવે નવા રૂપમાં તૈયાર

અમદાવાદના કાંકરિયા તળાવ ખાતે આવેલું બાલવાટિકા, બાળકો અને પરિવારો માટે લોકપ્રિય મનોરંજન સ્‍થળ, હવે નવા રૂપમાં તૈયાર થયું છે. અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા ૨૨ કરોડ રૂપિયાના ખર્ચે રિડેવલપમેન્‍ટ કરાયેલા આ બાલવાટિકામાં ૨૧ નવી અને આકર્ષક એક્‍ટિવિટીઝ ઉમેરવામાં આવી છે. આ સાથે, બાલવાટિકાની એન્‍ટ્રી ફીમાં પણ વધારો કરવામાં આવ્‍યો છે, જે હવે ૫૦ રૂપિયા નક્કી કરાઈ છે, જ્‍યારે વિવિધ એક્‍ટિવિટીઝની ટિકિટના દર ૬૦ રૂપિયાથી ૪૫૦ રૂપિયા સુધી રહેશે.

અગાઉ બાલવાટિકાની એન્‍ટ્રી ફી માત્ર ૩ રૂપિયા હતી, જેમાં ૨ એક્‍ટિવિટીઝ નિઃશુલ્‍ક હતી. હવે ૫૦ રૂપિયાની એન્‍ટ્રી ફી સાથે ૬ એક્‍ટિવિટીઝ નિઃશુલ્‍ક ઉપલબ્‍ધ રહેશે. નવા આકર્ષણોમાં ડાયનાસોર ટ્રેન, હેરણ ટ્રેન, લેઝી રિવર, ભૂલભૂલૈયા, ફ્‌લાઇંગ થિયેટર, એડવેન્‍ચર રાઇડ્‍સ, ગ્‍લાસ ટાવર, તાો-પાર્ક, વેક્‍સ મ્‍યુઝિયમ, અને સ્‍ય્‍ રિયાલિટી ગેમ્‍સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મડ બાઇક, રોબોટ મૂવિંગ એક્‍ટિવિટી, અને રોયલ રાઇડ જેવી એક્‍ટિવિટીઝ બાળકો અને યુવાનોને રોમાંચક અનુભવ આપશે. બાલવાટિકાનું સંચાલન અને જાળવણીની જવાબદારી સુપરસ્‍ટાર એમ્‍યુઝમેન્‍ટ પ્રાઇવેટ લિમિટેડને સોંપવામાં આવી છે. આ કંપની સિકયુરિટી, કર્મચારીઓના પગાર, મેન્‍ટેનન્‍સ, અને લાઇટ બિલ જેવા ખર્ચાઓનું સંચાલન કરશે. ખ્‍પ્‍ઘ્‍ની સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન અનુસાર, આ રિડેવલપમેન્‍ટ પબ્‍લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડેલ હેઠળ કરવામાં આવ્‍યું છે, જેમાં AMCને ૨૭% આવકનો હિસ્‍સો મળશે.

અગાઉ બાલવાટિકા દ્વારા ખ્‍પ્‍ઘ્‍ને વાર્ષિક ૧૦ લાખ રૂપિયાની આવક પ્રાપ્ત થતી હતી. નવનિર્મિત બાલવાટિકામાં એક્‍ટિવિટીઝની સંખ્‍યા અને એન્‍ટ્રી ફીમાં વધારો થવાથી, AMCને હવે વાર્ષિક ૪૦ લાખ રૂપિયાની આવકની અપેક્ષા છે. આ નવી સુવિધાઓ અને આકર્ષણો બાલવાટિકાને ગુજરાતના સૌથી નવીન મનોરંજન સ્‍થળોમાંનું એક બનાવશે, જે બાળકો, યુવાનો અને પરિવારો માટે આનંદનો અનુભવ આપશે. બાલવાટિકા કાંકરિયા તળાવના ગેટ નંબર ૩ ખાતે આવેલું છે અને તે મંગળવારથી રવિવાર સુધી સવારે ૯ થી રાત્રે ૧૦ સુધી ખુલ્લું રહે છે. સોમવારે તે બંધ રહે છે. આ ઉપરાંત, કાંકરિયા તળાવની અન્‍ય આકર્ષણો જેવી કે કમલા નહેરુ ઝૂ, નગીનાવાડી, અને ટોય ટ્રેન પણ પર્યટકો માટે ઉપલબ્‍ધ છે, જેની અલગ ટિકિટ ફી લાગુ પડે છે.

Related posts

૧૦ થી ૧૨ પ્રશ્નો અંગે બી.એસ.એન.એલ. કર્મચારીઓએ હડતાલ પર

Ahmedabad Samay

કૃષ્ણનગર ખાતે આવેલ જી.ડી સ્કૂલ પાસે પ્રાથના હોસ્પિટલની આજ થી શુભ શરૂઆત

Ahmedabad Samay

છૂટ છાટ સાથે મીની લોકડાઉન લંબાય તેવી શક્યતા, સાંજે નિર્ણય લેવાશે

Ahmedabad Samay

બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી તેમજ સમાજ સુરક્ષા અધિકારી, દાહોદની ટીમ દ્વારા તાત્કાલિક લગ્ન સ્થળ પર પહોંચી બાળ લગ્નને અટકાવ્યાં હતાં.

admin

સરકારી બેન્કોને ખાનગીકરણ કરવાના વિરોધમાં બેંક કર્મીઓ દ્વારા બીજા દિવસે પણ વિરોધ કરાયો

Ahmedabad Samay

૨૨ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ બપોરે૧:૩૦ કલાકે,તમામ ક્ષત્રિયો દ્વારા ક્ષત્રિય એકતા સંમેલનું આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો