June 24, 2026
ગુજરાત

અમદાવાદના આનંદનગરમાં ૨૫ મકાન બળીને થયા ખાક

Ad

શહેરના આનંદનગર ખાતેના રેડિયોમિર્ચી ટાવર સામે આવેલી ઝૂંપડપટ્ટીમાં ભયાનક આગ લાગતા ભારે દોડધામ મચી ગઇ હતી. બનાવ ની જાણ થતાં જ ફાયર બ્રિગેડ ની ટીમ 15 ફાયર ફાયટરો સાથે સ્થળ ઉપર દોડી જઇ આગ ઉપર જોરદાર પાણી નો મારો ચલાવી આગ ને કાબૂમાં લીધી હતી અહીં આવેલા લગભગ 100માંથી 25 ઝૂંપડા બળીને ખાક થઈ ગયા હતા બનાવ ની ગંભીરતા જોઈ આખો વિસ્તાર ખાલી કરાવી દેવામાં આવ્યો હતો ,સદનસીબે જાનહાની થઇ નથી.

 

પોલીસ દ્વારા લોકોને દુર કરવામાં આવ્યા છે.  ઝૂંપડપટ્ટી ગીચ વિસ્તારમાં અને આસપાસમાં મકાનો આવેલાં હોવાથી આગને કાબૂમાં કરવામાં ફાયરબ્રિગેડને મુશ્કેલી પડતાં મકાનો પર ચડી ફાયરબ્રિગેડ પાણીનો મારો ચલાવ્યો હતો. ભારે જહેમત બાદ ફાયરબ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવવા સફળ થયા હતા.

Related posts

અમદાવાદ: રૂદ્રપ્રયાગમાં ભૂસ્ખલનથી ગુજરાતના 4 યાત્રાળુઓના મોત, એક જ કારમાં હતા સવાર

Ahmedabad Samay

RTEમાં અમાન્ય થયેલા અરજદારોને વધુ એક તક આપવામાં આવી છે. રદ થયેલા અરજદારો ફરી અરજી કરી શકશે

Ahmedabad Samay

નારોલનાં શાહવાડીની સત્યમ નગર સોસાયટીમાં આગની ઘટના સામે આવી,બે ના મોત

Ahmedabad Samay

જુનાગઢ એ ડિવિઝન પોલીસે વિસ્તારમાં દારૂનું બાર ખોલી ચલાવતા પકડી પાડ્યું

Ahmedabad Samay

મેઘાણીનગરના લક્ષ્મીનગરમાં આવેલ ઓમકારનગરમાં પવેર બ્લોક અને સ્ટ્રીટ લાઇટ નાખવા માટે ખાતમુહૂર્ત કરાયું

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા ઉત્તર ભારતીય બિઝનેસ નેટવર્ક નું ગ્રાન્ડ લોન્ચિંગ કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો