March 23, 2026
દેશ

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) નું રિજલ્ટ જાહેર

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) એ આજે, ૧૩ મે, ૨૦૨૫ ના રોજ ધોરણ ૧૨ ના પરિણામો જાહેર કરી દીધા છે. આ વર્ષે કુલ ૮૭.૯૮% વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી છે, જે ગયા વર્ષના ૮૭.૩૩% કરતા ૦.૬૫% વધારે છે. આ વર્ષે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) ની પરીક્ષાઓમાં ૪૨ લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, અને હવે બધાની નજર બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર ટકેલી છે. વિદ્યાર્થીઓ https://www.cbse.gov.in/ પર જઈને તેમના માર્ક્સ જોઈ શકે છે. પરિણામ લિંક cbseresults.nic.in, https://results.cbse.nic.in/ અને https://cbse.gov.in/ પર ઉપલબ્ધ થશે. આ વર્ષે સીબીએસઈ ધોરણ ૧૨ ની પરીક્ષા માટે ૧૬ લાખથી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
વિદ્યાર્થીઓ માટે જરૂરી સૂચના:
જે વિદ્યાર્થીઓ સીબીએસઈ ૧૨ મી પરીક્ષા ૨૦૨૫ માં હાજર રહ્યા હતા, તેઓને વિનંતી છે કે તેઓ ધીરજ રાખે અને નીચેની વિગતો પોતાની પાસે તૈયાર રાખે:
* રોલ નંબર
* શાળા કોડ
* એડમિટ કાર્ડ પર અંકિત અન્ય વિગતો
પરિણામ ક્યાં જોઈ શકાય?
વિદ્યાર્થીઓ તેમના પરીક્ષા પરિણામ નીચેની સત્તાવાર વેબસાઇટ્સ પર જોઈ શકશે:
* cbseresults.nic.in
* results.cbse.nic.in
* digilocker.gov.in
ડિજિલોકર પર વિદ્યાર્થીઓ તેમની માર્કશીટ, પાસ સર્ટિફિકેટ અને અન્ય દસ્તાવેજો ડિજિટલ ફોર્મેટમાં મેળવી શકે છે. આખી પ્રક્રિયા સુરક્ષિત અને સરળ છે:
* ડિજિલોકર એપ ડાઉનલોડ કરો અથવા www.digilocker.gov.in પર જાઓ.
* જો પહેલેથી એકાઉન્ટ ન હોય, તો મોબાઇલ નંબરથી સાઇન અપ કરો.
* ઓટીપી દાખલ કરીને તમારું ખાતું વેરિફાઇ કરો.
* જે વિદ્યાર્થીઓનું આધાર કાર્ડ લિંક છે, તેઓ UIDAI થી લોગ ઇન કરી શકે છે.
* લોગિન કર્યા પછી ‘Issued Documents’ વિભાગમાં જાઓ.
* Central Board of Secondary Education પસંદ કરો.
* ધોરણ (૧૦ અથવા ૧૨), પરીક્ષા વર્ષ (૨૦૨૫), રોલ નંબર, શાળા કોડ અને જન્મ તારીખ દાખલ કરો

Related posts

ભાજપના એક ઉમેદવારની કારમાંથી મળેલા ઈવીએમના પગલે ખળભળાટ મચી ગયો

Ahmedabad Samay

કિન્નરોને મુખ્ય ધારામાં જોડવાના પ્રયાસરૂપે ટ્રાન્સજેન્ડર પોર્ટલ અસીમ અરૂણ દ્વારા શરૂ કરાયું

Ahmedabad Samay

૨૬ વર્ષ બાદ શ્રીનગરનું શીતળનાથ મહાદેવ મંદિર ખુલ્યું, ભક્તોમાં ખુશીનો માહોલ 

Ahmedabad Samay

આરએસએસ દેશને હિન્દુ રાષ્ટ્ર પણ બનાવવા માગે છે :SGPC(શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધક કમીટી)

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી INS વિક્રાંત પર કર્મચારીઓ સાથે દિવાળીની ઉજવણી કરી

Ahmedabad Samay

ગણેશોત્‍સવ દરમિયાન કુલ પાંચ કરોડ સોળ લાખ રૂપિયા (૫,૧૬,૦૦,૦૦૦)નું રોકડ દાન લાલબાગના રાજાના ચરણોમાં કરવામાં આવ્‍યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો